સુરતના ભૂતપૂર્વ મેયર અને કોંગ્રેસના પીઢ નેતા કદીર પીરઝાદાને અહેમદભાઈ સાથે નજીકનો ઘનિષ્ઠ સંબંધ
સુરતમાં અને દક્ષિણ ગુજરાતમાં તેમના સીધા માર્ગદર્શનમાં અનેક કામો અને કાર્યક્રમો થયા
WatchGujarat. કોંગ્રેસના ચાણક્ય અને પીઢ નેતા અહેમદભાઈ પટેલનું નિધન થયું છે. અહેમદ પટેલના અવસાનના પગલે કોંગ્રેસમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. સોનિયા ગાંધીના રાજકિય સલાહકાર અને કોઠાસૂઝ ધરાવતા અહેમદભાઈના અવસાનના પગલે સુરતના પીઢ નેતાઓએ તેમની સાથેના સંબંધોને વાગોળ્યાં છે.
કોરોનાથી સંક્રમિત થયા બાદ હોસ્પિટલના બિછાને કોંગ્રેસના પીઢ નેતા અહેમદભાઈ પટેલનું નિધન થયું છે. અહેમદ પટેલના અવસાનના પગલે કોંગ્રેસમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. સોનિયા ગાંધીના રાજકિય સલાહકાર અને કોઠાસૂઝ ધરાવતા અહેમદભાઈના અવસાનના પગલે સુરતના પીઢ નેતાઓએ તેમની સાથેના સંબંધોને વાગોળ્યાં છે. સુરતના ભૂતપૂર્વ મેયર અને કોંગ્રેસના પીઢ નેતા કદીર પીરઝાદાને અહેમદભાઈ સાથે નજીકનો ઘનિષ્ઠ સંબંધ હતા. કદીરભાઈ કહે છે કે, અહેમદ સાહેબના નિધનના પગલે કોંગ્રેસની કરોડરજ્જુ તૂટી ગયી છે ગરીબોએ તેમનો મસીહા ખોયો છે.
દેશના રાજકારણમાં તેમનું ખૂબ મોટું નામ હોવા છતાં ક્યાંય તમને એ દેખાય નહી. સામાન્ય માણસની સતત ચિંતા કરનારા અહેમદભાઈના અવસાનથી ગુજરાતને ન પૂરી શકાય તેવી ખોટ સર્જાઈ છે. તેમણે કેન્દ્ર સરકારમાં ચાવીરૂપ ભૂમિકા ભજવીને ક્યારે ગુજરાતને અન્યાય ન થાય તેની સતત ચિંતા કરેલી. સુરતમાં અને દક્ષિણ ગુજરાતમાં તેમના સીધા માર્ગદર્શનમાં અનેક કામો અને કાર્યક્રમો થયા છે. તેમનો પર્યાય શોધવો ખૂબ મુશ્કેલ છે. અહેમદભાઈએ કોરોના સંક્રમણ વખતે લાગેલા લોકડાઉનમાં પણ તેમણે માર્ગદર્શન આપતાં કહ્યું કે, કોરોના વોરિયર્સની મદદ કરો. અને એટલે જ ધરતીકંપ, રેલ, કોરોના હોય સુરત આવતા હતાં. કોરોનામાં તેમના કહેવાથી સુરત સિવિલ હોસ્પિટલમાં 2 લાખ ગરીબો માટે આપ્યા હતા સાથે જ અન્નક્ષેત્રોમાં પણ દાન કર્યું હતું.
સુરતના ભૂતપૂર્વ મેયર અને કોંગ્રેસના પીઢ નેતા કદીર પીરઝાદાને અહેમદભાઈ સાથે નજીકનો ઘનિષ્ઠ સંબંધ
સુરતમાં અને દક્ષિણ ગુજરાતમાં તેમના સીધા માર્ગદર્શનમાં અનેક કામો અને કાર્યક્રમો થયા
WatchGujarat. કોંગ્રેસના ચાણક્ય અને પીઢ નેતા અહેમદભાઈ પટેલનું નિધન થયું છે. અહેમદ પટેલના અવસાનના પગલે કોંગ્રેસમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. સોનિયા ગાંધીના રાજકિય સલાહકાર અને કોઠાસૂઝ ધરાવતા અહેમદભાઈના અવસાનના પગલે સુરતના પીઢ નેતાઓએ તેમની સાથેના સંબંધોને વાગોળ્યાં છે.
કોરોનાથી સંક્રમિત થયા બાદ હોસ્પિટલના બિછાને કોંગ્રેસના પીઢ નેતા અહેમદભાઈ પટેલનું નિધન થયું છે. અહેમદ પટેલના અવસાનના પગલે કોંગ્રેસમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. સોનિયા ગાંધીના રાજકિય સલાહકાર અને કોઠાસૂઝ ધરાવતા અહેમદભાઈના અવસાનના પગલે સુરતના પીઢ નેતાઓએ તેમની સાથેના સંબંધોને વાગોળ્યાં છે. સુરતના ભૂતપૂર્વ મેયર અને કોંગ્રેસના પીઢ નેતા કદીર પીરઝાદાને અહેમદભાઈ સાથે નજીકનો ઘનિષ્ઠ સંબંધ હતા. કદીરભાઈ કહે છે કે, અહેમદ સાહેબના નિધનના પગલે કોંગ્રેસની કરોડરજ્જુ તૂટી ગયી છે ગરીબોએ તેમનો મસીહા ખોયો છે.
દેશના રાજકારણમાં તેમનું ખૂબ મોટું નામ હોવા છતાં ક્યાંય તમને એ દેખાય નહી. સામાન્ય માણસની સતત ચિંતા કરનારા અહેમદભાઈના અવસાનથી ગુજરાતને ન પૂરી શકાય તેવી ખોટ સર્જાઈ છે. તેમણે કેન્દ્ર સરકારમાં ચાવીરૂપ ભૂમિકા ભજવીને ક્યારે ગુજરાતને અન્યાય ન થાય તેની સતત ચિંતા કરેલી. સુરતમાં અને દક્ષિણ ગુજરાતમાં તેમના સીધા માર્ગદર્શનમાં અનેક કામો અને કાર્યક્રમો થયા છે. તેમનો પર્યાય શોધવો ખૂબ મુશ્કેલ છે. અહેમદભાઈએ કોરોના સંક્રમણ વખતે લાગેલા લોકડાઉનમાં પણ તેમણે માર્ગદર્શન આપતાં કહ્યું કે, કોરોના વોરિયર્સની મદદ કરો. અને એટલે જ ધરતીકંપ, રેલ, કોરોના હોય સુરત આવતા હતાં. કોરોનામાં તેમના કહેવાથી સુરત સિવિલ હોસ્પિટલમાં 2 લાખ ગરીબો માટે આપ્યા હતા સાથે જ અન્નક્ષેત્રોમાં પણ દાન કર્યું હતું.