ઘરડા ઘરમાં રહેતા વૃદ્ધનું નિધન થતા ઘરડા ઘરની બહેનોએ વૃદ્ધાની અંતિમ વિધિ કરી પાર્થિવ દેહને મુખાગ્નિ આપી
74 વર્ષીય લલીતાબા ગોપાલભાઈ રાઠોડ ઘરડાઘરમાં 3 વર્ષથી રહેતા હતાં
WatchGujarat. Surat - વરાછા વિસ્તારમાં આવેલા શાંતિદૂત મહિલા મંડળ સંચાલિત ઘરડા ઘરમાં રહેતા વૃદ્ધનું નીધન થતા શાંતિદૂત મહિલા મંડળની બહેનોએ કાંધ આપીને 74 વર્ષિય લલીતાબાના પાર્થિવ દેહને મુખાગ્નિ આપી હતી.
સામાન્ય રીતે મહિલાઓને અંતિમવિધિ માટે સ્મશાનમાં જવાનું હોતું નથી. પરંતુ સુરતમાં આવેલા ઘરડા ઘરમાં રહેતા વૃદ્ધનું નિધન થતા ઘરડા ઘરની બહેનોએ વૃદ્ધાની અંતિમ વિધિ કરી પાર્થિવ દેહને મુખાગ્નિ આપી હતી. સુરતના વરાછા વિસ્તારમાં આવેલા લંબેહનુમાન રોડ પર રામકૃષ્ણ સોસાયટીમાં શાંતિદૂત મહિલા મંડળ ઘરડાઘરમાં વૃદ્ધ અને નિરાધાર મહિલાઓને આશરો આપવામાં આવે છે.
મંડળના પ્રમુખ મધુબેન ખેની અને તેમના સાથીઓ દ્વારા ઘરડાઓની સેવા કર્યા બાદ તેમના અંતિમ સંસ્કાર પણ જાતે જ કરવામાં આવે છે. તેથી ઘરડાઘરની અન્ય મહિલાઓએ પણ કાંધ આપીને 74 વર્ષિય લલીતાબાના પાર્થિવ દેહને મુખાગ્નિ આપી હતી. 74 વર્ષીય લલીતાબા ગોપાલભાઈ રાઠોડ ઘરડાઘરમાં 3 વર્ષથી રહેતા હતાં. જેમનું રાત્રે અઢી વાગ્યે અવસાન થયું હતું. તેમની સ્મશાન યાત્રા બુધવારે બપોરે 11 વાગ્યે નીકળી હતી. જેમાં આશ્રમમાં રહેતી મહિલાઓ અને કાર્યકરો તથા પ્રમુખ મધુબેન ખેની પણ જોડાયા હતાં. લલીતા બા છેલ્લા દોઢ વર્ષથી પથારીવશ હતાં.સંસ્થાના કાર્યકરે જણાવ્યું હતું કે, પુત્ર ન કરી શકે તેવી સેવા સંસ્થાના પ્રમુખ મધુબેન દ્વારા કરવામાં આવતી હતી. #Surat
https://youtu.be/IQFWkNg30QA
ઘરડ઼ાઘરમાં કોઈ પણ માતા મૃત્યુ પામે તો તેની તમામ ક્રિયા અને બધી જ જવાબદારી સંસ્થા દ્વારા જ ઉઠાવવામાં આવે છે. એટલુ જ નહી પણ મધુબેન ખેની શ્રવણ બનીને માતાને પોતાની કાંધ આપે છે. અત્યાર સુધીમાં સંસ્થામાંથી 8 માતાઓના અવસાન થયા છે. #Surat
74 વર્ષિય લલીતાબાને ૩ વર્ષ અગાઉ તેઓની પુત્રી હર્ષા ત્યાં મૂકી ગયી હતી અને ત્યાં મુક્યા બાદ આજદિન સુધી કોઈ ખબર અંતર પૂછ્યા ન હતા તેમજ જયારે લલીતાબાનું નિધન થયું ત્યારે મંડળ દ્વારા મુંબઈ ખાતે રહેતા તેઓની પુત્રી જાણ કરાઈ હતી પરંતુ તેણે સુરત આવવાની ના કહી દીધી હતી વધુમાં જાણવા મળ્યું હતું કે તેઓની પુત્રીએ તમામ પ્રોપટી લખાવી લીધા બાદ અહી ઘરડા ઘરમાં મૂકી ગયી હતી અને ત્યારબાદ કોઈ જ ખબર અંતર પણ પૂછ્યા ન હતા
More #Old Women #Funeral #Shantidut Mahila mandal #Surat News
ઘરડા ઘરમાં રહેતા વૃદ્ધનું નિધન થતા ઘરડા ઘરની બહેનોએ વૃદ્ધાની અંતિમ વિધિ કરી પાર્થિવ દેહને મુખાગ્નિ આપી
WatchGujarat. Surat - વરાછા વિસ્તારમાં આવેલા શાંતિદૂત મહિલા મંડળ સંચાલિત ઘરડા ઘરમાં રહેતા વૃદ્ધનું નીધન થતા શાંતિદૂત મહિલા મંડળની બહેનોએ કાંધ આપીને 74 વર્ષિય લલીતાબાના પાર્થિવ દેહને મુખાગ્નિ આપી હતી.
