સુરતમાં એમ્બ્યુલન્સ અને બાઇક વચ્ચે અકસ્માત, ઘાયલ ચાલકને એ જ એમ્બ્યુલન્સમાં લઇ જવાયો
ડોક્ટરોએ રીપ્લેસમેન્ટ ન થઇ શકે તેમ જણાવતા એમ્બ્યુલન્સ ચાલક થયો ફરાર
WatchGujarat. એમ્બ્યુલન્સના ડ્રાઈવરે સિવિલ હોસ્પિટલની ગેટ બહાર જ એક બાઈક ચાલકને અડફેટે લીધો હતો. જેમાં બાઇક ચાલકના પગની ૩ આંગળીઓ છૂટી પડી ગયી હતી. એમ્બુલન્સમાં ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ લઇ આવ્યો હતો. પરંતુ ઓર્થોપેડીક તબીબે જોઈન્ટ રિપ્લેસમેન્ટ અશક્ય હોવાનું કહેતા એમ્બ્યુલન્સનો ચાલક દર્દીને હોસ્પિટલમાં છોડીને નાસી ગયો હતો.
સુરત સિવિલ હોસ્પિટલની બહાર એમ્બુલન્સ ચાલકે વરાછાના સોના એપાર્ટમેન્ટમાં રહેતા શશાંક અજયભાઈ ચૌહાણને અડફેટે લીધા હતા. જેમાં તેના પગની 3 આંગળીઓ છૂટી પડી ગયી હતી. આ ઘટના બાદ એમ્બ્યુલન્સનો ડ્રાઈવર ઈજાગ્રસ્તને સારવાર અર્થે તે જ એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલમાં લઇ આવ્યો હતો. જો કે ઓર્થો તબીબે ઈજાઓ જોઈ કહી દીધું કે જોઈન્ટ રિપ્લેસમેન્ટ અશક્ય હોવાનું કહ્યું હતું.
ડરના માર્યા સિવિલના ડ્રાઇવરે તાત્કાલિક RMOને જાણ કરી ત્યારબાદ એમ્બ્યુલન્સ લઈ કેમ્પસમાંથી ભાગી ગયો હતો. ઇજાગ્રસ્ત શશાંક અજયભાઈ ચૌહાણ ને પરિવાર સિવિલ હોસ્પિટલમાંથી ખાનગી હોસ્પિટલમાં લઈ ગયું હતું. ઈજાગ્રસ્તને છોડીને એમ્બ્યુલન્સનો ડ્રાઇવર ભાગી જતા પરિવારમાં રોષ જોવા મળ્યો હતો.
સુરતમાં એમ્બ્યુલન્સ અને બાઇક વચ્ચે અકસ્માત, ઘાયલ ચાલકને એ જ એમ્બ્યુલન્સમાં લઇ જવાયો
ડોક્ટરોએ રીપ્લેસમેન્ટ ન થઇ શકે તેમ જણાવતા એમ્બ્યુલન્સ ચાલક થયો ફરાર
WatchGujarat.એમ્બ્યુલન્સના ડ્રાઈવરે સિવિલ હોસ્પિટલની ગેટ બહાર જ એક બાઈક ચાલકને અડફેટે લીધો હતો. જેમાં બાઇક ચાલકના પગની ૩ આંગળીઓ છૂટી પડી ગયી હતી. એમ્બુલન્સમાં ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ લઇ આવ્યો હતો. પરંતુ ઓર્થોપેડીક તબીબે જોઈન્ટ રિપ્લેસમેન્ટ અશક્ય હોવાનું કહેતા એમ્બ્યુલન્સનો ચાલક દર્દીને હોસ્પિટલમાં છોડીને નાસી ગયો હતો.
સુરત સિવિલ હોસ્પિટલની બહાર એમ્બુલન્સ ચાલકે વરાછાના સોના એપાર્ટમેન્ટમાં રહેતા શશાંક અજયભાઈ ચૌહાણને અડફેટે લીધા હતા. જેમાં તેના પગની 3 આંગળીઓ છૂટી પડી ગયી હતી. આ ઘટના બાદ એમ્બ્યુલન્સનો ડ્રાઈવર ઈજાગ્રસ્તને સારવાર અર્થે તે જ એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલમાં લઇ આવ્યો હતો. જો કે ઓર્થો તબીબે ઈજાઓ જોઈ કહી દીધું કે જોઈન્ટ રિપ્લેસમેન્ટ અશક્ય હોવાનું કહ્યું હતું.
ડરના માર્યા સિવિલના ડ્રાઇવરે તાત્કાલિક RMOને જાણ કરી ત્યારબાદ એમ્બ્યુલન્સ લઈ કેમ્પસમાંથી ભાગી ગયો હતો. ઇજાગ્રસ્ત શશાંક અજયભાઈ ચૌહાણ ને પરિવાર સિવિલ હોસ્પિટલમાંથી ખાનગી હોસ્પિટલમાં લઈ ગયું હતું. ઈજાગ્રસ્તને છોડીને એમ્બ્યુલન્સનો ડ્રાઇવર ભાગી જતા પરિવારમાં રોષ જોવા મળ્યો હતો.