રાજવી જાને સુરતના અડાજણ વિસ્તારમાં માતાના નામે જાગૃતિ નમકીન શોપ ખોલી છે.
દુકાનમાં હજુ પણ લોકો ખરીદી કરતા ખચકાઈ રહ્યા છે. પણ લોકોની માનસિકતા બદલાશેઃ રાજવી જાન
[caption id="attachment_43815" align="aligncenter" width="1280"] કિન્નર રાજવી જાન[/caption]
WatchGujarat.
સૌ પ્રથમ તો ક્યાં જવું છે, એટલું નક્કી કરો,
બસ પછી નક્કી કર્યું છે, એટલું નક્કી કરો.
આમ તો બેઠા રહીયે તો ય ચાલે જિંદગી,
ક્યાં સુધી આ બેસવું છે, એટલું નક્કી કરો?
કવિ ગૌરાંગ ઠાકરના ઉપરોક્ત મુક્તકમાં સમસ્યાઓની સામે ઉભા થવાનું નક્કી કરવાની વાત છે. સુરતના એક કિન્નર રાજવી જાને સમાજના નિતીનિયમો – માન્યતાઓની સામે ઉભા થવાનું નક્કી કર્યું. અને આજે તે શુભ પ્રસંગોએ લોકોની સામે તાળીઓ પાડીને ગુજરાન ચલાવવાને બદલે સન્માનભેર નમકીન શોપ ચલાવી રહી છે. સુરતના અડાજણ વિસ્તારમાં માતાના નામે જાગૃતિ નમકીન શોપ ખોલીને રાજવી જાને આત્મ નિર્ભર બની કિન્નર સમાજને એક નવી રાહ ચીંધી છે.
કિન્નરનું જીવન ખૂબ જ કઠીન હોય છે. સમાજનો ધિક્કાર સહન કરીને હસતાં મોંઢે રહેતાં કિન્નરોએ ઘણું સહન કરવું પડતું હોય છે. પરંતુ, આજે એક એવા કિન્નરની વાત કે જેણે સમાજનો ધિક્કાર પણ સહન કર્યો પરંતુ આજે પોતે સ્વનિર્ભર બનીને સમાજમાં એક ઉતમ ઉદાહરણ પૂરું પાડ્યું છે..
છોકરાની ઓળખ બતાવી કોલેજ સુધીનો અભ્યાસ કર્યો.
રાજવી જાનનો સંઘર્ષ જન્મતાની સાથે જ શરુ થઇ ગયો હતો. રાજવીનો જન્મ થયો અને તેના માતા-પિતાને ખબર પડી કે તે કિન્નર છે. ત્યારે તેઓએ ઓળખ છુપાવી દીધી, શાળા અને કોલેજમાં તેને છોકરાની જ ઓળખ બતાવીને અભ્યાસ કર્યો, પણ પછી રાજવીને અંદરો અંદર જ કાંઇક ખોટું કર્યાનો અહેસાસ થયા કરતો હતો.
રાજવીએ કિન્નર વેશ ધારણ કરતાં પિતાએ વિરોધ કરી ઘરમાંથી કાઢી મૂકી
રાજવીએ પહેરવેશમાંથી બહાર આવી તેણે સમાજને સાચી ઓળખ બતાવાનું શરૂ કર્યું કે તરત જ તેના પિતાનો વિરોધ શરુ થઇ ગયો હતો. પિતાએ તેને ઘરમાંથી કાઢી મૂકી હતી. પિતાના ઘરેથી નીકળ્યા બાદ કિન્નર સમાજમાં જવાની જગ્યાએ સારી રીતે સોસાયટીમાં ઘર લઈને સ્વનિર્ભર બનાવવાનું નક્કી કર્યું હતું. અને આજે તેણે તેવું કરી પણ બતાવ્યું છે.સુરતના અડાજણ વિસ્તારમાં એક નમકીનની દુકાન શરુ કરી છે.પરિવાર થી દૂર રહી પોતાનું ગુજરાન ચલાવી સ્વમાન સાથે રહે છે.
માતાના નામે જ કેમ બિઝનેસ શરૂ કર્યો
રાજવી પોતાના જીવનમાં પોતાની માતાને સૌથી મોટો આદર્શ માને છે.તેની પાછળ પણ એક કારણ જવાબદાર છે. રાજવી ના જન્મથી જ તેના માતા-પિતાને તે કિન્નર હોવાનું ખબર પડ્યું હતું માતા માટે તેનું બાળક ગમે તેવું હોય પણ તે હંમેશા વ્હાલું હોય છે પરંતુ રાજવીના પિતાને તે કિન્નર હોવાની ખબર પડતાં જ રાજવીને નફરત કરવા લાગ્યા હતા. પરંતુ કહેવાય છે ને કે માં તે માં.. છેલ્લે સુધી તેણીની માતાએ તેનો સાથ આપ્યો હતો. જોકે રાજવીએ પોતાની સાચી ઓળખ અને સાચો પહેરવેશ ધારણ કરતા પિતાને તેને ઘર કાઢી મૂકી હતી. ત્યાર બાદ રાજવીએ આત્મનિર્ભર બની અડાજણના હની પાર્ક સર્કલ પોતાનો નમકીનનો વ્યવસાય શરૂ કર્યો પરંતુ આ વ્યવસાયનું નામ શું આપવું તે અંગે તેને એક જ નામ સામે આવતું હતું જે તેની માતાનું હતું. અને આખરે માતાના નામે જ રાજવીએ જાગૃતિ નામથી નમકીનની દુકાનની શરૂઆત કરી.અને આજે તે પોતાના માતાના નામથી ચાલતી દુકાનમાંથી કમાયેલા રૂપિયાથી તેનું પોતાનું ગુજરાન ચલાવી રહી છે.
