સુરતમાં ગૃહ મંત્રી, ડીજીપી સહિતના અધિકારીઓ સુરતના મહેમાન બન્યા
વેપારીની માલ સામાનની વાનને નહિ રોકવા માટે ASI એ માંગી લાંચ
WatchGujarat. ગૃહમંત્રીના આગમન ટાણે જ કરીયાણાના વેપારી પાસેથી 4 હજાર રૂપિયાની લાંચ લેતા જહાંગીરપુરા પોલીસ મથકના એ.એસ.આઈ. સહીત ૩ લોકોને એસીબીએ ઝડપી પાડ્યા છે. વેપારીનું વાહન નહિ રોકવા અને જમા નહિ કરવા માટે એ.એસ.આઈ.એ લાંચ માંગી હતી. #Surat
એક બાજુ સુરતમાં ગૃહ મંત્રી, ડીજીપી સહિતના અધિકારીઓ સુરતના મહેમાન બન્યા હતા. તે વેળાએ સુરતમાં જહાંગીરપુરા પોલીસ મથકના એ.એસ.આઈ. સહીત ૩ લોકોને એસીબીએ લાંચ લેતા ઝડપી પાડ્યા છે. સુરતના ગામડાઓમાં છૂટક દુકાનવાળાઓને અનાજ સપ્લાય કરતા કરીયાણાના વેપારી પોતાની વાનમાં સામાન ભરીને આવ જાવ કરતો હોવાથી વાહન ચેકિંગ બહાને જહાંગીરપુરા પોલીસ મથકમાં ફરજ બજાવતા એ.એસ.આઈ. જયેશભાઈ પરસોત્તમભાઈ પટેલે વાહન ઉભું રખાવી ગાડી જમા નહિ કરવાના માટે 12 હજારની લાંચ માંગી હતી અને જે તે સમયે 8 હજાર રૂપિયા લઇ પણ લીધા હતા અને બાકીના 4 હજાર રૂપિયા બીજા દિવસે આપી જવા જણાવ્યું હતું. #Surat
પૈસા આપવા મામલે કરીયાણાના વેપારીએ એસીબીમાં ફરિયાદ કરી હતી. જેમાં એસીબીએ છટકું ગોઠવી અન્ય ૪ હજાર રૂપિયાની લાંચ લેતા એ.એસ.આઈ. જયેશભાઈ પરસોત્તમભાઈ પટેલ, તેઓના હસ્તક લાંચ લેનાર ઈકરામ ઇબ્રાહિમ પટેલ અને ઈકબાલ મોહમદ પટેલને વરીયાવ નહેર પાસેથી ઝડપી પાડ્યા હતા. ASI જયેશ પટેલ રજા પર હોવાના કારણે લાંચની રકમ લેવા માટે પોતાના મળતિયાઓને મોકલ્યા હતા ACP ટ્રેપ માહિતી મળતા ASI જયેશ પટેલ સામેથી હાજર થઇ ગયા હતા. ACB એ ત્રણેય લોકોને ડીટેઈન કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
More #ASI #Jayeh Patel #Lanch ruswat #trader #Surat News
વેપારીની માલ સામાનની વાનને નહિ રોકવા માટે ASI એ માંગી લાંચ
WatchGujarat. ગૃહમંત્રીના આગમન ટાણે જ કરીયાણાના વેપારી પાસેથી 4 હજાર રૂપિયાની લાંચ લેતા જહાંગીરપુરા પોલીસ મથકના એ.એસ.આઈ. સહીત ૩ લોકોને એસીબીએ ઝડપી પાડ્યા છે. વેપારીનું વાહન નહિ રોકવા અને જમા નહિ કરવા માટે એ.એસ.આઈ.એ લાંચ માંગી હતી. #Surat
એક બાજુ સુરતમાં ગૃહ મંત્રી, ડીજીપી સહિતના અધિકારીઓ સુરતના મહેમાન બન્યા હતા. તે વેળાએ સુરતમાં જહાંગીરપુરા પોલીસ મથકના એ.એસ.આઈ. સહીત ૩ લોકોને એસીબીએ લાંચ લેતા ઝડપી પાડ્યા છે. સુરતના ગામડાઓમાં છૂટક દુકાનવાળાઓને અનાજ સપ્લાય કરતા કરીયાણાના વેપારી પોતાની વાનમાં સામાન ભરીને આવ જાવ કરતો હોવાથી વાહન ચેકિંગ બહાને જહાંગીરપુરા પોલીસ મથકમાં ફરજ બજાવતા એ.એસ.આઈ. જયેશભાઈ પરસોત્તમભાઈ પટેલે વાહન ઉભું રખાવી ગાડી જમા નહિ કરવાના માટે 12 હજારની લાંચ માંગી હતી અને જે તે સમયે 8 હજાર રૂપિયા લઇ પણ લીધા હતા અને બાકીના 4 હજાર રૂપિયા બીજા દિવસે આપી જવા જણાવ્યું હતું. #Surat
પૈસા આપવા મામલે કરીયાણાના વેપારીએ એસીબીમાં ફરિયાદ કરી હતી. જેમાં એસીબીએ છટકું ગોઠવી અન્ય ૪ હજાર રૂપિયાની લાંચ લેતા એ.એસ.આઈ. જયેશભાઈ પરસોત્તમભાઈ પટેલ, તેઓના હસ્તક લાંચ લેનાર ઈકરામ ઇબ્રાહિમ પટેલ અને ઈકબાલ મોહમદ પટેલને વરીયાવ નહેર પાસેથી ઝડપી પાડ્યા હતા. ASI જયેશ પટેલ રજા પર હોવાના કારણે લાંચની રકમ લેવા માટે પોતાના મળતિયાઓને મોકલ્યા હતા ACP ટ્રેપ માહિતી મળતા ASI જયેશ પટેલ સામેથી હાજર થઇ ગયા હતા. ACB એ ત્રણેય લોકોને ડીટેઈન કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
More #ASI #Jayeh Patel #Lanch ruswat #trader #Surat News