સુરત મહાનગર પાલીકાની સ્થાપના વર્ષ 1966 માં કરવામાં આવી હતી. ત્યારથી મુગલીસરાઈ મનપાની મુખ્ય કચેરી છે
પ્લેગ, પુર, કોમી રમખાણો જેવી કુદરતી અને માનવસર્જિત સમસ્યાઓ સમયે પણ અહીં જ સામાન્ય સભા મળતી હતી
કોરોનાના કારણે સોશિયલ ડિસ્ટનસિંગ જરૂરી હોવાના લીધે મનપાની સામાન્ય સભા 700 બેઠક વાળા પાલ ખાતે આવેલા સંજીવકુમાર ઓડિટોરિયમમાં રાખવામાં આવી
સુરત. કોરોનાને કારણે લોકોની જીવનશૈલી અને કાર્યશૈલી બદલાઈ ગઈ છે. ત્યાં 1966માં સુરત મહાનગરપાલિકાની સ્થાપના કરવામાં આવી ત્યારથી લઈને અત્યારસુધી 54 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર સુરત મનપાની સામાન્ય સભા મુખ્ય કચેરીમાં જ થતી હતી. પણ આ વખતે પહેલીવાર મનપાની સામાન્ય સભા મુખ્ય કચેરી બહાર સ્વ.સંજીવકુમાર ઓડિટોરિયમમાં થવા જઈ રહી છે.
સુરત મહાનગર પાલીકાની સ્થાપના વર્ષ 1966 માં કરવામાં આવી હતી. ત્યારથી મુગલીસરાઈ મનપાની મુખ્ય કચેરી છે. ત્યારથી અહીં જ સામાન્ય સભાનું આયોજન થતું આવ્યું છે. અત્યાર સુધી પ્લેગ, પુર, કોમી રમખાણો જેવી કુદરતી અને માનવસર્જિત સમસ્યાઓ સમયે પણ અહીં જ સામાન્ય સભા મળતી આવી છે.
પણ આ વખતે કોરોનાના કારણે સોશિયલ ડિસ્ટનસિંગ જરૂરી હોવાના લીધે મનપાની સામાન્ય સભા 700 બેઠક વાળા પાલ ખાતે આવેલા સંજીવકુમાર ઓડિટોરિયમમાં રાખવામાં આવી છે. સામાન્ય સભા જ્યાં પણ મળે તે મનપાનું હેડ ક્વાર્ટર કહેવાય છે, એટલે તે સ્થળે ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવવો જરૂરી છે અને સુરત મનપાની સામાન્ય સભા થાય ત્યાં સુધી રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે.
3 ઓક્ટોબરે સામાન્ય સભા સંજીવકુમાર ઓડિટોરિયમમાં મળવાની છે. ત્યાં મનપા કમિશનર અને પાંચ અધિકારી ધ્વજ ફરકાવશે. અને તે પછી સામાન્ય સભા શરૂ થશે..
સુરત મહાનગર પાલીકાની સ્થાપના વર્ષ 1966 માં કરવામાં આવી હતી. ત્યારથી મુગલીસરાઈ મનપાની મુખ્ય કચેરી છે
પ્લેગ, પુર, કોમી રમખાણો જેવી કુદરતી અને માનવસર્જિત સમસ્યાઓ સમયે પણ અહીં જ સામાન્ય સભા મળતી હતી
કોરોનાના કારણે સોશિયલ ડિસ્ટનસિંગ જરૂરી હોવાના લીધે મનપાની સામાન્ય સભા 700 બેઠક વાળા પાલ ખાતે આવેલા સંજીવકુમાર ઓડિટોરિયમમાં રાખવામાં આવી
સુરત. કોરોનાને કારણે લોકોની જીવનશૈલી અને કાર્યશૈલી બદલાઈ ગઈ છે. ત્યાં 1966માં સુરત મહાનગરપાલિકાની સ્થાપના કરવામાં આવી ત્યારથી લઈને અત્યારસુધી 54 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર સુરત મનપાની સામાન્ય સભા મુખ્ય કચેરીમાં જ થતી હતી. પણ આ વખતે પહેલીવાર મનપાની સામાન્ય સભા મુખ્ય કચેરી બહાર સ્વ.સંજીવકુમાર ઓડિટોરિયમમાં થવા જઈ રહી છે.
સુરત મહાનગર પાલીકાની સ્થાપના વર્ષ 1966 માં કરવામાં આવી હતી. ત્યારથી મુગલીસરાઈ મનપાની મુખ્ય કચેરી છે. ત્યારથી અહીં જ સામાન્ય સભાનું આયોજન થતું આવ્યું છે. અત્યાર સુધી પ્લેગ, પુર, કોમી રમખાણો જેવી કુદરતી અને માનવસર્જિત સમસ્યાઓ સમયે પણ અહીં જ સામાન્ય સભા મળતી આવી છે.
પણ આ વખતે કોરોનાના કારણે સોશિયલ ડિસ્ટનસિંગ જરૂરી હોવાના લીધે મનપાની સામાન્ય સભા 700 બેઠક વાળા પાલ ખાતે આવેલા સંજીવકુમાર ઓડિટોરિયમમાં રાખવામાં આવી છે. સામાન્ય સભા જ્યાં પણ મળે તે મનપાનું હેડ ક્વાર્ટર કહેવાય છે, એટલે તે સ્થળે ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવવો જરૂરી છે અને સુરત મનપાની સામાન્ય સભા થાય ત્યાં સુધી રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે.
3 ઓક્ટોબરે સામાન્ય સભા સંજીવકુમાર ઓડિટોરિયમમાં મળવાની છે. ત્યાં મનપા કમિશનર અને પાંચ અધિકારી ધ્વજ ફરકાવશે. અને તે પછી સામાન્ય સભા શરૂ થશે..