શહેરના પાર્લે પોઇન્ટ રહેણાંક વિસ્તારમાંથી કોલેજીયન યુવતિ અર્ધ બેભાન અને ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં મળી હતી.
BUSINESS પરિવારનો સપોર્ટ ન મળતા યુવતિએ આપઘાતનો પ્રયાસ કર્યો
આપઘાત કરવા પહેલા ઝેરી દવા પીધી અને બાદમાં બિલ્ડીંગના ચોથા માળેથી છલાંગ લગાવી
મેજીસ્ટ્રેટ સમક્ષ ડાઇંગ ડેક્લેરેશનમાં યુવતિએ ચોંકાવનારી વિગતો દ્રશાવી
WatchGujarat. કોલેજમાં ફી ભરવા અને બુક્સ ખરીદવાના બહાને ઘરેથી નિકળ્યા બાદ 18 વર્ષીય યુવતિ અર્ધબેભાન અને ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવી હતી. યુવતિની હાલત અને સંજોગો તેમજ પ્રાથમિક તબીબી રિપોર્ટના આધારે પોલીસે રેપ અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો. પરંતુ યુવતિ ભાનમાં આવતા તેણીએ મેજીસ્ટ્રેટ સમક્ષ DDમાં ચોંકવાની વિગતો દ્રશાવતા સમગ્ર મામલા પરથી પડદો ઉઠતા પોલીસે રાહત અનુભવી હતી.
આ બનાવની વિગત એવી છે કે, શહેરના લીંબાયત વિસ્તારમાં રહેતી 18 વર્ષીય યુવતિ ગત રોજ પાર્લે પોઇન્ટના રહેણાંક વિસ્તારમાંથી અર્ધબેભાન અને ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવી હતી. જેથી તેણીને તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પોલીસે આ બાબતની ગંભીર લેતા પ્રાથમિક તબીબી રિપોર્ટના આધારે ઉમરા પોલીસ સ્ટેશનમાં રેપ અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસનો દોર શરૂ કર્યો હતો.
દરમિયાન મોડી રાત્રે યુવતિ ભાનમાં પોલીસે મેજીસ્ટ્રેટ સમક્ષ તેનુ નિવેદન નોંધવાનુ શરૂ કર્યું હતુ. જેમાં તેણીએ જણાવ્યું હતુ કે, મારી સાથે કોઇ બળાત્કાર થયો નથી નાતો મારી હત્યાનો પ્રયાસ થયો છે. મને બીઝનેસ માટે પરિવાર તરફથી સપોર્ટ ન મળતા મેં જીવનનો અંત લાવી દેવાનુ નક્કી કરી લીધુ હતુ. જેથી મેં બિલ્ડીંગ ઉપર પહોંચી જીવનનો અંત લાવવાનો પ્રયાસ કર્યો હતો. યુવતિનુ આ નિવેદન સાંભળી પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
આ મામલે ડીસીપી વિધી ચૌધરીએ માહિતી આપતા જણાવ્યું હતુ કે, યુવતિ આગળ અભ્યાસ કરવા ઇચ્છતી ન હતી. તેણીને NETWORKING નો બિઝનેસ કરવો હતો. પરંતુ પરિવાર તરફથી સપોર્ટ ન મળતા તેને આપઘાત કરવાનુ મન માનવી લીધુ હતુ. જેથી કોલેજમાં ફી ભરવા અને બુક્સ ખરીદવાનુ કહીં ઘરેથી રૂ. 7000 લઇને નિકળી હતી. આપઘાત કરતા પહેલા યુવતિ સ્વતંત્ર રીતે જીવન જીવવા માંગતી હતી. જેથી તેને રૂ. 5000ના નવા કપડા ખરીદ્યા અને તે કપડા પહેરી બ્યૂટી પાર્લરમાં ગઇ હતી. ત્યારબાદ આપઘાત કરવા માટે તે વિવિધ સ્થળે ફરી પરંતુ કોઇ યોગ્ય સ્થળ તેને મળ્યું ન હતુ.
દરમિયાન તેને કોકરોચ મારવાની દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરંતુ વોમિટીંગ થતા તેને ખ્યાલ આવી ગયો કે આ રીતે જીવનનો અંત નહીં આવે, જેથી તેણે બિલ્ડીંગ ઉપર ચઢી છલાંગ લગાવવાનુ નક્કી કર્યું હતુ. આમ વિવિધ સ્થળે તે ફરી પણ યોગ્ય જગ્યા મળી ન હતી. તેવામાં પાર્લે પોઇન્ટના ગોકુલધામ એપાર્ટમેન્ટ ઉપર પહોંચવાનો તેને મોકો અને ત્યાંથી તેણીએ આપઘાત પ્રયાસ કર્યો હતો.
