સરકારના અનેક પ્રયત્નો છતા લોકોમાં સમજદારીનો અભાવ
રાત્રી કર્ફ્યુ બાદ શાકભાજી લેવા માટે લોકોના ટોળા એપીએમસી માર્કેટ ખાતે ઉમટી પડ્યા
WatchGujarat. સુરત સહિત વડોદરા અને રાજકોટમાં કોરોનાની સ્થિતિને લઈને રાત્રી કફર્યુની જાહેરાત કરી દેવામાં આવી છે. રાત્રી કફર્યુ લાગુ કર્યા ના બીજા દિવસે એપીએમસી માર્કેટમાં શાકભાજી ખરીદવા લોકોની ભારે ભીડ જોવા મળી હતી. જેમાં શોશ્યલ ડીસટન્સના ધજાગરા પણ ઉડતા જોવા મળ્યા હતા.
દિવાળી બાદ કોરોનાના કેસોમાં રાજ્યભરમાં વધારો જોવા મળી રહ્યો હતો. જેને લઈને અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં સરકાર દ્વારા રાતે 9 થી સવારના 6 સુધી કર્ફ્યુ અનિશ્ચિત મુદત માટે લગાવામાં આવ્યો છે. નવો આદેશ ના આવે ત્યાં સુધી આ કફર્યું લાગુ રહેશે. રાત્રી કર્ફ્યુ લાગુ કર્યાના બીજા દિવસે શાકભાજી ખરીદવા એપીએમસી માર્કેટમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. જેના કારણે અહી સોશિયલ ડીસટન્સીંગના ધજાગરા પણ ઉડતા જોવા મળ્યા હતા. દ્રશ્યોમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે અહી શાકભાજી ખરીદવા લોકોની કેટલી ભીડ છે.
ઉલ્લેખનીય છે કે આ પ્રકારની ભીડને લઈને શહેરમાં કોરોનાનું સંક્મ્રણ વધી શકે તેમ છે. તંત્ર દ્વારા અનેકવાર જાહેરાત કરવામાં આવી છે કે જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ રાબેતા મુજબ મળતી રહેશે. ત્યારે લોકો કોઈ અફવાથી પ્રેરાઇને ભીડનો હિસ્સો ન બને તે જરૂરી છે.
સરકારના અનેક પ્રયત્નો છતા લોકોમાં સમજદારીનો અભાવ
રાત્રી કર્ફ્યુ બાદ શાકભાજી લેવા માટે લોકોના ટોળા એપીએમસી માર્કેટ ખાતે ઉમટી પડ્યા
WatchGujarat. સુરત સહિત વડોદરા અને રાજકોટમાં કોરોનાની સ્થિતિને લઈને રાત્રી કફર્યુની જાહેરાત કરી દેવામાં આવી છે. રાત્રી કફર્યુ લાગુ કર્યા ના બીજા દિવસે એપીએમસી માર્કેટમાં શાકભાજી ખરીદવા લોકોની ભારે ભીડ જોવા મળી હતી. જેમાં શોશ્યલ ડીસટન્સના ધજાગરા પણ ઉડતા જોવા મળ્યા હતા.
દિવાળી બાદ કોરોનાના કેસોમાં રાજ્યભરમાં વધારો જોવા મળી રહ્યો હતો. જેને લઈને અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં સરકાર દ્વારા રાતે 9 થી સવારના 6 સુધી કર્ફ્યુ અનિશ્ચિત મુદત માટે લગાવામાં આવ્યો છે. નવો આદેશ ના આવે ત્યાં સુધી આ કફર્યું લાગુ રહેશે. રાત્રી કર્ફ્યુ લાગુ કર્યાના બીજા દિવસે શાકભાજી ખરીદવા એપીએમસી માર્કેટમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. જેના કારણે અહી સોશિયલ ડીસટન્સીંગના ધજાગરા પણ ઉડતા જોવા મળ્યા હતા. દ્રશ્યોમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે અહી શાકભાજી ખરીદવા લોકોની કેટલી ભીડ છે.
ઉલ્લેખનીય છે કે આ પ્રકારની ભીડને લઈને શહેરમાં કોરોનાનું સંક્મ્રણ વધી શકે તેમ છે. તંત્ર દ્વારા અનેકવાર જાહેરાત કરવામાં આવી છે કે જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ રાબેતા મુજબ મળતી રહેશે. ત્યારે લોકો કોઈ અફવાથી પ્રેરાઇને ભીડનો હિસ્સો ન બને તે જરૂરી છે.