માથાભારે સુર્યા મરાઠીના સાગરિત રાકેશ મારુની જાહેરમાં હત્યા કરાઈ
માથાભારેની છાપ ધરાવતો રાકેશ મારું ગત મોડી રાતે પોતાના મિત્રોને મળવા ગયો હતો
ઘટનાને પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી ગયા હતા
સુરત. દિવાળીના તહેવાર ટાણે સુરતમાં જાહેરમાં હત્યાની ઘટના સામે આવી છે. માથાભારેની છાપ ધરાવતા રાંદેરના કુખ્યાત રાકેશ મારું નામની અજાણ્યા ઈસમો હત્યા કરી કરવામાં આવી હતી. જાહેરમાં હત્યા કરી ને તમામ લોકો ફરાર થઇ ગયા હતા. બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહીત પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
શહેરમાં દિવાળીના તહેવારની શરૂઆતમાં જાહેરમાં હત્યાની ઘટના બની હતી. રાંદેર વિસ્તારમાં માથાભારેની છાપ ધરાવતો રાકેશ મારું ગત મોડી રાતે પોતાના મિત્રોને મળવા ગયો હતો. તે વેળાએ અજાણ્યા 4 - 5 ઈસમો આવ્યા અને રાકેશ પર ચપ્પુ અને તીક્ષ્ણ હથીયાર વડે હુમલો કરી દીધો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા રાકેશને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને લઈને આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી, તો બીજી તરફ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, અને સમગ્ર મામલે તપાસ શરુ કરી છે. હત્યારાઓ કોણ હતા અને રાકેશની હત્યા કેમ કરવામાં આવી તે હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ તે દિશામાં તપાસ કરી રહી છે.
https://youtu.be/Zo0-5YBIxU4
અત્રે ઉલ્લેખનીય છે કે, રાકેશ મારું માથાભારે સુર્યા મરાઠીનો સાગરિત હતો અને તે માથાભારેની છાપ ધરાવતો હતો ભૂતકાળમાં અનેક ગુનાઓ તેની સામે નોંધાયા હતા. પ્રાથમિક માહિતી પ્રમાણે, પાલનપુર પાટીયા ખાતે હાઉસિંગ બોર્ડમાં આવેલી ડી.આર. રાણા સ્કૂલ પાસે અંગત અદાવતમાં રાકેશ મારુંની હત્યા કરવામાં આવી હોવાનું અનુમાન છે.
માથાભારેની છાપ ધરાવતો રાકેશ મારું ગત મોડી રાતે પોતાના મિત્રોને મળવા ગયો હતો
ઘટનાને પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી ગયા હતા
સુરત. દિવાળીના તહેવાર ટાણે સુરતમાં જાહેરમાં હત્યાની ઘટના સામે આવી છે. માથાભારેની છાપ ધરાવતા રાંદેરના કુખ્યાત રાકેશ મારું નામની અજાણ્યા ઈસમો હત્યા કરી કરવામાં આવી હતી. જાહેરમાં હત્યા કરી ને તમામ લોકો ફરાર થઇ ગયા હતા. બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહીત પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
શહેરમાં દિવાળીના તહેવારની શરૂઆતમાં જાહેરમાં હત્યાની ઘટના બની હતી. રાંદેર વિસ્તારમાં માથાભારેની છાપ ધરાવતો રાકેશ મારું ગત મોડી રાતે પોતાના મિત્રોને મળવા ગયો હતો. તે વેળાએ અજાણ્યા 4 - 5 ઈસમો આવ્યા અને રાકેશ પર ચપ્પુ અને તીક્ષ્ણ હથીયાર વડે હુમલો કરી દીધો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા રાકેશને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને લઈને આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી, તો બીજી તરફ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, અને સમગ્ર મામલે તપાસ શરુ કરી છે. હત્યારાઓ કોણ હતા અને રાકેશની હત્યા કેમ કરવામાં આવી તે હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ તે દિશામાં તપાસ કરી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાકેશ મારું માથાભારે સુર્યા મરાઠીનો સાગરિત હતો અને તે માથાભારેની છાપ ધરાવતો હતો ભૂતકાળમાં અનેક ગુનાઓ તેની સામે નોંધાયા હતા. પ્રાથમિક માહિતી પ્રમાણે, પાલનપુર પાટીયા ખાતે હાઉસિંગ બોર્ડમાં આવેલી ડી.આર. રાણા સ્કૂલ પાસે અંગત અદાવતમાં રાકેશ મારુંની હત્યા કરવામાં આવી હોવાનું અનુમાન છે.