શહેરના પાર્લે પોઇન્ટ રહેણાંક વિસ્તારમાંથી કોલેજીયન યુવતિ અર્ધ બેભાન અને ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં મળી હતી.
BUSINESS પરિવારનો સપોર્ટ ન મળતા યુવતિએ આપઘાતનો પ્રયાસ કર્યો
આપઘાત કરવા પહેલા ઝેરી દવા પીધી અને બાદમાં બિલ્ડીંગના ચોથા માળેથી છલાંગ લગાવી
WatchGujarat. કોલેજમાં ફી ભરવા અને બુક્સ ખરીદવાના બહાને ઘરેથી નિકળ્યા બાદ 18 વર્ષીય યુવતિ અર્ધબેભાન અને ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવી હતી. યુવતિની હાલત અને સંજોગો તેમજ પ્રાથમિક તબીબી રિપોર્ટના આધારે પોલીસે રેપ અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો. પરંતુ યુવતિ ભાનમાં આવતા તેણીએ મેજીસ્ટ્રેટ સમક્ષ DDમાં ચોંકવાની વિગતો દ્રશાવતા સમગ્ર મામલા પરથી પડદો ઉઠતા પોલીસે રાહત અનુભવી હતી.
આ બનાવની વિગત એવી છે કે, શહેરના લીંબાયત વિસ્તારમાં રહેતી 18 વર્ષીય યુવતિ ગત રોજ પાર્લે પોઇન્ટના રહેણાંક વિસ્તારમાંથી અર્ધબેભાન અને ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવી હતી. જેથી તેણીને તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પોલીસે આ બાબતની ગંભીર લેતા પ્રાથમિક તબીબી રિપોર્ટના આધારે ઉમરા પોલીસ સ્ટેશનમાં રેપ અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસનો દોર શરૂ કર્યો હતો.
દરમિયાન મોડી રાત્રે યુવતિ ભાનમાં પોલીસે મેજીસ્ટ્રેટ સમક્ષ તેનુ નિવેદન નોંધવાનુ શરૂ કર્યું હતુ. જેમાં તેણીએ જણાવ્યું હતુ કે, મારી સાથે કોઇ બળાત્કાર થયો નથી નાતો મારી હત્યાનો પ્રયાસ થયો છે. મને બીઝનેસ માટે પરિવાર તરફથી સપોર્ટ ન મળતા મેં જીવનનો અંત લાવી દેવાનુ નક્કી કરી લીધુ હતુ. જેથી મેં બિલ્ડીંગ ઉપર પહોંચી જીવનનો અંત લાવવાનો પ્રયાસ કર્યો હતો. યુવતિનુ આ નિવેદન સાંભળી પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
આ મામલે ડીસીપી વિધી ચૌધરીએ માહિતી આપતા જણાવ્યું હતુ કે, યુવતિ આગળ અભ્યાસ કરવા ઇચ્છતી ન હતી. તેણીને NETWORKING નો બિઝનેસ કરવો હતો. પરંતુ પરિવાર તરફથી સપોર્ટ ન મળતા તેને આપઘાત કરવાનુ મન માનવી લીધુ હતુ. જેથી કોલેજમાં ફી ભરવા અને બુક્સ ખરીદવાનુ કહીં ઘરેથી રૂ. 7000 લઇને નિકળી હતી. આપઘાત કરતા પહેલા યુવતિ સ્વતંત્ર રીતે જીવન જીવવા માંગતી હતી. જેથી તેને રૂ. 5000ના નવા કપડા ખરીદ્યા અને તે કપડા પહેરી બ્યૂટી પાર્લરમાં ગઇ હતી. ત્યારબાદ આપઘાત કરવા માટે તે વિવિધ સ્થળે ફરી પરંતુ કોઇ યોગ્ય સ્થળ તેને મળ્યું ન હતુ.
દરમિયાન તેને કોકરોચ મારવાની દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરંતુ વોમિટીંગ થતા તેને ખ્યાલ આવી ગયો કે આ રીતે જીવનનો અંત નહીં આવે, જેથી તેણે બિલ્ડીંગ ઉપર ચઢી છલાંગ લગાવવાનુ નક્કી કર્યું હતુ. આમ વિવિધ સ્થળે તે ફરી પણ યોગ્ય જગ્યા મળી ન હતી. તેવામાં પાર્લે પોઇન્ટના ગોકુલધામ એપાર્ટમેન્ટ ઉપર પહોંચવાનો તેને મોકો અને ત્યાંથી તેણીએ આપઘાત પ્રયાસ કર્યો હતો.