પત્ની ઝગડો કરતી હોય રોષે ભરાયેલા પતિએ તેની હત્યા કરી દીધી
રૂમમાંથી અચાનક દુર્ગંધ આવતા મકાન માલિકે રૂમનો દરવાજો તોડી તપાસ કરી
WatchGujarat. સુરતના પુણાના મુક્તિધામ સોસાયટી વિસ્તારમાં અઠવાડિયા પહેલા પત્નીની હત્યા કરીને લાશને રૂમમાં સંતાડીને ભાગી જનાર આરોપી પતિની પુણા પોલીસે રાજસ્થાનથી ઝડપી પાડ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, દલાલો મારફત લગ્ન કરનાર યુવકને પત્નીએ માર મારતા પત્નીનું ગળું દબાવી હત્યા કરી, લાશ કોથળામાં પેક કરીને એક રાત સાથે ઉંઘ્યો હતો. ત્યારબાદ વતન રાજસ્થાન ભાગી ગયો હતો.
સુરતના પુણાગામ મુક્તિધામ સોસાયટીમાં આવેલા ઘરમાં ટેરેસવાળી રૂમમાં મૂળ રાજસ્થાનના વતની લીખ્મારામ ઉર્ફે લક્ષ્મણ કેશારામ ચૌધરી તેની પત્ની કૌશલ્યા સાથે રહેતો હતો. દરમિયાન ગત 4-12-2020 ના રોજ રાત્રીના સમયે રૂમમાંથી અચાનક દુર્ગંધ આવી હતી. જેથી મકાન માલિકે રૂમનો દરવાજો તોડી તપાસ કરી હતી. જેમાં એક કોથળામાં મહિલાની લાશ મળી આવી હતી. જેથી તેઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. અને ઘટના સ્થળે પહોંચેલી પોલીસે મામલાની વધુ તપાસ શરુ કરી હતી.
તપાસ દરમિયાન કોથળામાંથી એક ચીઠી મળી આવી હતી જેમાં મહિલાની હત્યા તેના જ પતિએ કરી હોવાનું બહાર આવ્યુ હતું. તેના પતિએ ચીઠીમાં લખ્યું હતું કે તેણે કૌશલ્યા સાથે લગ્ન દલાલ મારફતે કર્યા હતા. જેના તેઓએ ૩ લાખ રૂપિયા પણ ચૂકવી દીધા હતા. પરંતુ તેની પત્ની તેની સાથે અવાર નવાર ઝગડો કરતી હતી. અને વતન પરત જવાની વાત કરતી હતી. આ અંગે તેઓએ દલાલને જાણ કરી હતી. અને રૂપિયા પરત માંગ્ય હતા.
જો કે, દલાલે હાથ ઉંચા કરી દીધા હતા. આખરે પત્ની ઝગડો કરતી હોય રોષે ભરાયેલા પતિએ તેની હત્યા કરી દીધી હતી. હત્યારા પતિએ તેની જ પત્નીનું ગળું દબાવી હત્યા કરી દીધી હતી. અને બાદમાં તેની લાશને કોથળામાં ભરી રૂમમાં બંધ કરી ફરાર થઇ ગયો હતો. આ મામલે પુણા પોલીસે ગુનો દાખલ કરીને આરોપી પતિને અઠવાડિયા બાદ રાજસ્થાનથી ઝડપી પાડ્યો છે.
પત્ની ઝગડો કરતી હોય રોષે ભરાયેલા પતિએ તેની હત્યા કરી દીધી
રૂમમાંથી અચાનક દુર્ગંધ આવતા મકાન માલિકે રૂમનો દરવાજો તોડી તપાસ કરી
WatchGujarat. સુરતના પુણાના મુક્તિધામ સોસાયટી વિસ્તારમાં અઠવાડિયા પહેલા પત્નીની હત્યા કરીને લાશને રૂમમાં સંતાડીને ભાગી જનાર આરોપી પતિની પુણા પોલીસે રાજસ્થાનથી ઝડપી પાડ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, દલાલો મારફત લગ્ન કરનાર યુવકને પત્નીએ માર મારતા પત્નીનું ગળું દબાવી હત્યા કરી, લાશ કોથળામાં પેક કરીને એક રાત સાથે ઉંઘ્યો હતો. ત્યારબાદ વતન રાજસ્થાન ભાગી ગયો હતો.
સુરતના પુણાગામ મુક્તિધામ સોસાયટીમાં આવેલા ઘરમાં ટેરેસવાળી રૂમમાં મૂળ રાજસ્થાનના વતની લીખ્મારામ ઉર્ફે લક્ષ્મણ કેશારામ ચૌધરી તેની પત્ની કૌશલ્યા સાથે રહેતો હતો. દરમિયાન ગત 4-12-2020 ના રોજ રાત્રીના સમયે રૂમમાંથી અચાનક દુર્ગંધ આવી હતી. જેથી મકાન માલિકે રૂમનો દરવાજો તોડી તપાસ કરી હતી. જેમાં એક કોથળામાં મહિલાની લાશ મળી આવી હતી. જેથી તેઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. અને ઘટના સ્થળે પહોંચેલી પોલીસે મામલાની વધુ તપાસ શરુ કરી હતી.
તપાસ દરમિયાન કોથળામાંથી એક ચીઠી મળી આવી હતી જેમાં મહિલાની હત્યા તેના જ પતિએ કરી હોવાનું બહાર આવ્યુ હતું. તેના પતિએ ચીઠીમાં લખ્યું હતું કે તેણે કૌશલ્યા સાથે લગ્ન દલાલ મારફતે કર્યા હતા. જેના તેઓએ ૩ લાખ રૂપિયા પણ ચૂકવી દીધા હતા. પરંતુ તેની પત્ની તેની સાથે અવાર નવાર ઝગડો કરતી હતી. અને વતન પરત જવાની વાત કરતી હતી. આ અંગે તેઓએ દલાલને જાણ કરી હતી. અને રૂપિયા પરત માંગ્ય હતા.
જો કે, દલાલે હાથ ઉંચા કરી દીધા હતા. આખરે પત્ની ઝગડો કરતી હોય રોષે ભરાયેલા પતિએ તેની હત્યા કરી દીધી હતી. હત્યારા પતિએ તેની જ પત્નીનું ગળું દબાવી હત્યા કરી દીધી હતી. અને બાદમાં તેની લાશને કોથળામાં ભરી રૂમમાં બંધ કરી ફરાર થઇ ગયો હતો. આ મામલે પુણા પોલીસે ગુનો દાખલ કરીને આરોપી પતિને અઠવાડિયા બાદ રાજસ્થાનથી ઝડપી પાડ્યો છે.