પુષ્પાબેન અગાઉ અમદાવાદના કાલુપુર ખાતે ઓફિસ ધરાવતા હતા
6 મે થી 11 સપ્ટેમ્બર 2019 દરમ્યાન મોટા વરાછાના વેપારી હર્ષદ હરીભાઇ વેકરીયાને ટુક્ડે-ટુક્ડે રૂ. 9.74 લાખની દવા ખરીદી
એક વર્ષ બાદ પણ પેમેન્ટ મામલે ગોળ ગોળ ફેરવતા આખરે ઉઘરાણી કરવા હર્ષદભાઇની ઓફિસ પહોંચ્યા
સુરત. અમરોલી વિસ્તારમાં દવાના સપ્લાયની ઉઘરાણી કરવા ગયેલા માતા-પુત્રીને ઓફિસમાં ગોંધી રાખી ઇસમ ફરાર થઇ ગયો હતો. જો કે આખરે પુત્રીએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અને માતા-પુત્રીને મુક્ત કરાવ્યા હતા. રૂમમાં ગોંધીને ફરાર થઇ ગયેલા ઈસમની પોલીસે ધરપકડ કરી હતી
મૂળ ભાવનગર જીલ્લાના વતની અને હાલ વરાછા બરોડા પ્રિસ્ટેજ સ્થિત અનુરાધા સોસાયટીમાં રહેતા વિધવા પુષ્પાબેન નાનજી વાઘાણી રહેણાંક મકાનના પહેલા માળે લોટાલટ્સ ફાર્મસિટીકલ્સ નામે દવા સપ્લાયનો ધંધો કરે છે. પુષ્પાબેન અગાઉ અમદાવાદના કાલુપુર ખાતે ઓફિસ ધરાવતા હતા. દરમિયાન 6 મે થી 11 સપ્ટેમ્બર 2019 સુધી મોટા વરાછા લજામણી ચોક સ્થિત ગોપીનાથ નગર 2 ના બી 154માં ઓફિસ ધરાવતા દવા વેપારી હર્ષદ હરીભાઇ વેકરીયાને ટુક્ડે-ટુક્ડે રૂા. 9.74 લાખની દવા સપ્લાય કરી હતી. અને આજ દિન સુધી પેમેન્ટ નહીં ચુકવી વાયદા પર વાયદા કરતા હતા.
ગત રોજ પુષ્પાબેન, તેમની 22 વર્ષીય પુત્રી રીતુ અને પુત્ર યગ્નેશ સાથે હર્ષદ વેકરીયાની ઓફિસે ઉઘરાણીએ ગયા હતા. પરંતુ હર્ષદ તેની ઓફિસમાં હાજર ન હતો અને તેની ઓફિસના કર્મચારી આશિષ શાંતીભાઇ ઠુમ્મર એ હર્ષદભાઇ અમદાવાદ ગયા હોવાનું જણાવ્યું હતું. આ અરસામાં યગ્નેશ પાણીની બોટલ લેવા દુકાને ગયો હતો તે દરમ્યાન આશિષ પુષ્પાબેન અને રીતુને ઓફિસમાં ગોંધીને ચાલ્યો ગયો હતો.
જેથી રીતુએ હર્ષદભાઇને ફોન કર્યો હતો પરંતુ તેણે ફોન રિસીવ નહીં કરતા છેવટે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા અમરોલી પોલીસ તુરંત જ દોડી આવી હતી અને માતા-પુત્રીને મુક્ત કરાવી આશિષની ધરપકડ કરી હતી.
પુષ્પાબેન અગાઉ અમદાવાદના કાલુપુર ખાતે ઓફિસ ધરાવતા હતા
6 મે થી 11 સપ્ટેમ્બર 2019 દરમ્યાન મોટા વરાછાના વેપારી હર્ષદ હરીભાઇ વેકરીયાને ટુક્ડે-ટુક્ડે રૂ. 9.74 લાખની દવા ખરીદી
એક વર્ષ બાદ પણ પેમેન્ટ મામલે ગોળ ગોળ ફેરવતા આખરે ઉઘરાણી કરવા હર્ષદભાઇની ઓફિસ પહોંચ્યા
સુરત. અમરોલી વિસ્તારમાં દવાના સપ્લાયની ઉઘરાણી કરવા ગયેલા માતા-પુત્રીને ઓફિસમાં ગોંધી રાખી ઇસમ ફરાર થઇ ગયો હતો. જો કે આખરે પુત્રીએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અને માતા-પુત્રીને મુક્ત કરાવ્યા હતા. રૂમમાં ગોંધીને ફરાર થઇ ગયેલા ઈસમની પોલીસે ધરપકડ કરી હતી
મૂળ ભાવનગર જીલ્લાના વતની અને હાલ વરાછા બરોડા પ્રિસ્ટેજ સ્થિત અનુરાધા સોસાયટીમાં રહેતા વિધવા પુષ્પાબેન નાનજી વાઘાણી રહેણાંક મકાનના પહેલા માળે લોટાલટ્સ ફાર્મસિટીકલ્સ નામે દવા સપ્લાયનો ધંધો કરે છે. પુષ્પાબેન અગાઉ અમદાવાદના કાલુપુર ખાતે ઓફિસ ધરાવતા હતા. દરમિયાન 6 મે થી 11 સપ્ટેમ્બર 2019 સુધી મોટા વરાછા લજામણી ચોક સ્થિત ગોપીનાથ નગર 2 ના બી 154માં ઓફિસ ધરાવતા દવા વેપારી હર્ષદ હરીભાઇ વેકરીયાને ટુક્ડે-ટુક્ડે રૂા. 9.74 લાખની દવા સપ્લાય કરી હતી. અને આજ દિન સુધી પેમેન્ટ નહીં ચુકવી વાયદા પર વાયદા કરતા હતા.
ગત રોજ પુષ્પાબેન, તેમની 22 વર્ષીય પુત્રી રીતુ અને પુત્ર યગ્નેશ સાથે હર્ષદ વેકરીયાની ઓફિસે ઉઘરાણીએ ગયા હતા. પરંતુ હર્ષદ તેની ઓફિસમાં હાજર ન હતો અને તેની ઓફિસના કર્મચારી આશિષ શાંતીભાઇ ઠુમ્મર એ હર્ષદભાઇ અમદાવાદ ગયા હોવાનું જણાવ્યું હતું. આ અરસામાં યગ્નેશ પાણીની બોટલ લેવા દુકાને ગયો હતો તે દરમ્યાન આશિષ પુષ્પાબેન અને રીતુને ઓફિસમાં ગોંધીને ચાલ્યો ગયો હતો.
જેથી રીતુએ હર્ષદભાઇને ફોન કર્યો હતો પરંતુ તેણે ફોન રિસીવ નહીં કરતા છેવટે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા અમરોલી પોલીસ તુરંત જ દોડી આવી હતી અને માતા-પુત્રીને મુક્ત કરાવી આશિષની ધરપકડ કરી હતી.