સુરતમાં સસ્તા ભાવે પ્લોટ આપવાનું સ્વપ્ન બતાવી અજિત સિંહ, યોગેશ સિંહ અને અનિલ પાટીલની ત્રિપુટીએ અનેક લોકોને રડાવ્યા
ગરીબોએ મહેનતથી કરેલી કમાણીના હપ્તા જ્યારે આ સપનાના પ્લોટ માટે પુરા થઈ જાય ત્યારે તેઓ હાથ ઊંચા કરી દે છે અને લોકોને ગોળગોળ જવાબો આપવાનું શરૂ કરે
મહેનતના પૈસા પરત મેળવવા માટે આખરે પોલીસ કમિશ્નરને આવેદન પત્ર આપી રજુઆત કરી
સુરત - શહેર અથવા બહાર જો તમને કોઈ પ્લોટ કે જમીન આપવાના સપના બતાવે તો દસ વાર વિચાર કરજો, કારણ કે સુરતમાં સક્રિય થઈ છે એવી ટોળકી કે જેની છેતરપિંડીનો અસંખ્ય લોકો ભોગ બન્યા છે. આ ટોળકીએ છેલ્લા વર્ષોમાં અસંખ્ય લોકોને સપનાના ઘર આપવાનો વાયદો આપી લાખો રૂપિયા ખંખેરી લીધા છે.
સનરાઈઝ ગ્રુપ ઓફ કંપની દ્વારા અનેક લોકોને સસ્તા ભાવે પ્લોટ આપવાનું કહીને છેતરપીંડી કરવામાં આવી હતી.કંપનીને અજિત સિંહ, યોગેશ સિંહ અને અનિલ પાટીલ ચલાવી રહ્યા છે. આ ત્રિપુટી રોજનું કમાવીને રોજનું રોજનું ખાતા ગરીબ અને મધ્યમવર્ગીય લોકોનો સંપર્ક કરીને તેમને સુરતના નવા સમાવિષ્ટ વિસ્તાર સચિન, પાલિગામ જેવા એરિયામાં પહેલાં તો પ્લોટની જગ્યા બતાવે, નજીવી કિંમતમાં આ પ્લોટ કેટલો સસ્તો પડશે તેવી લોભામણી વાતોમાં લાવીને તેમને આ પ્લોટ ખરીદવા પર મજબૂર કરે છે.
વાસ્તવમાં આ પ્લોટ ફક્ત કાગળ પર જ હોય છે, હકીકતમાં તેનું કોઈ અસ્તિત્વ હોતું નથી. ગરીબોએ મહેનતથી કરેલી કમાણીના હપ્તા જ્યારે આ સપનાના પ્લોટ માટે પુરા થઈ જાય ત્યારે તેઓ હાથ ઊંચા કરી દે છે અને લોકોને ગોળગોળ જવાબો આપવાનું શરૂ કરી દે છે. જો કોઈ તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવાની વાત કરે તો ડુપ્લીકેટ દસ્તાવેજ સાથેના બીજા પ્લોટ પધરાવી દે છે. તેમની આ મેલી દાનતથી જ અંદાજો લગાવી શકાય છે કે અત્યારસુધી તેમણે ગરીબો સાથે છેતરપિંડી કરીને કરોડો રૂપિયા ખંખેરી લીધા હશે.
ત્રિપુટી વિરુદ્ધ અસરગ્રસ્તોએ પોલીસ કમિશનરને આવેદન પત્ર આપીને કડક હાથે કાર્યવાહી કરીને ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપવા માંગ કરી છે. ભોગ બનનાર ગરીબ પરિવારોને સ્થાનિક ડીંડોલી અને ઉધના પોલીસ પર ભરોસો એટલે પણ નથી રહ્યો કે તેઓએ જાતે જ આરોપીને પકડીને પોલીસના હવાલે કર્યો હોવા છતાં કોઈપણ કાર્યવાહી કર્યા વગર સાંઠગાંઠથી તેને છોડી મુકવામાં આવ્યો હતો. અને આ માટે હવે તેઓ પોલીસ કમિશનરના શરણે આવ્યા છે. તેમની માંગ છે કે આ કૌભાંડ મામલે યોગ્ય તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવે અને જે ગરીબોના રૂપિયા આ કૌભાંડ અને છેતરપીંડીમાં ડૂબ્યા છે તેમને પાછા અપાવીને જવાબદારોને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે.