મને વિશ્વાસ છે એક દિવસ લોકોની માસિકતા જરૂર બદલાશે. – રાજવી જાન
રાજવી બાળપણથી જ પોતાની ઓળખ છુપાવીને સ્કુલ અને કોલેજમાં અભ્યાસ કર્યો છે. રાજવીએ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે. પરંતુ જયારે તેના હક્કની વાત આવી ત્યારે સમાજ અને તેના પિતાએ પણ તેનો સાથ છોડી દીધો છે.છતાં રાજવીએ જીવનથી હાર માની ન હતી.ત્યારે દ્રઢ મનોબળ સાથે જીવન ગુજરતી રાજવીએ જણાવ્યું હતું કે દુકાનમાં હજુ પણ લોકો ખરીદી કરતા ખચકાઈ રહ્યા છે. અમારી સામું ને સામું જોઈ રહયા છે.અને કેટલા સંજોગોમાં એવું પણ જાણવા મળ્યું કે ત્યાં ખરીદી કરવામાં ભૂલ થઈ તો ક્યાંક શ્રાપ આપી દેશે.કારણ કે આજે પણ લોકોમાં કિન્નરોના શ્રાપનો છૂપો ભય રહેલો છે. છતાં મને વિશ્વાસ છે કે લોકોની માનસિકતા એક દિવસ જરૂર બદલાશે અને એક દિવસ મારી દુકાન આર્થિક રીતે સારી રીતે ચાલશે. લોકો અહીંથી ખરીદી કરશે. અને મારા નામનો સુરજ પણ ઉગશે.
અને છેલ્લે... રાજવી જાનની આત્મનિર્ભરતાને તેના આત્મવિશ્વાસનો પડઘો પાડતું ખલીલ ધનતેજવીનું મુક્તક
વૃક્ષ ઝંઝાવાત નહીં ઝીલી શકે
તરણું ઊખડી જાય તો કે’જે મને
જિંદગી તારાથી હું થાક્યો નથી
તું જો થાકી જાય તો કે’જે મને
More #કિન્નર #રાજવી જાન #started #business #આત્મનિર્ભર #
રાજવી જાને સુરતના અડાજણ વિસ્તારમાં માતાના નામે જાગૃતિ નમકીન શોપ ખોલી છે.
દુકાનમાં હજુ પણ લોકો ખરીદી કરતા ખચકાઈ રહ્યા છે. પણ લોકોની માનસિકતા બદલાશેઃ રાજવી જાન
કવિ ગૌરાંગ ઠાકરના ઉપરોક્ત મુક્તકમાં સમસ્યાઓની સામે ઉભા થવાનું નક્કી કરવાની વાત છે. સુરતના એક કિન્નર રાજવી જાને સમાજના નિતીનિયમો – માન્યતાઓની સામે ઉભા થવાનું નક્કી કર્યું. અને આજે તે શુભ પ્રસંગોએ લોકોની સામે તાળીઓ પાડીને ગુજરાન ચલાવવાને બદલે સન્માનભેર નમકીન શોપ ચલાવી રહી છે. સુરતના અડાજણ વિસ્તારમાં માતાના નામે જાગૃતિ નમકીન શોપ ખોલીને રાજવી જાને આત્મ નિર્ભર બની કિન્નર સમાજને એક નવી રાહ ચીંધી છે.
કિન્નરનું જીવન ખૂબ જ કઠીન હોય છે. સમાજનો ધિક્કાર સહન કરીને હસતાં મોંઢે રહેતાં કિન્નરોએ ઘણું સહન કરવું પડતું હોય છે. પરંતુ, આજે એક એવા કિન્નરની વાત કે જેણે સમાજનો ધિક્કાર પણ સહન કર્યો પરંતુ આજે પોતે સ્વનિર્ભર બનીને સમાજમાં એક ઉતમ ઉદાહરણ પૂરું પાડ્યું છે..
છોકરાની ઓળખ બતાવી કોલેજ સુધીનો અભ્યાસ કર્યો.
રાજવી જાનનો સંઘર્ષ જન્મતાની સાથે જ શરુ થઇ ગયો હતો. રાજવીનો જન્મ થયો અને તેના માતા-પિતાને ખબર પડી કે તે કિન્નર છે. ત્યારે તેઓએ ઓળખ છુપાવી દીધી, શાળા અને કોલેજમાં તેને છોકરાની જ ઓળખ બતાવીને અભ્યાસ કર્યો, પણ પછી રાજવીને અંદરો અંદર જ કાંઇક ખોટું કર્યાનો અહેસાસ થયા કરતો હતો.
