પોલીસ ફોર્સનું નેતૃત્વ કરી રહેલા સુરત પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરે પણ રક્તદાન કરી અનોખુ ઉદાહરણ પુરૂ પાડ્યુ
1 ઓક્ટોબર, વિશ્વ રક્તદાન દિવસે સુરત પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું
વિશ્વ રક્તદાન નિમિતે સુરત પોલિસે રક્ત કેમ્પનું આયોજન અંબિકા નિકેતન મંદિર ખાતે કર્યું
સુરત. 1 ઓક્ટોબર એટલે વિશ્વ રક્તદાન દિવસ તરીકે ઉજવાય છે ત્યારે કોરોનાનની મહામારી વચ્ચે લોહી તાતી જરૂરિયાત હોવાથી સુરત પોલીસ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અને અન્ય લોકોને રક્તદાન કરવાનું આહવાન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં નેતૃત્વનું અનોખુ ઉદાહરણ પુરૂ પાડતી ઘટના સામે આવી હતી.જેમાં પોલીસ ફોર્સનું નેતૃત્વ કરી રહેલા સુરત પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરે પણ રક્તદાન કર્યું હતું.
પહેલી ઓક્ટોબર એટલે વિશ્વ રક્તદાન દિવસ તરીકે ઉજવાય છે ત્યારે હાલમાં કોરોના કહેર ચાલી રહ્યો છે રક્તની તાકી જરૂરિયાત હોવાથી સુરત પોલીસ જાતે આગળ આવીને એક રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું જેમાં કમિશનર અજય તોમર સહિત 32 જેટલા ઉચ્ચ અધિકારીઓ રક્તદાન કરીને વિશ્વ રક્તદાન ની ખરેખર ઉજવણી કરીને માનવતા નું ઉદાહરણ પૂરું પાડ્યું હતું જોકે સુરત પોલીસ કમિશનરે પણ પોતે રક્તદાન કરીને શહેરીજનો ને આહવાન કર્યું હતું કે હાલમાં કોરોના કહેર ને પગલે શહેરમાં રક્ત ની જરૂરિયાત હોવાથી દરેક લોકો આગળ આવીને રક્તદાન કરે તેવી અપીલ કરાઈ હતી.
જોકે વિશ્વ રક્તદાન નિમિતે સુરત પોલિસે રક્ત કેમ્પનું આયોજન અંબિકા નિકેતન મંદિર રાખીને સરાહનીય કામગીરી કરી હતી. જેમાં એસીપી.ડીસીપી,જોઈન્ટ સીપી અને સીપી સહિત ના અધિકારીઓ હાજરી આપીને રક્તદાન કરીને ઉમદા કાર્ય કર્યું છે. સામાન્ય રીતે રક્ત દાન કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં શહેર અગ્રણીઓ જોડાતા હોય છે. પરંતુ તેમાંથી રક્ત દાન કરનારાઓની સંખ્યા તેટલા પ્રમાણમાં હોતી નથી. પરંતુ સુરત પોલીસનું નેતૃત્વ કરી રહેલા પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરે જાતે જ રક્ત દાન કરી પ્રોત્સાહક કામ કર્યું હતું.
પોલીસ ફોર્સનું નેતૃત્વ કરી રહેલા સુરત પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરે પણ રક્તદાન કરી અનોખુ ઉદાહરણ પુરૂ પાડ્યુ
1 ઓક્ટોબર, વિશ્વ રક્તદાન દિવસે સુરત પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું
વિશ્વ રક્તદાન નિમિતે સુરત પોલિસે રક્ત કેમ્પનું આયોજન અંબિકા નિકેતન મંદિર ખાતે કર્યું
સુરત. 1 ઓક્ટોબર એટલે વિશ્વ રક્તદાન દિવસ તરીકે ઉજવાય છે ત્યારે કોરોનાનની મહામારી વચ્ચે લોહી તાતી જરૂરિયાત હોવાથી સુરત પોલીસ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અને અન્ય લોકોને રક્તદાન કરવાનું આહવાન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં નેતૃત્વનું અનોખુ ઉદાહરણ પુરૂ પાડતી ઘટના સામે આવી હતી.જેમાં પોલીસ ફોર્સનું નેતૃત્વ કરી રહેલા સુરત પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરે પણ રક્તદાન કર્યું હતું.
પહેલી ઓક્ટોબર એટલે વિશ્વ રક્તદાન દિવસ તરીકે ઉજવાય છે ત્યારે હાલમાં કોરોના કહેર ચાલી રહ્યો છે રક્તની તાકી જરૂરિયાત હોવાથી સુરત પોલીસ જાતે આગળ આવીને એક રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું જેમાં કમિશનર અજય તોમર સહિત 32 જેટલા ઉચ્ચ અધિકારીઓ રક્તદાન કરીને વિશ્વ રક્તદાન ની ખરેખર ઉજવણી કરીને માનવતા નું ઉદાહરણ પૂરું પાડ્યું હતું જોકે સુરત પોલીસ કમિશનરે પણ પોતે રક્તદાન કરીને શહેરીજનો ને આહવાન કર્યું હતું કે હાલમાં કોરોના કહેર ને પગલે શહેરમાં રક્ત ની જરૂરિયાત હોવાથી દરેક લોકો આગળ આવીને રક્તદાન કરે તેવી અપીલ કરાઈ હતી.
જોકે વિશ્વ રક્તદાન નિમિતે સુરત પોલિસે રક્ત કેમ્પનું આયોજન અંબિકા નિકેતન મંદિર રાખીને સરાહનીય કામગીરી કરી હતી. જેમાં એસીપી.ડીસીપી,જોઈન્ટ સીપી અને સીપી સહિત ના અધિકારીઓ હાજરી આપીને રક્તદાન કરીને ઉમદા કાર્ય કર્યું છે. સામાન્ય રીતે રક્ત દાન કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં શહેર અગ્રણીઓ જોડાતા હોય છે. પરંતુ તેમાંથી રક્ત દાન કરનારાઓની સંખ્યા તેટલા પ્રમાણમાં હોતી નથી. પરંતુ સુરત પોલીસનું નેતૃત્વ કરી રહેલા પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરે જાતે જ રક્ત દાન કરી પ્રોત્સાહક કામ કર્યું હતું.