સુરત. છેલ્લા 4 - 5 દિવસોથી ગાજેલો મની લો લોન્ડરિંગ મામલે પૂર્વ આઇટી અધિકારી અને ભાજપના નેતાના ટ્વિટ બાદ તેમના જ ઘરે આઇટી ની રેડ અને સર્ચ બાદ આઈટીને જેટલા પણ પુરાવા મળ્યા તે બાદ હાલ આયકર વિભાગનું સર્ચ પૂર્ણ થઇ ગયું છે. આયકર વિભાગના સર્ચ બાદ શર્માએ સોશિયલ મીડિયા પર એક વિડીયો મુક્યો છે. આ વીડિયોના તેમણે આઇટી વિભાગને તેમના ઘરે કરેલા સર્ચમાં કંઈજ વાંધાજનક મળ્યું નથી તેમજ હાલ તેમના નામે ચાલી રહેલી ખોટી અફવાઓનું અને બેનામી મિલ્કતો મળી આવી છે તે અંગેની વાતોનું ખંડન કર્યું છે.
સુરતના ગોડદોડ રોડ પર આવેલ કલામંદિર જવેલર્સ દ્વારા નોટબંદી દરમ્યાન 110 કરોડનું કાળું નાણું સફેદ કરી નાખ્યાના આક્ષેપો બાદ તેમણે એક ટ્વિટ કર્યું હતું. ત્યાર બાદ શર્માના ઘરે આઇટી વિભાગે રાત્રીના સમયે દરોડા પડ્યા હતા. સર્ચમાં શર્મા સાથે જોડાયેલ કુસુમ સિલિકોન કંપનીના સંચાલકો કુસુમ અને કૌશલ ખંડેલિયા. શાહ એન્ડ પ્રજાપતિ કંપનીના ભાગીદાર તેમજ તેમના એકાઉન્ટન્ટ અદીકીયાં ના ઘર અને ઓફિસો પર સુરત. મુંબઈ અને થાણે મળી 13 સ્થળોએ આઇટી વિભાગે તપાસ કરી હતી. અને હાલ આ સર્ચ પૂર્ણ થયું છે.
વીડિયોમાં શર્માએ ઉનમાં જે પ્લોટ ની વાત કરી હતી તે ત્યાંના જ સ્થાનિકને વેચી દીધી છે. તેમજ લીંબાયતમાં તેમની ઓફિસ, એક પલસાણા ની ઓફિસ તેમજ પલસાણા ગામે 2 હજાર ફૂટનો બિન ખેતીલાયક જમીન જેવી ત્રણ મિલ્કતો ની વાત કરી છે. તેમજ પોતાની પત્નીના 28 વર્ષના કામ બાદ પત્ની ના નામે ફોર સીઝન માં ફ્લેટ અને ઓફિસ તેમજ હૈદરાબાદ માં પણ મિલ્કત છે તેની વાત કરી છે. અને સાથે જ આઇટી વિભાગને કશુ પણ વાંધાજનક મળ્યું નથી તે અંગે ખુલાસો કર્યો છે.
સુરત. છેલ્લા 4 - 5 દિવસોથી ગાજેલો મની લો લોન્ડરિંગ મામલે પૂર્વ આઇટી અધિકારી અને ભાજપના નેતાના ટ્વિટ બાદ તેમના જ ઘરે આઇટી ની રેડ અને સર્ચ બાદ આઈટીને જેટલા પણ પુરાવા મળ્યા તે બાદ હાલ આયકર વિભાગનું સર્ચ પૂર્ણ થઇ ગયું છે. આયકર વિભાગના સર્ચ બાદ શર્માએ સોશિયલ મીડિયા પર એક વિડીયો મુક્યો છે. આ વીડિયોના તેમણે આઇટી વિભાગને તેમના ઘરે કરેલા સર્ચમાં કંઈજ વાંધાજનક મળ્યું નથી તેમજ હાલ તેમના નામે ચાલી રહેલી ખોટી અફવાઓનું અને બેનામી મિલ્કતો મળી આવી છે તે અંગેની વાતોનું ખંડન કર્યું છે.
સુરતના ગોડદોડ રોડ પર આવેલ કલામંદિર જવેલર્સ દ્વારા નોટબંદી દરમ્યાન 110 કરોડનું કાળું નાણું સફેદ કરી નાખ્યાના આક્ષેપો બાદ તેમણે એક ટ્વિટ કર્યું હતું. ત્યાર બાદ શર્માના ઘરે આઇટી વિભાગે રાત્રીના સમયે દરોડા પડ્યા હતા. સર્ચમાં શર્મા સાથે જોડાયેલ કુસુમ સિલિકોન કંપનીના સંચાલકો કુસુમ અને કૌશલ ખંડેલિયા. શાહ એન્ડ પ્રજાપતિ કંપનીના ભાગીદાર તેમજ તેમના એકાઉન્ટન્ટ અદીકીયાં ના ઘર અને ઓફિસો પર સુરત. મુંબઈ અને થાણે મળી 13 સ્થળોએ આઇટી વિભાગે તપાસ કરી હતી. અને હાલ આ સર્ચ પૂર્ણ થયું છે.
વીડિયોમાં શર્માએ ઉનમાં જે પ્લોટ ની વાત કરી હતી તે ત્યાંના જ સ્થાનિકને વેચી દીધી છે. તેમજ લીંબાયતમાં તેમની ઓફિસ, એક પલસાણા ની ઓફિસ તેમજ પલસાણા ગામે 2 હજાર ફૂટનો બિન ખેતીલાયક જમીન જેવી ત્રણ મિલ્કતો ની વાત કરી છે. તેમજ પોતાની પત્નીના 28 વર્ષના કામ બાદ પત્ની ના નામે ફોર સીઝન માં ફ્લેટ અને ઓફિસ તેમજ હૈદરાબાદ માં પણ મિલ્કત છે તેની વાત કરી છે. અને સાથે જ આઇટી વિભાગને કશુ પણ વાંધાજનક મળ્યું નથી તે અંગે ખુલાસો કર્યો છે.