WatchGujarat. સુરત હજીરા સ્થિત ONGCની પાઇપ લાઇનમાં અઢી મહિના પહેલા થયેલા બ્લાસ્ટના કારણે વાતાવરણમાં પ્રદૂષણ ફેલાવવા બદલ GPCBએ વળતર પેટે રૂ. 1 કરોડનો દંડ કર્યો છે. આ રકમ તેમણે સરકારી ખાતામાં જમા કરાવવાની રહેશે.
હજીરા વિસ્તારની ONGCમાં ગત 24-સપ્ટેમ્બરના રોજ પાઇપલાઇનમાં વિસ્ફોટ થયો હતો. જેનો ધડાકો અને ધ્રુજારી 10 કિ.મી સુધી સંભળાઈ હતી. આ મુદ્દે કાંઠા વિસ્તાર પરિવર્તન ટ્રસ્ટે કેન્દ્રીય પર્યાવરણ પર્યાવરણ મંત્રાલય, જિલ્લા કલેકટર, GPCB તથા CPCB ફરિયાદ કરી હતી. અને વિસ્ફોટથી પર્યાવરણમાં ઝેરી ગેસ જેવા કે સલ્ફર, નાઇટ્રોજન, અશુદ્વિઓ વાતાવરણમાં ફેલાઇ હોવાનું જણાવ્યું હતું.
શોકવેવના કારણે લોકોના ઘરને પણ નુકસાન થયુ હતુ. ટ્રસ્ટ દ્વારા એક્ષપર્ટ કમિટી બનાવી થયેલા નુક્સાન ચકાસણી કરી વળતર આપવા માંગ કરી હતી. કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે GPCBને યોગ્ય પગલાં લેવા આદેશ કર્યો હતો. આ આદેશના પગલે જીપીસીબી બોર્ડના એર એકટ 1981 હેઠળ આપેલ દિશાનિર્દેશ અનુસાર સ્થાનિક પર્યાવરણને થયેલ નુકસાનની વચગાળાની રકમ માટે ONGC હજીરાને રૂ. 1 કરોડ જમાં કરાવવા આદેશ કર્યો છે. સાથે જ ભવિષ્યમાં આવી દુર્ઘટના નહીં થાય એ પર્યાવરણને નુકસાન નહીં થાય તે માટે કંપનીની અંદર સલામતીના ભાગરૃપે જરૃરી સાધનો મુકવા માટે પણ તાકીદ કરાઇ છે.
ઉલ્લેખનીય છે કે, ONGCમાં પેટ્રોકેમિકલમાંથી નેચરલ ગેસનું ઉત્પાદન કરાઈ રહ્યું છે. ખાસ કરીને બોમ્બે હાઇથી આ પાઇપ લાઇન મારફતે આ જથ્થો પહોંચાડવામાં આવી રહ્યો છે. 24મી સપ્ટેમ્બરના રોજ આ પાઇપ લાઇનમાં લો પ્રેશરના કારણે પ્રચંડ ધડાકા થયા હતા.
More #ONGC #GPCB #Blast Case #Surat News
WatchGujarat. સુરત હજીરા સ્થિત ONGCની પાઇપ લાઇનમાં અઢી મહિના પહેલા થયેલા બ્લાસ્ટના કારણે વાતાવરણમાં પ્રદૂષણ ફેલાવવા બદલ GPCBએ વળતર પેટે રૂ. 1 કરોડનો દંડ કર્યો છે. આ રકમ તેમણે સરકારી ખાતામાં જમા કરાવવાની રહેશે.
હજીરા વિસ્તારની ONGCમાં ગત 24-સપ્ટેમ્બરના રોજ પાઇપલાઇનમાં વિસ્ફોટ થયો હતો. જેનો ધડાકો અને ધ્રુજારી 10 કિ.મી સુધી સંભળાઈ હતી. આ મુદ્દે કાંઠા વિસ્તાર પરિવર્તન ટ્રસ્ટે કેન્દ્રીય પર્યાવરણ પર્યાવરણ મંત્રાલય, જિલ્લા કલેકટર, GPCB તથા CPCB ફરિયાદ કરી હતી. અને વિસ્ફોટથી પર્યાવરણમાં ઝેરી ગેસ જેવા કે સલ્ફર, નાઇટ્રોજન, અશુદ્વિઓ વાતાવરણમાં ફેલાઇ હોવાનું જણાવ્યું હતું.
શોકવેવના કારણે લોકોના ઘરને પણ નુકસાન થયુ હતુ. ટ્રસ્ટ દ્વારા એક્ષપર્ટ કમિટી બનાવી થયેલા નુક્સાન ચકાસણી કરી વળતર આપવા માંગ કરી હતી. કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે GPCBને યોગ્ય પગલાં લેવા આદેશ કર્યો હતો. આ આદેશના પગલે જીપીસીબી બોર્ડના એર એકટ 1981 હેઠળ આપેલ દિશાનિર્દેશ અનુસાર સ્થાનિક પર્યાવરણને થયેલ નુકસાનની વચગાળાની રકમ માટે ONGC હજીરાને રૂ. 1 કરોડ જમાં કરાવવા આદેશ કર્યો છે. સાથે જ ભવિષ્યમાં આવી દુર્ઘટના નહીં થાય એ પર્યાવરણને નુકસાન નહીં થાય તે માટે કંપનીની અંદર સલામતીના ભાગરૃપે જરૃરી સાધનો મુકવા માટે પણ તાકીદ કરાઇ છે.
ઉલ્લેખનીય છે કે, ONGCમાં પેટ્રોકેમિકલમાંથી નેચરલ ગેસનું ઉત્પાદન કરાઈ રહ્યું છે. ખાસ કરીને બોમ્બે હાઇથી આ પાઇપ લાઇન મારફતે આ જથ્થો પહોંચાડવામાં આવી રહ્યો છે. 24મી સપ્ટેમ્બરના રોજ આ પાઇપ લાઇનમાં લો પ્રેશરના કારણે પ્રચંડ ધડાકા થયા હતા.