મ્યુનિસિપલ કમિશ્નરે જાતે જ તૈયારીઓની સમીક્ષા કરી
બેદરકારી તુરંત ડામવા માટે વહીવટી તંત્રને તાકીદ
WatchGujarat. સુરત મહાનગરપાલિકાના કમિશનર આજે સવારે વિવિધ વિસ્તારોમાં રાઉન્ડ પર નીકળ્યા હતા. કોરોના ની સ્થિતિ જોતા શહેરના તમામ ચેકપોસ્ટ પર સુરત મહાનગરપાલિકા દ્વારા કોરોના ટેસ્ટ ની સુવિધા ઉભી કરવામાં આવી છે સાથે સાથે જે લોકો શહેરમાં કામ ધંધા અર્થે નીકળતા લોકોને પણ કોરોના ટેસ્ટ કરાવવાની અપીલ બંછાનિધિ પાની દ્વારા કરવામાં આવી હતી.
SMC કમિશનર બંછાનિધિ પાની એ આજે સવારે અઠવા કતારગામ અને વરાછા ઝોનોમાં આવેલી સોસાયટીઓની મુલાકાત લીધી હતી. અને સંક્રમણ ને અટકાવવા માટે અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.. પરંતુ બીજી બાજુ સુરત શહેરના APMC માર્કેટ ની બહાર લોકોની ભીડ જોવા મળતા પાલિકા તંત્ર દોડતું થઇ ગયું હતું.આ બાબતે કમિશનરને પૂછાતા તેમણે જણાવ્યું હતું કે કર્ફ્યુનો પહેલો દિવસ હોવાના કારણે લોકો એક જગ્યાએ એકત્ર થઇ ગયા હતા પરંતુ હવે આવી કોઈ પણ બેદરકારી દેખાશે તો પાલિકા અને પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું SMC કમિશનરે જણાવ્યું હતું.
બીજા દિવસે જે વિસ્તારમાં ભીડ થતી હોય તેવા વિસ્તારોમાં દુકાનો બંધ કરાવવામાં આવી હતી મનપા તંત્રએ અલગ અલગ ટીમ બનાવી સુરતના અલગ અલગ વિસ્તારોમાં તપાસ શરુ કરી હતી આ દરમ્યાન ભાગળ વિસ્તારોમાં ભીડ જોવા મળતા ત્યાં આવેલી દુકાનો બંધ કરાવવામાં આવી હતી તેમજ ચૌટા બજાર પણ બંધ કરાવવામાં આવ્યું હતું સેન્ટ્રલ ઝોનમાં આવેલા નાનપુરા, સલાબતપુરા, બેગમપુરા, મહિધરપુરા, ગોપીપુરા, સોની અને વાડી ફળીયા સહિતના વિસ્તારમાં મનપાએ દુકાનો બંધ કરાવી હતી
મ્યુનિસિપલ કમિશ્નરે જાતે જ તૈયારીઓની સમીક્ષા કરી
બેદરકારી તુરંત ડામવા માટે વહીવટી તંત્રને તાકીદ
WatchGujarat. સુરત મહાનગરપાલિકાના કમિશનર આજે સવારે વિવિધ વિસ્તારોમાં રાઉન્ડ પર નીકળ્યા હતા. કોરોના ની સ્થિતિ જોતા શહેરના તમામ ચેકપોસ્ટ પર સુરત મહાનગરપાલિકા દ્વારા કોરોના ટેસ્ટ ની સુવિધા ઉભી કરવામાં આવી છે સાથે સાથે જે લોકો શહેરમાં કામ ધંધા અર્થે નીકળતા લોકોને પણ કોરોના ટેસ્ટ કરાવવાની અપીલ બંછાનિધિ પાની દ્વારા કરવામાં આવી હતી.
SMC કમિશનર બંછાનિધિ પાની એ આજે સવારે અઠવા કતારગામ અને વરાછા ઝોનોમાં આવેલી સોસાયટીઓની મુલાકાત લીધી હતી. અને સંક્રમણ ને અટકાવવા માટે અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.. પરંતુ બીજી બાજુ સુરત શહેરના APMC માર્કેટ ની બહાર લોકોની ભીડ જોવા મળતા પાલિકા તંત્ર દોડતું થઇ ગયું હતું.આ બાબતે કમિશનરને પૂછાતા તેમણે જણાવ્યું હતું કે કર્ફ્યુનો પહેલો દિવસ હોવાના કારણે લોકો એક જગ્યાએ એકત્ર થઇ ગયા હતા પરંતુ હવે આવી કોઈ પણ બેદરકારી દેખાશે તો પાલિકા અને પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું SMC કમિશનરે જણાવ્યું હતું.
બીજા દિવસે જે વિસ્તારમાં ભીડ થતી હોય તેવા વિસ્તારોમાં દુકાનો બંધ કરાવવામાં આવી હતી મનપા તંત્રએ અલગ અલગ ટીમ બનાવી સુરતના અલગ અલગ વિસ્તારોમાં તપાસ શરુ કરી હતી આ દરમ્યાન ભાગળ વિસ્તારોમાં ભીડ જોવા મળતા ત્યાં આવેલી દુકાનો બંધ કરાવવામાં આવી હતી તેમજ ચૌટા બજાર પણ બંધ કરાવવામાં આવ્યું હતું સેન્ટ્રલ ઝોનમાં આવેલા નાનપુરા, સલાબતપુરા, બેગમપુરા, મહિધરપુરા, ગોપીપુરા, સોની અને વાડી ફળીયા સહિતના વિસ્તારમાં મનપાએ દુકાનો બંધ કરાવી હતી