સામાન્ય રીતે મહિલાઓને અંતિમવિધિ માટે સ્મશાનમાં જવાનું હોતું નથી. પરંતુ સુરતમાં આવેલા ઘરડા ઘરમાં રહેતા વૃદ્ધનું નિધન થતા ઘરડા ઘરની બહેનોએ વૃદ્ધાની અંતિમ વિધિ કરી પાર્થિવ દેહને મુખાગ્નિ આપી હતી. સુરતના વરાછા વિસ્તારમાં આવેલા લંબેહનુમાન રોડ પર રામકૃષ્ણ સોસાયટીમાં શાંતિદૂત મહિલા મંડળ ઘરડાઘરમાં વૃદ્ધ અને નિરાધાર મહિલાઓને આશરો આપવામાં આવે છે.
મંડળના પ્રમુખ મધુબેન ખેની અને તેમના સાથીઓ દ્વારા ઘરડાઓની સેવા કર્યા બાદ તેમના અંતિમ સંસ્કાર પણ જાતે જ કરવામાં આવે છે. તેથી ઘરડાઘરની અન્ય મહિલાઓએ પણ કાંધ આપીને 74 વર્ષિય લલીતાબાના પાર્થિવ દેહને મુખાગ્નિ આપી હતી. 74 વર્ષીય લલીતાબા ગોપાલભાઈ રાઠોડ ઘરડાઘરમાં 3 વર્ષથી રહેતા હતાં. જેમનું રાત્રે અઢી વાગ્યે અવસાન થયું હતું. તેમની સ્મશાન યાત્રા બુધવારે બપોરે 11 વાગ્યે નીકળી હતી. જેમાં આશ્રમમાં રહેતી મહિલાઓ અને કાર્યકરો તથા પ્રમુખ મધુબેન ખેની પણ જોડાયા હતાં. લલીતા બા છેલ્લા દોઢ વર્ષથી પથારીવશ હતાં.સંસ્થાના કાર્યકરે જણાવ્યું હતું કે, પુત્ર ન કરી શકે તેવી સેવા સંસ્થાના પ્રમુખ મધુબેન દ્વારા કરવામાં આવતી હતી. #Surat
ઘરડ઼ાઘરમાં કોઈ પણ માતા મૃત્યુ પામે તો તેની તમામ ક્રિયા અને બધી જ જવાબદારી સંસ્થા દ્વારા જ ઉઠાવવામાં આવે છે. એટલુ જ નહી પણ મધુબેન ખેની શ્રવણ બનીને માતાને પોતાની કાંધ આપે છે. અત્યાર સુધીમાં સંસ્થામાંથી 8 માતાઓના અવસાન થયા છે. #Surat
74 વર્ષિય લલીતાબાને ૩ વર્ષ અગાઉ તેઓની પુત્રી હર્ષા ત્યાં મૂકી ગયી હતી અને ત્યાં મુક્યા બાદ આજદિન સુધી કોઈ ખબર અંતર પૂછ્યા ન હતા તેમજ જયારે લલીતાબાનું નિધન થયું ત્યારે મંડળ દ્વારા મુંબઈ ખાતે રહેતા તેઓની પુત્રી જાણ કરાઈ હતી પરંતુ તેણે સુરત આવવાની ના કહી દીધી હતી વધુમાં જાણવા મળ્યું હતું કે તેઓની પુત્રીએ તમામ પ્રોપટી લખાવી લીધા બાદ અહી ઘરડા ઘરમાં મૂકી ગયી હતી અને ત્યારબાદ કોઈ જ ખબર અંતર પણ પૂછ્યા ન હતા
More #Old Women #Funeral #Shantidut Mahila mandal #Surat News