રાજવીએ કિન્નર વેશ ધારણ કરતાં પિતાએ વિરોધ કરી ઘરમાંથી કાઢી મૂકી
રાજવીએ પહેરવેશમાંથી બહાર આવી તેણે સમાજને સાચી ઓળખ બતાવાનું શરૂ કર્યું કે તરત જ તેના પિતાનો વિરોધ શરુ થઇ ગયો હતો. પિતાએ તેને ઘરમાંથી કાઢી મૂકી હતી. પિતાના ઘરેથી નીકળ્યા બાદ કિન્નર સમાજમાં જવાની જગ્યાએ સારી રીતે સોસાયટીમાં ઘર લઈને સ્વનિર્ભર બનાવવાનું નક્કી કર્યું હતું. અને આજે તેણે તેવું કરી પણ બતાવ્યું છે.સુરતના અડાજણ વિસ્તારમાં એક નમકીનની દુકાન શરુ કરી છે.પરિવાર થી દૂર રહી પોતાનું ગુજરાન ચલાવી સ્વમાન સાથે રહે છે.
માતાના નામે જ કેમ બિઝનેસ શરૂ કર્યો
રાજવી પોતાના જીવનમાં પોતાની માતાને સૌથી મોટો આદર્શ માને છે.તેની પાછળ પણ એક કારણ જવાબદાર છે. રાજવી ના જન્મથી જ તેના માતા-પિતાને તે કિન્નર હોવાનું ખબર પડ્યું હતું માતા માટે તેનું બાળક ગમે તેવું હોય પણ તે હંમેશા વ્હાલું હોય છે પરંતુ રાજવીના પિતાને તે કિન્નર હોવાની ખબર પડતાં જ રાજવીને નફરત કરવા લાગ્યા હતા. પરંતુ કહેવાય છે ને કે માં તે માં.. છેલ્લે સુધી તેણીની માતાએ તેનો સાથ આપ્યો હતો. જોકે રાજવીએ પોતાની સાચી ઓળખ અને સાચો પહેરવેશ ધારણ કરતા પિતાને તેને ઘર કાઢી મૂકી હતી. ત્યાર બાદ રાજવીએ આત્મનિર્ભર બની અડાજણના હની પાર્ક સર્કલ પોતાનો નમકીનનો વ્યવસાય શરૂ કર્યો પરંતુ આ વ્યવસાયનું નામ શું આપવું તે અંગે તેને એક જ નામ સામે આવતું હતું જે તેની માતાનું હતું. અને આખરે માતાના નામે જ રાજવીએ જાગૃતિ નામથી નમકીનની દુકાનની શરૂઆત કરી.અને આજે તે પોતાના માતાના નામથી ચાલતી દુકાનમાંથી કમાયેલા રૂપિયાથી તેનું પોતાનું ગુજરાન ચલાવી રહી છે.
મને વિશ્વાસ છે એક દિવસ લોકોની માસિકતા જરૂર બદલાશે. – રાજવી જાન
રાજવી બાળપણથી જ પોતાની ઓળખ છુપાવીને સ્કુલ અને કોલેજમાં અભ્યાસ કર્યો છે. રાજવીએ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે. પરંતુ જયારે તેના હક્કની વાત આવી ત્યારે સમાજ અને તેના પિતાએ પણ તેનો સાથ છોડી દીધો છે.છતાં રાજવીએ જીવનથી હાર માની ન હતી.ત્યારે દ્રઢ મનોબળ સાથે જીવન ગુજરતી રાજવીએ જણાવ્યું હતું કે દુકાનમાં હજુ પણ લોકો ખરીદી કરતા ખચકાઈ રહ્યા છે. અમારી સામું ને સામું જોઈ રહયા છે.અને કેટલા સંજોગોમાં એવું પણ જાણવા મળ્યું કે ત્યાં ખરીદી કરવામાં ભૂલ થઈ તો ક્યાંક શ્રાપ આપી દેશે.કારણ કે આજે પણ લોકોમાં કિન્નરોના શ્રાપનો છૂપો ભય રહેલો છે. છતાં મને વિશ્વાસ છે કે લોકોની માનસિકતા એક દિવસ જરૂર બદલાશે અને એક દિવસ મારી દુકાન આર્થિક રીતે સારી રીતે ચાલશે. લોકો અહીંથી ખરીદી કરશે. અને મારા નામનો સુરજ પણ ઉગશે.
અને છેલ્લે... રાજવી જાનની આત્મનિર્ભરતાને તેના આત્મવિશ્વાસનો પડઘો પાડતું ખલીલ ધનતેજવીનું મુક્તક
વૃક્ષ ઝંઝાવાત નહીં ઝીલી શકે
તરણું ઊખડી જાય તો કે’જે મને
જિંદગી તારાથી હું થાક્યો નથી
તું જો થાકી જાય તો કે’જે મને
More #કિન્નર #રાજવી જાન #started #business #આત્મનિર્ભર #