અમરોલી છાપરાભાઠા ખાતે ગુમ થયેલી મહિલાની લાશ મળી
કોઈ પત્તો ન લગતા મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ
WatchGujarat. સુરતના અમરોલી છાપરાભાઠા ખાતે ગુમ થયેલી મહિલાની લાશ મળી આવી હતી. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. બીજી તરફ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને આ મામલે હત્યાનો ગુનો નોધી તપાસ શરુ કરી છે.
સુરતના અમરોલી છાપરાભાઠા રોડ પુરૂષોત્તમ નગરમાં રહેતા ૪૨ વર્ષીય સંતોષીબેન કેવટના પતિ આકાશ કામરાજભાઇ કેવટ રેડીમેડ કપડાની દુકાન અને શાકભાજીનો ધંધો કરે છે. ગઈ તા.19મીએ સંતોષીબેન દુકાનેથી ઘરે જવા નીકળ્યા બાદ ગુમ થયા હતા. જેથી તેમના પરિવારજનોએ તેમની શોધખોળ હાથ ધરી હતી. જોકે તેમનો કોઈ પત્તો લાગ્યો ન હતો. અને આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જો કે મંગળવારે રાત્રે પટેલપાર્ક સોસાયટીની પાછળ આવેલ ખુલ્લા પ્લોટના કંમ્પાઉન્ડની દિવાલની અંદર ઝાડી ઝાંખરામાંથી સંતોષીબેનની લાશ મળી આવી હતી. #Surat
બનાવની જાણ થતા અમરોલી પોલીસ ઘટના સ્થળે દોડી જઈ તપાસ શરૂ કરી હતી. જોકે સંતોષીબેનનું મોત કેવી રીતે નિપજ્યું તે અંગે હાલ રહસ્ય ઘેરાયું છે. પોલીસે સંતોષીબેનના મોતનું સાચુ કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરી છે. અને આ મામલે હત્યાનો ગુનો નોંધી તપાસ શરુ કરી છે.
More #Surat #murder #mystery #Police #investigation #Gujaratinews #WatchGujarat
અમરોલી છાપરાભાઠા ખાતે ગુમ થયેલી મહિલાની લાશ મળી
કોઈ પત્તો ન લગતા મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ
WatchGujarat.સુરતના અમરોલી છાપરાભાઠા ખાતે ગુમ થયેલી મહિલાની લાશ મળી આવી હતી. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. બીજી તરફ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને આ મામલે હત્યાનો ગુનો નોધી તપાસ શરુ કરી છે.
સુરતના અમરોલી છાપરાભાઠા રોડ પુરૂષોત્તમ નગરમાં રહેતા ૪૨ વર્ષીય સંતોષીબેન કેવટના પતિ આકાશ કામરાજભાઇ કેવટ રેડીમેડ કપડાની દુકાન અને શાકભાજીનો ધંધો કરે છે. ગઈ તા.19મીએ સંતોષીબેન દુકાનેથી ઘરે જવા નીકળ્યા બાદ ગુમ થયા હતા. જેથી તેમના પરિવારજનોએ તેમની શોધખોળ હાથ ધરી હતી. જોકે તેમનો કોઈ પત્તો લાગ્યો ન હતો. અને આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જો કે મંગળવારે રાત્રે પટેલપાર્ક સોસાયટીની પાછળ આવેલ ખુલ્લા પ્લોટના કંમ્પાઉન્ડની દિવાલની અંદર ઝાડી ઝાંખરામાંથી સંતોષીબેનની લાશ મળી આવી હતી. #Surat
બનાવની જાણ થતા અમરોલી પોલીસ ઘટના સ્થળે દોડી જઈ તપાસ શરૂ કરી હતી. જોકે સંતોષીબેનનું મોત કેવી રીતે નિપજ્યું તે અંગે હાલ રહસ્ય ઘેરાયું છે. પોલીસે સંતોષીબેનના મોતનું સાચુ કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરી છે. અને આ મામલે હત્યાનો ગુનો નોંધી તપાસ શરુ કરી છે.
More #Surat #murder #mystery #Police #investigation #Gujaratinews #WatchGujarat