રાજકોટની કોવિડ હોસ્પિટલમાં અગ્નિકાંડ બાદ સુરતનો ફાયર વિભાગ હરકતમાં
ટ્રાઇડેન્ટ હોસ્પિટલને સેફટીના અભાવે સીલ કરવામાં આવી
મિલકતનો પ્લાન મંજૂર કરાવનાર આર્કિટેક્ટ પ્રદીપભાઈ સનમુખભાઈ ચોકસીનું રજિસ્ટર્ડ ઇજનેર તરીકેનું લાઇસન્સ સસ્પેન્ડ
ફાયરસેફટીની સુવિધા અપૂર્તિ હોવાને કારણે કોવિડનાં બેડની ફાળવણી પણ ૨દ કરવામાં આવી
ફાયરસેફ્ટીના અભાવને લઈને શહેરની ઘણી હોસ્પિટલોને નોટિસ પણ ફટકારવામાં આવી
WatchGujarat. રાજકોટની કોવિડ હોસ્પિટલમાં અગ્નિકાંડ બાદ સુરતનો ફાયર વિભાગ હરકતમાં આવી ગયો હતો. ફાયર વિભાગે શહેરની હોસ્પિટલમાં તપાસ ચાલુ કરી દીધી હતી. જે અંતર્ગત ફાયર વિભાગે મજૂરાગેટ પાસે રહેણાક પ્લાનમાં હેતુફેર કરી ચલાવાતી ટ્રાઇડેન્ટ હોસ્પિટલને સેફટીના અભાવે સીલ કરી છે. આ ઉપરાંત તપાસ દરમિયાન ફાયરસેફ્ટીના અભાવને લઈને શહેરની ઘણી હોસ્પિટલોને નોટિસ પણ ફટકારવામાં આવી છે.
રાજકોટ, વડોદરા અને અમદાવાદની કોવિડ કેર હોસ્પિટલમાં આગના બનાવો બન્યા હતા. જેમાં અમદાવાદ, રાજકોટની કોવીડકેર હોસ્પિટલના અગ્નિકાંડમાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્યારે સુરતમાં આવી ઘટનાના બને તેના ભાગરૂપે સુરત ફાયર વિભાગ હરકતમાં આવ્યા હતું. ણ શહેરની વિવિધ હોસ્પિટલની ફાયર સેફ્ટિને લઇને તપાસ હાથ ધરી હતી. જેમાં મજૂરાગેટ કૈલાસનગરની ટ્રાઇડેન્ટ હોસ્પિટલમાં ફાયર સેફ્ટિનો અભાવ જોવા મળતા તેને સેન્ટ્રલ ઝોન દ્વારા સીલ કરવામાં આવી છે.
હરિનગર સોસાયટીના પ્લોટ નં.1 ૫૨ પાંચ માળની ટ્રાઈડેન્ટ હોસ્પિટલ આવેલી છે. આ રહેણાક મિલકતમાં હેતુફેર કરી હોસ્પિટલ ચલાવાઇ રહી હતી. જેથી મિલકતના બેઝમેન્ટ, ત્રીજો માળ, પાંચમો માળ, એ.સી.રૂમ અને બીજા માળે ઓપરેશન થિયેટર સહિતના ભાગને ફાયર સેફટીના અભાવે ફાયર વિભાગ દ્વારા સીલ કરવામાં આવ્યો છે. બાકીના માળ ઉપર આઈ.સી.યુ. અને જનરલ વોર્ડના દર્દીઓને ત્રણ દિવસમાં અન્ય હોસ્પિટલમાં સ્થળાંતર કરવા સૂચના આપી છે.
જેથી મુદત પૂર્ણ થતાં જ મિલકતના બાકીના ભાગને પણ સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ મિલકતમાં ફાયરસેફટીની સુવિધા અપૂર્તિ હોવાને કારણે કોવિડનાં બેડની ફાળવણી પણ ૨દ કરવામાં આવી હતી. ઉપરાંત આ મિલકતનો પ્લાન મંજૂર કરાવનાર આર્કિટેક્ટ પ્રદીપભાઈ સનમુખભાઈ ચોકસીનું રજિસ્ટર્ડ ઇજનેર તરીકેનું લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.
