દુર્લભ વન્ય પ્રાણી ઓ ને નાશપ્રાયઃ થતા બચાવવા માટે વનવિભાગ કાયદાઓ બનાવી રક્ષણ આપવા છત્તા અંધશ્રદ્ધાના નામે વેપલો ચાલુ
નવસારી વન વિભાગે કીડીખાઉં વેચવા જતા 6 ને ઝડપ્યા
પ્રાણી લે-વેચ કરતા આંતર રાજ્ય સભ્યોનો સમાવેશ
સુરત .દુર્લભ વન્ય પ્રાણીઓ ને નાશપ્રાયઃ થતા બચાવવા માટે વનવિભાગ કાયદાઓ બનાવી રક્ષણ કરી રહ્યું છે. ત્યારે 21 મી સદી માં પણ અંધશ્રદ્ધા મા માનતા લોકો વન્ય પ્રાણી ઓ નો ધાર્મિક વિધિ માં ઉપયોગ કરતા હોય છે. નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના સડોદરા ગામે નાગપુર થી કીડીખાઉં વેચાણ કરવા આવેલી ટોળકી વનવિભાગ ના સકંજામાં આવી ગઈ છે. અંધશ્રદ્ધાને પોષવા માટે રૂ. 35 લાખની કિંમતના કીડીખાઉં વેચવા જતા 6 ઝડપાયા.
21 મી સદી ના આધુનિક જમાનામાં પણ વન્યપ્રાણીઓ નો અંધશ્રધ્ધાળુઓ વિવિધ માન્યતાઓ પ્રમાણે ઉપયોગ કરતા હોય છે જેમાં નવસારી વન વિભાગે કીડીખાઉં વન્ય પ્રાણી કે જે નાશ થાવના આરે આવેલી પ્રજાતિ માનવામાં આવે છે. એનો ધાર્મિક વિધિમાં ઉપયોગમાં લેવાના છે અને મુંબઈ ના નાગપુર થી 4 ઈસમો વેચવા માટે આવ્યા હોવાની બાતમી ને આધારે ધરપકડ કરી છે. કીડીખાઉં પ્રાણી ની વિવિધ દવાઓ બનાવવા માટે ઉપયોગ માં લેવામાં આવે છે. અને ધાર્મીક માન્યતા પ્રમાણે પૈસાનો વરસાદ કરવા માટે વપરાતું હોવાનું પણ માનવામાં આવે છે.
આરોપીઓ કીડીખાઉં નો પૈસા છાપવાની વિધિ કરવાની પેરવી કરી રહયા હોવાની બાતમીના આધારે નવસારી વનવિભાગે છાપો માર્યો હતો. જેમાં ફાર્મ હાઇસ માં ધાર્મિક વિધી માટે સુરત ના 2 અને નાગપુર થી આવેલા 4 આરોપીઓ પેરવી કરી રહયા હતા. બાતમીના આધારે તમામ આરોપીઓ ની ધરપકડ કરી છે આરોપીઓ વિરુદ્ધ વન્યપ્રાણી સુરક્ષા ધારા મુજબ ગુનો નોંધાયો છે. આ કીડીખાઉં ની બજાર કિંમત 35 લાખ માનવામાં આવી રહી છે આરોપીઓને કોર્ટમાં હાજર કરતા કોર્ટે અઢી દિવસ ના રીમાન્ડ પણ આપવામાં આવ્યા છે.
આરોપીઓ ના નામ-
1 જગદીશ નારાયણ રાવ વવારે ( અમરાવતી, નાગપુર )
2 સતીશ વાવરે ( અમરાવતી , નાગપુર)
3 પ્રફુલ શિવાદાસ વાવરે ( અમરાવતી , નાગપુર )
4 ગુલામ મહંમદ લીંબાયત, સુરત
5 અખ્તર ખાન પઠાણ , સુરત
6 ભગવાન રાઠોડ ( સાતેમ , નવસારી )
દુર્લભ વન્ય પ્રાણી ઓ ને નાશપ્રાયઃ થતા બચાવવા માટે વનવિભાગ કાયદાઓ બનાવી રક્ષણ આપવા છત્તા અંધશ્રદ્ધાના નામે વેપલો ચાલુ
નવસારી વન વિભાગે કીડીખાઉં વેચવા જતા 6 ને ઝડપ્યા
પ્રાણી લે-વેચ કરતા આંતર રાજ્ય સભ્યોનો સમાવેશ
સુરત .દુર્લભ વન્ય પ્રાણીઓ ને નાશપ્રાયઃ થતા બચાવવા માટે વનવિભાગ કાયદાઓ બનાવી રક્ષણ કરી રહ્યું છે. ત્યારે 21 મી સદી માં પણ અંધશ્રદ્ધા મા માનતા લોકો વન્ય પ્રાણી ઓ નો ધાર્મિક વિધિ માં ઉપયોગ કરતા હોય છે. નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના સડોદરા ગામે નાગપુર થી કીડીખાઉં વેચાણ કરવા આવેલી ટોળકી વનવિભાગ ના સકંજામાં આવી ગઈ છે. અંધશ્રદ્ધાને પોષવા માટે રૂ. 35 લાખની કિંમતના કીડીખાઉં વેચવા જતા 6 ઝડપાયા.
21 મી સદી ના આધુનિક જમાનામાં પણ વન્યપ્રાણીઓ નો અંધશ્રધ્ધાળુઓ વિવિધ માન્યતાઓ પ્રમાણે ઉપયોગ કરતા હોય છે જેમાં નવસારી વન વિભાગે કીડીખાઉં વન્ય પ્રાણી કે જે નાશ થાવના આરે આવેલી પ્રજાતિ માનવામાં આવે છે. એનો ધાર્મિક વિધિમાં ઉપયોગમાં લેવાના છે અને મુંબઈ ના નાગપુર થી 4 ઈસમો વેચવા માટે આવ્યા હોવાની બાતમી ને આધારે ધરપકડ કરી છે. કીડીખાઉં પ્રાણી ની વિવિધ દવાઓ બનાવવા માટે ઉપયોગ માં લેવામાં આવે છે. અને ધાર્મીક માન્યતા પ્રમાણે પૈસાનો વરસાદ કરવા માટે વપરાતું હોવાનું પણ માનવામાં આવે છે.
આરોપીઓ કીડીખાઉં નો પૈસા છાપવાની વિધિ કરવાની પેરવી કરી રહયા હોવાની બાતમીના આધારે નવસારી વનવિભાગે છાપો માર્યો હતો. જેમાં ફાર્મ હાઇસ માં ધાર્મિક વિધી માટે સુરત ના 2 અને નાગપુર થી આવેલા 4 આરોપીઓ પેરવી કરી રહયા હતા. બાતમીના આધારે તમામ આરોપીઓ ની ધરપકડ કરી છે આરોપીઓ વિરુદ્ધ વન્યપ્રાણી સુરક્ષા ધારા મુજબ ગુનો નોંધાયો છે. આ કીડીખાઉં ની બજાર કિંમત 35 લાખ માનવામાં આવી રહી છે આરોપીઓને કોર્ટમાં હાજર કરતા કોર્ટે અઢી દિવસ ના રીમાન્ડ પણ આપવામાં આવ્યા છે.