પાથરણું કરીને શાકભાજી વેચતા લોકોને માર મારવાનો આક્ષેપ
આટલો મોટો દંડ કેમ ભરીએ અને અમારે ઘર કેમ ચલાવવું ? - લારી ચાલકોનો તંત્રને પ્રશ્ન
WatchGujarat. સુરતના ત્રિકમનગર પાસે રોડ પર પાથરણું કરીને શાકભાજી વેચતા લોકોને માર મારવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. લોકોએ જણાવ્યું હતું કે અહી દબાણ ખાતા વાળા ખોટી રીતે હેરાન કરે છે. દરરોજ આવીને લારી જાય છે અને 1 હજાર રૂપિયાની રસીદ આપી જાય છે. અમે રોજના ૨૦૦ રૂપિયા માંડ કમાઈએ છીએ. ત્યારે હવે આટલો મોટો દંડ કેમ ભરીએ અને અમારે ઘર કેમ ચલાવવું ?
વરાછા ત્રિકમનગરમાં શાકભાજીવાળા પાથરણું કરીને શાકભાજી વહેચે છે. પરંતુ મનપાના દબાણખાતાના અધિકારીઓ અહી આવે છે. અને માલ સહીત લારી ઉચકીને લઇ જાય છે. આ ઉપરાંત 1 હજાર રૂપિયા સુધીની રસીદ આપી દે છે. શાકભાજી વાળાએ જણાવ્યું હતું કે, કોરોનાને લઈને તેઓની આર્થિક સ્થિતિ ખુબ જ ખરાબ છે અહી શાકભાજી વહેચી રોજના માંડ 200 રૂપિયા કમાઈ રહ્યા છે ત્યારે 1 હજાર રૂપિયાનો દંડ કેવી રીતે ભરવાના અમે ?
https://twitter.com/WatchGujarat/status/1339529652906258433?s=19
ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે અહી દબાણખાતા વાળા રોજ ખોટી રીતે હેરાન કરે છે અને લારીઓ ઉપાડીને લઇ જાય છે. અમે ભાડે રહીએ છીએ, અમારી લારી પણ આવી રીતે ઉપાડીને લઇ જાય તો અમારે ઘર કેમ ચલાવવું ? અહી આવીને સીધા મારવા જ લાગે છે. જેથી અમારે ના છૂટકે ભાગમભાગ કરવી પડે છે. આજે પણ ત્રિકમનગરમાં દબાણખાતાના અધિકારીઓ પહોચ્યા હતા જેને લઈને ફેરિયાઓમાં નાસભાગ મચી ગયી હતી. જ્યાં એક કિશોરને માર મારવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. કિશોરને માર મારતા CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. કિશોરને માર મારતા તેની પીઠ પર ઈજાના નિશાન પણ દેખાય આવ્યા હતા. ત્યારે તંત્રની આ પ્રકારની કામગીરી કેટલી યોગ્ય છે તે એક મોટો સવાલ છે.
પાથરણું કરીને શાકભાજી વેચતા લોકોને માર મારવાનો આક્ષેપ
WatchGujarat. સુરતના ત્રિકમનગર પાસે રોડ પર પાથરણું કરીને શાકભાજી વેચતા લોકોને માર મારવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. લોકોએ જણાવ્યું હતું કે અહી દબાણ ખાતા વાળા ખોટી રીતે હેરાન કરે છે. દરરોજ આવીને લારી જાય છે અને 1 હજાર રૂપિયાની રસીદ આપી જાય છે. અમે રોજના ૨૦૦ રૂપિયા માંડ કમાઈએ છીએ. ત્યારે હવે આટલો મોટો દંડ કેમ ભરીએ અને અમારે ઘર કેમ ચલાવવું ?
વરાછા ત્રિકમનગરમાં શાકભાજીવાળા પાથરણું કરીને શાકભાજી વહેચે છે. પરંતુ મનપાના દબાણખાતાના અધિકારીઓ અહી આવે છે. અને માલ સહીત લારી ઉચકીને લઇ જાય છે. આ ઉપરાંત 1 હજાર રૂપિયા સુધીની રસીદ આપી દે છે. શાકભાજી વાળાએ જણાવ્યું હતું કે, કોરોનાને લઈને તેઓની આર્થિક સ્થિતિ ખુબ જ ખરાબ છે અહી શાકભાજી વહેચી રોજના માંડ 200 રૂપિયા કમાઈ રહ્યા છે ત્યારે 1 હજાર રૂપિયાનો દંડ કેવી રીતે ભરવાના અમે ?
ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે અહી દબાણખાતા વાળા રોજ ખોટી રીતે હેરાન કરે છે અને લારીઓ ઉપાડીને લઇ જાય છે. અમે ભાડે રહીએ છીએ, અમારી લારી પણ આવી રીતે ઉપાડીને લઇ જાય તો અમારે ઘર કેમ ચલાવવું ? અહી આવીને સીધા મારવા જ લાગે છે. જેથી અમારે ના છૂટકે ભાગમભાગ કરવી પડે છે. આજે પણ ત્રિકમનગરમાં દબાણખાતાના અધિકારીઓ પહોચ્યા હતા જેને લઈને ફેરિયાઓમાં નાસભાગ મચી ગયી હતી. જ્યાં એક કિશોરને માર મારવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. કિશોરને માર મારતા CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. કિશોરને માર મારતા તેની પીઠ પર ઈજાના નિશાન પણ દેખાય આવ્યા હતા. ત્યારે તંત્રની આ પ્રકારની કામગીરી કેટલી યોગ્ય છે તે એક મોટો સવાલ છે.