પાંચ વર્ષ પહેલા અંગત અદાવતમાં કરવામાં આવેલી હત્યાનો ભેદ સુરત ક્રાઇમ બ્રાન્ચે ઉકેલ્યો
પોલીસે મુખ્ય સુત્રધાર સહિત 6 સામે ગુનો નોંધુ વધુ કાર્યવાહી શરૂ કરી
ઘરમાં દાદરા નીચે દાટી દેવાયેલી લાશના અવશેષોને મેળવી એફએસએલ તપાસ અર્થે મોકલાયા
સુરત. પાંચ વર્ષ પહેલા દિવાળી સમયે પાંડેસરા વિસ્તારમાં રહેતો શિવમ ઉર્ફે કિશન મુન્શિ ચૌહાણ ગુમ થયો હતો. જો કે પાંડેસરાની આશાપુરી સોસાયટીના વિભાગ 3 માં રહેતો બુટલેગર રાજીવસિંગ સુરજનસિંગ રાજપુતે સાથી 6 મિત્રો સાથે મળીને તેને મારી નાંખ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે પાંચ વર્ષ બાદ ચોક્કસ બાતમીના આધારે ગુનો ઉકેલી નાંખ્યો હતો. કેસ ઉકેલવા માટે કોઇ પણ પ્રકારની મિસીંગની જાહેરાત આપવામાં ન હતી. પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે સમગ્ર કેસ ઉકેલી નાંખ્યો હતો.
શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા આશાપુરી સોસાયટી વિભાગ-માં રાજુ બિહારી પોતાનુ મકાન ધરાવે છે. રાજીવ ઉર્ફે રાજેશ ઉર્ફે રાજુ બિહારી સુરજનસિંગ રાજપુત મુળ બિહારના બેગુસરાઇનો રહેવાસી છે. રાજુ બિહારી તેના વિસ્તારમાં દારૂનો વેચાણ કરવાના ગેરકાયદેસર ધંધા સાથે સંકળાયેલો હતો. જેમાં તેને શિવમ ઉર્ફે કિશન ચૌહાણ સાથે છેલ્લા ઘણા સમયથી અંગત અદાવત હતી. જેથી રાજુએ તેના સાગરીતો સાથે મળી શિવમ ઉર્ફે કિશનનુ ઢીમ ઢાળી દેવાનુ નક્કી કરી લીધુ હતુ.
દરમિયાન વર્ષ-2015 દિવાળીની આસપાસ રાજુ અને તેના સાગરીતો વિપુલ ઉર્ફે વિપુલ ભૈયા, અજય ઉર્ફે અંચલ, શૈલેન્દ્ર ઉર્ફે ગુડ્ડુ લંગડો, તથા મીટ્ટુ મામા અને ભગવાન માલીયા આશાપુરા વિભાગ-3માં આવેલા મકાનમાં ભેગા થયા હતા. જ્યાં શિવમ ઉર્ફે કિશનને રાજુ સહીત તેના તમામ સાગરીતોએ ભેગા મળી મુક્કા અને મુઢ માર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ત્યારબાદ શિવમની લાશનો કોઇને પત્તો ન મળે તે માટે રાજુએ પોતાના ઘરમાં જ શિવમની કબર ખોદી નાખી હતી.
રાજુએ ઉપરોક્ત સાગરીતો સહીત રાજેશસિંગ ઉર્ફે દદનસિંગ ઉર્ફે છોટુ ઉર્ફે હર હર મહાદેવ રાજપુતની મદદથી પોતાના ઘરમાં જ શિવમની લાશને દાદર નિચે દાટી દઇ ઉપર પ્લાસ્ટર મારી દીધુ હતુ. જોકે આ પાંચ વર્ષ સુધી લાશ દાટી રાખ્યાં છતાં કોઇને આ બાબતની જાણ સુધ્ધા થઇ ન હતી. તથા શિવમ ગુમ થયો હોવાની તેના પરિવારએ પોલીસમાં કોઇ પણ પ્રકારની અરજી કે ફરીયાદ પણ નોંધાવી ન હતી. તેવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચે દ્રશ્યમનો ભેદ ઉકેલી કાઢી રાજુ બિહારીને ઝડપી પાડી વધુ પુછતાછ હાથ ધરી છે.
