અમદાવાદમાં સંપુર્ણ કર્ફ્યુ બાદ અન્ય શહેરોમાં વહીવટી તંત્ર સતર્ક બન્યું
કોરોનાથી બચવાના ઉપાયોનું શહેરમાં ચુસ્તપણે પાલન કરાવાશે, નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે દંડનીય કાર્યવાહીના આદેશ
બહાર ગામથી શહેરમાં આવતા તમામ લોકોના કોવિડ ટેસ્ટ કરવામાં આવશે
WatchGujarat. કોરોનાની વકરતી સ્થિતિને લઈને અમદાવાગમાં બે દિવસનો સંપુર્ણ કર્ફ્યું લગાવવામાં આવ્યો છે. ત્યારબાદ સુરતમાં તંત્ર સતર્ક થઇ ગયું છે. સુરત મહાનગર પાલીકા કમિશનરે શુક્રવારે તમામ ઝોનના અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને પરિસ્થીતી પર નજર રાખવા સુચના આપી છે. ઉપરાંત ભીડ વાળી જગ્યા પર નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે દંડનો આદેશ પણ કરવામાં આવ્યો છે.
દિવાળી બાદ રાજ્યમાં કોરોના વાઈરસના કેસો વધવાથી લોકોમાં લોકડાઉન લાગુ કરવાનો ભય ફેલાયો હતો. અમદાવાદમાં શુક્રવારે રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ ની જાહેરાત કરાયા બાદ લોકોમાં હવે અન્ય શહેરોમાં પણ કર્ફ્યુ આવશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. દરમિયાન અંબાજી દર્શન માટે પહોંચેલા મુખ્યપ્રધાન રૂપાણીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં લોકડાઉન લગાવવાનું કોઈ પ્લાનિંગ નથી. આ માત્ર એક અફવા છે. તેમણે અમદાવાદમાં લગાવવામાં આવેલા કર્ફ્યુ અંગે પણ કહ્યું હતું કે કોરોનાના કેસોમાં મોટો વધારો થતાં શહેરમાં તકેદારીના ભાગરૂપે કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે.
કોરોનાના કેસો વધતા સુરતમાં પણ તંત્ર સતર્ક થયું છે. સુરતમાં મનપા કમિશ્નર બંછાનિધિ પાનીએ શુક્રવારે તમામ ઝોનના અધિકારીઓ સાથે અને પોલીસ કમિશ્નર સાથે ખાસ બેઠક કરી પરિસ્થતિ પર નજર રાખવા સુચના આપી છે. તેમજ શોશ્યલ ડીસટનસનું ખાસ પાલન કરાવવા તેમજ દંડની કડક કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત લોકોને પણ જો કોઈ લક્ષણ દેખાય તો ખાસ ટેસ્ટીગ કરવા સુચના આપી છે. તેમજ જે લોકો બહાર ગામથી સુરત પરત ફરે તો ખાસ ટેસ્ટીંગ કરવા સુચના આપી છે. તેમજ જ્યાં સુધી કોરોનાની દવા ન આવે ત્યાં સુધી માસ્ક જ દવા છે તેવું જાણાવ્યું હતું અને લોકોને ખાસ તકેદારી રાખવા અને જરાક પણ ઢીલાશ ન છોડવા મનપા કમિશનરે સુરતીઓને અપીલ કરી છે
અમદાવાદમાં સંપુર્ણ કર્ફ્યુ બાદ અન્ય શહેરોમાં વહીવટી તંત્ર સતર્ક બન્યું
બહાર ગામથી શહેરમાં આવતા તમામ લોકોના કોવિડ ટેસ્ટ કરવામાં આવશે
WatchGujarat. કોરોનાની વકરતી સ્થિતિને લઈને અમદાવાગમાં બે દિવસનો સંપુર્ણ કર્ફ્યું લગાવવામાં આવ્યો છે. ત્યારબાદ સુરતમાં તંત્ર સતર્ક થઇ ગયું છે. સુરત મહાનગર પાલીકા કમિશનરે શુક્રવારે તમામ ઝોનના અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને પરિસ્થીતી પર નજર રાખવા સુચના આપી છે. ઉપરાંત ભીડ વાળી જગ્યા પર નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે દંડનો આદેશ પણ કરવામાં આવ્યો છે.
દિવાળી બાદ રાજ્યમાં કોરોના વાઈરસના કેસો વધવાથી લોકોમાં લોકડાઉન લાગુ કરવાનો ભય ફેલાયો હતો. અમદાવાદમાં શુક્રવારે રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ ની જાહેરાત કરાયા બાદ લોકોમાં હવે અન્ય શહેરોમાં પણ કર્ફ્યુ આવશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. દરમિયાન અંબાજી દર્શન માટે પહોંચેલા મુખ્યપ્રધાન રૂપાણીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં લોકડાઉન લગાવવાનું કોઈ પ્લાનિંગ નથી. આ માત્ર એક અફવા છે. તેમણે અમદાવાદમાં લગાવવામાં આવેલા કર્ફ્યુ અંગે પણ કહ્યું હતું કે કોરોનાના કેસોમાં મોટો વધારો થતાં શહેરમાં તકેદારીના ભાગરૂપે કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે.
કોરોનાના કેસો વધતા સુરતમાં પણ તંત્ર સતર્ક થયું છે. સુરતમાં મનપા કમિશ્નર બંછાનિધિ પાનીએ શુક્રવારે તમામ ઝોનના અધિકારીઓ સાથે અને પોલીસ કમિશ્નર સાથે ખાસ બેઠક કરી પરિસ્થતિ પર નજર રાખવા સુચના આપી છે. તેમજ શોશ્યલ ડીસટનસનું ખાસ પાલન કરાવવા તેમજ દંડની કડક કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત લોકોને પણ જો કોઈ લક્ષણ દેખાય તો ખાસ ટેસ્ટીગ કરવા સુચના આપી છે. તેમજ જે લોકો બહાર ગામથી સુરત પરત ફરે તો ખાસ ટેસ્ટીંગ કરવા સુચના આપી છે. તેમજ જ્યાં સુધી કોરોનાની દવા ન આવે ત્યાં સુધી માસ્ક જ દવા છે તેવું જાણાવ્યું હતું અને લોકોને ખાસ તકેદારી રાખવા અને જરાક પણ ઢીલાશ ન છોડવા મનપા કમિશનરે સુરતીઓને અપીલ કરી છે