સુરતમાં સસ્તા ભાવે પ્લોટ આપવાનું સ્વપ્ન બતાવી અજિત સિંહ, યોગેશ સિંહ અને અનિલ પાટીલની ત્રિપુટીએ અનેક લોકોને રડાવ્યા
ગરીબોએ મહેનતથી કરેલી કમાણીના હપ્તા જ્યારે આ સપનાના પ્લોટ માટે પુરા થઈ જાય ત્યારે તેઓ હાથ ઊંચા કરી દે છે અને લોકોને ગોળગોળ જવાબો આપવાનું શરૂ કરે
મહેનતના પૈસા પરત મેળવવા માટે આખરે પોલીસ કમિશ્નરને આવેદન પત્ર આપી રજુઆત કરી
સુરત - શહેર અથવા બહાર જો તમને કોઈ પ્લોટ કે જમીન આપવાના સપના બતાવે તો દસ વાર વિચાર કરજો, કારણ કે સુરતમાં સક્રિય થઈ છે એવી ટોળકી કે જેની છેતરપિંડીનો અસંખ્ય લોકો ભોગ બન્યા છે. આ ટોળકીએ છેલ્લા વર્ષોમાં અસંખ્ય લોકોને સપનાના ઘર આપવાનો વાયદો આપી લાખો રૂપિયા ખંખેરી લીધા છે.
સનરાઈઝ ગ્રુપ ઓફ કંપની દ્વારા અનેક લોકોને સસ્તા ભાવે પ્લોટ આપવાનું કહીને છેતરપીંડી કરવામાં આવી હતી.કંપનીને અજિત સિંહ, યોગેશ સિંહ અને અનિલ પાટીલ ચલાવી રહ્યા છે. આ ત્રિપુટી રોજનું કમાવીને રોજનું રોજનું ખાતા ગરીબ અને મધ્યમવર્ગીય લોકોનો સંપર્ક કરીને તેમને સુરતના નવા સમાવિષ્ટ વિસ્તાર સચિન, પાલિગામ જેવા એરિયામાં પહેલાં તો પ્લોટની જગ્યા બતાવે, નજીવી કિંમતમાં આ પ્લોટ કેટલો સસ્તો પડશે તેવી લોભામણી વાતોમાં લાવીને તેમને આ પ્લોટ ખરીદવા પર મજબૂર કરે છે.
વાસ્તવમાં આ પ્લોટ ફક્ત કાગળ પર જ હોય છે, હકીકતમાં તેનું કોઈ અસ્તિત્વ હોતું નથી. ગરીબોએ મહેનતથી કરેલી કમાણીના હપ્તા જ્યારે આ સપનાના પ્લોટ માટે પુરા થઈ જાય ત્યારે તેઓ હાથ ઊંચા કરી દે છે અને લોકોને ગોળગોળ જવાબો આપવાનું શરૂ કરી દે છે. જો કોઈ તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવાની વાત કરે તો ડુપ્લીકેટ દસ્તાવેજ સાથેના બીજા પ્લોટ પધરાવી દે છે. તેમની આ મેલી દાનતથી જ અંદાજો લગાવી શકાય છે કે અત્યારસુધી તેમણે ગરીબો સાથે છેતરપિંડી કરીને કરોડો રૂપિયા ખંખેરી લીધા હશે.
ત્રિપુટી વિરુદ્ધ અસરગ્રસ્તોએ પોલીસ કમિશનરને આવેદન પત્ર આપીને કડક હાથે કાર્યવાહી કરીને ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપવા માંગ કરી છે. ભોગ બનનાર ગરીબ પરિવારોને સ્થાનિક ડીંડોલી અને ઉધના પોલીસ પર ભરોસો એટલે પણ નથી રહ્યો કે તેઓએ જાતે જ આરોપીને પકડીને પોલીસના હવાલે કર્યો હોવા છતાં કોઈપણ કાર્યવાહી કર્યા વગર સાંઠગાંઠથી તેને છોડી મુકવામાં આવ્યો હતો. અને આ માટે હવે તેઓ પોલીસ કમિશનરના શરણે આવ્યા છે. તેમની માંગ છે કે આ કૌભાંડ મામલે યોગ્ય તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવે અને જે ગરીબોના રૂપિયા આ કૌભાંડ અને છેતરપીંડીમાં ડૂબ્યા છે તેમને પાછા અપાવીને જવાબદારોને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે.