સુરતમાં વસતા લાખો લોકો દર વર્ષે છઠ પૂજન કરતા હોય છે
ચાલુ વર્ષે સામાજીક અંતર જાળવવું શક્ય ન હોવાને કારણે અગ્રણીઓ દ્વારા કાર્યક્રમ રદ્દ કરાયો
કોરોનાની બીજી વેવની શક્યતાઓ વચ્ચે જાહેર ઉજવણી રદ્દ કરવી સરાહનીય પગલું
સુરત. શહેરમાં વર્ષોથી વસતા યુપી બિહાર અને ઝારખંડના લોકો વર્ષોથી તાપી કિનારે છઠ પુજા કરતા હતા. પરંતુ આ વર્ષે કોરોના કારણે છઠ પૂજા સ્વૈચ્છિક રીતે રદ્દ કરવાનો નિર્ણય બિહાર વિકાસ પરિષદ દ્વારા લેવામાં આવ્યો છે. કોરોના બીજી વેવ આવવાની શક્યતા વચ્ચે તહેવારની ઉજવણી પર સ્વૈચ્છિક પ્રતિબંધ સરાહનીય પગલું છે.
દિવાળીના પાંચ દિવસ પછી છઠ પૂજા આવે છે. છઠ પૂજા ઉત્તર ભારતના લોકો હર્ષોઉલ્લાસથી દર વર્ષે ઉજવતા હોય છે. પૂજામાં બે દિવસ સુધી માતા-પિતા પોતાના સંતાનો માટે ઉપવાસ રાખતા હોય છે. સુરતમાં વસતા આઠ લાખ કરતાં પણ વધારે યુપી બિહાર અને ઝારખંડના લોકો દર વર્ષે તાપી કિનારે અને શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલા તળાવોમાં પૂજા કરે છે.
છઠ પુજા બાબતે બિહાર વિકાસ પરિષદના પ્રમુખ પ્રભુ નાથ પ્રસાદ યાદવે જણાવ્યું હતું કે, છઠ પૂજા માં બે દિવસના ઉપવાસ હોય છે. જેના કારણે શરીરમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ જતી હોય છે. છઠ પુજા કરવા માટે નદી અને તળાવના પાણીમાં ઉભા રહેવું પડે છે. અને આ પૂજા લાખોની સંખ્યામાં લોકો કરતા હોવાના કારણે સામાજિક અંતર રાખવું શક્ય નથી. આ કારણોથી આ વર્ષે છઠ પૂજા નો કાર્યક્રમ રદ કરવાનો જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, છઠ પૂજન નજીક આવતાજ નદી તથા તળાવ કિનારે વ્યવસ્થા તૈયાર કરી દેવામાં આવે છે. પરંતુ ચાલુ વર્ષે છઠ પૂજાનો કાર્યક્રમ રદ્દ કરવાને કારણે જળાશયો સુમસામ જોવા મળી રહ્યા છે. કોરોનાને કારણે અગાઉ અનેક તહેવારો સાદગી પુર્ણ ઉજવવામાં આવ્યા હતા, જ્યારે રાજ્યભરમાં ધામધુમથી ઉજવવામાં આવતા નવરાત્રી પર્વની ઉજવણી ખુબ જ સીમીત કરી દેવામાં આવી હતી.
સુરતમાં વસતા લાખો લોકો દર વર્ષે છઠ પૂજન કરતા હોય છે
ચાલુ વર્ષે સામાજીક અંતર જાળવવું શક્ય ન હોવાને કારણે અગ્રણીઓ દ્વારા કાર્યક્રમ રદ્દ કરાયો
કોરોનાની બીજી વેવની શક્યતાઓ વચ્ચે જાહેર ઉજવણી રદ્દ કરવી સરાહનીય પગલું
સુરત. શહેરમાં વર્ષોથી વસતા યુપી બિહાર અને ઝારખંડના લોકો વર્ષોથી તાપી કિનારે છઠ પુજા કરતા હતા. પરંતુ આ વર્ષે કોરોના કારણે છઠ પૂજા સ્વૈચ્છિક રીતે રદ્દ કરવાનો નિર્ણય બિહાર વિકાસ પરિષદ દ્વારા લેવામાં આવ્યો છે. કોરોના બીજી વેવ આવવાની શક્યતા વચ્ચે તહેવારની ઉજવણી પર સ્વૈચ્છિક પ્રતિબંધ સરાહનીય પગલું છે.
દિવાળીના પાંચ દિવસ પછી છઠ પૂજા આવે છે. છઠ પૂજા ઉત્તર ભારતના લોકો હર્ષોઉલ્લાસથી દર વર્ષે ઉજવતા હોય છે. પૂજામાં બે દિવસ સુધી માતા-પિતા પોતાના સંતાનો માટે ઉપવાસ રાખતા હોય છે. સુરતમાં વસતા આઠ લાખ કરતાં પણ વધારે યુપી બિહાર અને ઝારખંડના લોકો દર વર્ષે તાપી કિનારે અને શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલા તળાવોમાં પૂજા કરે છે.
છઠ પુજા બાબતે બિહાર વિકાસ પરિષદના પ્રમુખ પ્રભુ નાથ પ્રસાદ યાદવે જણાવ્યું હતું કે, છઠ પૂજા માં બે દિવસના ઉપવાસ હોય છે. જેના કારણે શરીરમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ જતી હોય છે. છઠ પુજા કરવા માટે નદી અને તળાવના પાણીમાં ઉભા રહેવું પડે છે. અને આ પૂજા લાખોની સંખ્યામાં લોકો કરતા હોવાના કારણે સામાજિક અંતર રાખવું શક્ય નથી. આ કારણોથી આ વર્ષે છઠ પૂજા નો કાર્યક્રમ રદ કરવાનો જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, છઠ પૂજન નજીક આવતાજ નદી તથા તળાવ કિનારે વ્યવસ્થા તૈયાર કરી દેવામાં આવે છે. પરંતુ ચાલુ વર્ષે છઠ પૂજાનો કાર્યક્રમ રદ્દ કરવાને કારણે જળાશયો સુમસામ જોવા મળી રહ્યા છે. કોરોનાને કારણે અગાઉ અનેક તહેવારો સાદગી પુર્ણ ઉજવવામાં આવ્યા હતા, જ્યારે રાજ્યભરમાં ધામધુમથી ઉજવવામાં આવતા નવરાત્રી પર્વની ઉજવણી ખુબ જ સીમીત કરી દેવામાં આવી હતી.