વરાછા મેઈન રોડ પર પડેલા ખાડામાં મનપા તંત્રએ મેટલ પાથરી દેતા વાહનો સ્લીપ મારી રહ્યા છે
પત્ની સાથે જઈ રહેલા આધેડની બાઈક મેટલ નાખેલા ખાડામાં સ્લીપ થઇ ગયી
ખાડામાં લપસી પડતા મને શરીરમાં પાંચ જગ્યાએ 20 જેટલા ટાંકા આવ્યાં - ચીમનભાઈ પટેલ
WatchGujarat. સુરતના વરાછા મેઈન રોડ પર પડેલા ખાડામાં મનપા તંત્રએ મેટલ પાથરી દેતા વાહનો સ્લીપ મારી રહ્યા છે. આવી જ વધુ એક ઘટના સામે આવી છે. જેમાં પત્ની સાથે જઈ રહેલા આધેડની બાઈક મેટલ નાખેલા ખાડામાં સ્લીપ થઇ ગયી હતી. જેના કારણે ચાલકને ઈજાઓ પહોચી હતી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી.
સુરતમાં રહેતા ચિમનભાઈ રણછોડભાઈ પટેલ વરાછા મેઈન રોડ પરથી ગત રોજ રાત્રે પસાર થઇ રહ્યા હતા. તે વેળાએ અચાનક તેઓની બાઈક સ્લીપ થઇ હતી. અને આઘેડ અને તેની પત્ની સ્લીપ ખાઇ પડી ગયા હતા. અકસ્માતમાં ઘાયલ ચીમનભાઈને માથાના ભાગે ઈજાઓ થઇ હતી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી.
ભોગ બનનાર ચિમનભાઈએ જણાવ્યું હતું કે અહી મસમોટા ખાડા પડ્યા હતા. જેંના કારણે પાલીકાએ અહી મેટલ પાથરી દીધા હતા. જેથી અહીંથી પસાર થતા વાહનો સ્લીપ ખાઇ રહ્યા છે. હું પણ અહીંથી પસાર થઇ રહ્યો હતો. ત્યારે આ ઘટના બની હતી. તેમજ તંત્ર દ્વારા અહી કોઈ બેરીકેટ પણ મુકવામાં આવ્યા ન હતા. ઈજાગ્રસ્ત ચીમનભાઈ પટેલે કહ્યું કે, ખાડામાં લપસી પડતા મને શરીરમાં પાંચ જગ્યાએ 20 જેટલા ટાંકા આવ્યાં છે.
https://youtu.be/Lgxwt1P5gIE
ઉલ્લેખનીય છે કે, આ ઘટના મીડિયામાં આવતા જ તંત્ર દોડતું થઇ ગયું હતું. અને સવારથી જ અકસ્માતની જગ્યા પર સમારકામ શરુ કરી દેવામાં આવ્યું હતું. અહીં સવાલ ઉભો થાય છે કે, કોઈ દુર્ઘટના બાદ જ તંત્ર કેમ દોડે છે. જો આ કામગીરી અગાઉ કરવામાં આવી હોત અને કોઈ બેદરકારી રાખવામાં આવી ન હોત તો આ અકસ્માત ટાળી શકાયો હોત.
વરાછા મેઈન રોડ પર પડેલા ખાડામાં મનપા તંત્રએ મેટલ પાથરી દેતા વાહનો સ્લીપ મારી રહ્યા છે
પત્ની સાથે જઈ રહેલા આધેડની બાઈક મેટલ નાખેલા ખાડામાં સ્લીપ થઇ ગયી
WatchGujarat. સુરતના વરાછા મેઈન રોડ પર પડેલા ખાડામાં મનપા તંત્રએ મેટલ પાથરી દેતા વાહનો સ્લીપ મારી રહ્યા છે. આવી જ વધુ એક ઘટના સામે આવી છે. જેમાં પત્ની સાથે જઈ રહેલા આધેડની બાઈક મેટલ નાખેલા ખાડામાં સ્લીપ થઇ ગયી હતી. જેના કારણે ચાલકને ઈજાઓ પહોચી હતી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી.
સુરતમાં રહેતા ચિમનભાઈ રણછોડભાઈ પટેલ વરાછા મેઈન રોડ પરથી ગત રોજ રાત્રે પસાર થઇ રહ્યા હતા. તે વેળાએ અચાનક તેઓની બાઈક સ્લીપ થઇ હતી. અને આઘેડ અને તેની પત્ની સ્લીપ ખાઇ પડી ગયા હતા. અકસ્માતમાં ઘાયલ ચીમનભાઈને માથાના ભાગે ઈજાઓ થઇ હતી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી.
ભોગ બનનાર ચિમનભાઈએ જણાવ્યું હતું કે અહી મસમોટા ખાડા પડ્યા હતા. જેંના કારણે પાલીકાએ અહી મેટલ પાથરી દીધા હતા. જેથી અહીંથી પસાર થતા વાહનો સ્લીપ ખાઇ રહ્યા છે. હું પણ અહીંથી પસાર થઇ રહ્યો હતો. ત્યારે આ ઘટના બની હતી. તેમજ તંત્ર દ્વારા અહી કોઈ બેરીકેટ પણ મુકવામાં આવ્યા ન હતા. ઈજાગ્રસ્ત ચીમનભાઈ પટેલે કહ્યું કે, ખાડામાં લપસી પડતા મને શરીરમાં પાંચ જગ્યાએ 20 જેટલા ટાંકા આવ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, આ ઘટના મીડિયામાં આવતા જ તંત્ર દોડતું થઇ ગયું હતું. અને સવારથી જ અકસ્માતની જગ્યા પર સમારકામ શરુ કરી દેવામાં આવ્યું હતું. અહીં સવાલ ઉભો થાય છે કે, કોઈ દુર્ઘટના બાદ જ તંત્ર કેમ દોડે છે. જો આ કામગીરી અગાઉ કરવામાં આવી હોત અને કોઈ બેદરકારી રાખવામાં આવી ન હોત તો આ અકસ્માત ટાળી શકાયો હોત.