પાંચ વર્ષ પહેલા અંગત અદાવતમાં કરવામાં આવેલી હત્યાનો ભેદ સુરત ક્રાઇમ બ્રાન્ચે ઉકેલ્યો
પોલીસે મુખ્ય સુત્રધાર સહિત 6 સામે ગુનો નોંધુ વધુ કાર્યવાહી શરૂ કરી
સુરત. પાંચ વર્ષ પહેલા દિવાળી સમયે પાંડેસરા વિસ્તારમાં રહેતો શિવમ ઉર્ફે કિશન મુન્શિ ચૌહાણ ગુમ થયો હતો. જો કે પાંડેસરાની આશાપુરી સોસાયટીના વિભાગ 3 માં રહેતો બુટલેગર રાજીવસિંગ સુરજનસિંગ રાજપુતે સાથી 6 મિત્રો સાથે મળીને તેને મારી નાંખ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે પાંચ વર્ષ બાદ ચોક્કસ બાતમીના આધારે ગુનો ઉકેલી નાંખ્યો હતો. કેસ ઉકેલવા માટે કોઇ પણ પ્રકારની મિસીંગની જાહેરાત આપવામાં ન હતી. પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે સમગ્ર કેસ ઉકેલી નાંખ્યો હતો.
શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા આશાપુરી સોસાયટી વિભાગ-માં રાજુ બિહારી પોતાનુ મકાન ધરાવે છે. રાજીવ ઉર્ફે રાજેશ ઉર્ફે રાજુ બિહારી સુરજનસિંગ રાજપુત મુળ બિહારના બેગુસરાઇનો રહેવાસી છે. રાજુ બિહારી તેના વિસ્તારમાં દારૂનો વેચાણ કરવાના ગેરકાયદેસર ધંધા સાથે સંકળાયેલો હતો. જેમાં તેને શિવમ ઉર્ફે કિશન ચૌહાણ સાથે છેલ્લા ઘણા સમયથી અંગત અદાવત હતી. જેથી રાજુએ તેના સાગરીતો સાથે મળી શિવમ ઉર્ફે કિશનનુ ઢીમ ઢાળી દેવાનુ નક્કી કરી લીધુ હતુ.
દરમિયાન વર્ષ-2015 દિવાળીની આસપાસ રાજુ અને તેના સાગરીતો વિપુલ ઉર્ફે વિપુલ ભૈયા, અજય ઉર્ફે અંચલ, શૈલેન્દ્ર ઉર્ફે ગુડ્ડુ લંગડો, તથા મીટ્ટુ મામા અને ભગવાન માલીયા આશાપુરા વિભાગ-3માં આવેલા મકાનમાં ભેગા થયા હતા. જ્યાં શિવમ ઉર્ફે કિશનને રાજુ સહીત તેના તમામ સાગરીતોએ ભેગા મળી મુક્કા અને મુઢ માર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ત્યારબાદ શિવમની લાશનો કોઇને પત્તો ન મળે તે માટે રાજુએ પોતાના ઘરમાં જ શિવમની કબર ખોદી નાખી હતી.
રાજુએ ઉપરોક્ત સાગરીતો સહીત રાજેશસિંગ ઉર્ફે દદનસિંગ ઉર્ફે છોટુ ઉર્ફે હર હર મહાદેવ રાજપુતની મદદથી પોતાના ઘરમાં જ શિવમની લાશને દાદર નિચે દાટી દઇ ઉપર પ્લાસ્ટર મારી દીધુ હતુ. જોકે આ પાંચ વર્ષ સુધી લાશ દાટી રાખ્યાં છતાં કોઇને આ બાબતની જાણ સુધ્ધા થઇ ન હતી. તથા શિવમ ગુમ થયો હોવાની તેના પરિવારએ પોલીસમાં કોઇ પણ પ્રકારની અરજી કે ફરીયાદ પણ નોંધાવી ન હતી. તેવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચે દ્રશ્યમનો ભેદ ઉકેલી કાઢી રાજુ બિહારીને ઝડપી પાડી વધુ પુછતાછ હાથ ધરી છે.