રાજકોટની કોવિડ હોસ્પિટલમાં અગ્નિકાંડ બાદ સુરતનો ફાયર વિભાગ હરકતમાં
ટ્રાઇડેન્ટ હોસ્પિટલને સેફટીના અભાવે સીલ કરવામાં આવી
ફાયરસેફટીની સુવિધા અપૂર્તિ હોવાને કારણે કોવિડનાં બેડની ફાળવણી પણ ૨દ કરવામાં આવી
ફાયરસેફ્ટીના અભાવને લઈને શહેરની ઘણી હોસ્પિટલોને નોટિસ પણ ફટકારવામાં આવી
WatchGujarat. રાજકોટની કોવિડ હોસ્પિટલમાં અગ્નિકાંડ બાદ સુરતનો ફાયર વિભાગ હરકતમાં આવી ગયો હતો. ફાયર વિભાગે શહેરની હોસ્પિટલમાં તપાસ ચાલુ કરી દીધી હતી. જે અંતર્ગત ફાયર વિભાગે મજૂરાગેટ પાસે રહેણાક પ્લાનમાં હેતુફેર કરી ચલાવાતી ટ્રાઇડેન્ટ હોસ્પિટલને સેફટીના અભાવે સીલ કરી છે. આ ઉપરાંત તપાસ દરમિયાન ફાયરસેફ્ટીના અભાવને લઈને શહેરની ઘણી હોસ્પિટલોને નોટિસ પણ ફટકારવામાં આવી છે.
રાજકોટ, વડોદરા અને અમદાવાદની કોવિડ કેર હોસ્પિટલમાં આગના બનાવો બન્યા હતા. જેમાં અમદાવાદ, રાજકોટની કોવીડકેર હોસ્પિટલના અગ્નિકાંડમાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્યારે સુરતમાં આવી ઘટનાના બને તેના ભાગરૂપે સુરત ફાયર વિભાગ હરકતમાં આવ્યા હતું. ણ શહેરની વિવિધ હોસ્પિટલની ફાયર સેફ્ટિને લઇને તપાસ હાથ ધરી હતી. જેમાં મજૂરાગેટ કૈલાસનગરની ટ્રાઇડેન્ટ હોસ્પિટલમાં ફાયર સેફ્ટિનો અભાવ જોવા મળતા તેને સેન્ટ્રલ ઝોન દ્વારા સીલ કરવામાં આવી છે.
હરિનગર સોસાયટીના પ્લોટ નં.1 ૫૨ પાંચ માળની ટ્રાઈડેન્ટ હોસ્પિટલ આવેલી છે. આ રહેણાક મિલકતમાં હેતુફેર કરી હોસ્પિટલ ચલાવાઇ રહી હતી. જેથી મિલકતના બેઝમેન્ટ, ત્રીજો માળ, પાંચમો માળ, એ.સી.રૂમ અને બીજા માળે ઓપરેશન થિયેટર સહિતના ભાગને ફાયર સેફટીના અભાવે ફાયર વિભાગ દ્વારા સીલ કરવામાં આવ્યો છે. બાકીના માળ ઉપર આઈ.સી.યુ. અને જનરલ વોર્ડના દર્દીઓને ત્રણ દિવસમાં અન્ય હોસ્પિટલમાં સ્થળાંતર કરવા સૂચના આપી છે.
જેથી મુદત પૂર્ણ થતાં જ મિલકતના બાકીના ભાગને પણ સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ મિલકતમાં ફાયરસેફટીની સુવિધા અપૂર્તિ હોવાને કારણે કોવિડનાં બેડની ફાળવણી પણ ૨દ કરવામાં આવી હતી. ઉપરાંત આ મિલકતનો પ્લાન મંજૂર કરાવનાર આર્કિટેક્ટ પ્રદીપભાઈ સનમુખભાઈ ચોકસીનું રજિસ્ટર્ડ ઇજનેર તરીકેનું લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.