ધનવંતરી રથ એક્ટિવ કરી દેવામાં આવ્યા
માર્કેટ બહાર ટેસ્ટ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે
વિવિધ બહાના બતાવી ટેસ્ટિંગ કરાવવાથી બચી રહ્યા હોવાનું સામે આવ્યું
WatchGujarat. સુરતમાં કોરોનાની સ્થિતિને લઈને તંત્ર એલર્ટ થઈ ગયું છે. અને વિવિધ વિસ્તારમાં તપાસ કરવામાં આવી રહી છે. ખાસ કરીને બહારથી આવતા લોકોનું ફરજીયાત ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. પરંતુ સુરતમાં લોકો ટેસ્ટિંગ કરાવવાથી ગભરાઈ રહ્યા છે અનેકે બહાના બનાવી ટેસ્ટિંગથી દુર ભાગી રહ્યા છે.
દિવાળીના તહેવાર બાદ સુરતમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. જેને લઈને રાતે કરફ્યુ પણ જાહેર કરવામાં આવ્યું છે. તો બીજી તરફ સુરતમાં તકેદારીના ભાગરૂપે તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. સુરતમાં ફરી એક વખત ધનવંતરી રથ એક્ટિવ કરી દેવામાં આવ્યા છે. અને સુરતના વિવિધ વિસ્તારમાં ટેસ્ટિંગ સેન્ટર શરૂ કરી દેવામાં આવ્યા છે.ટેક્સટાઈલ માર્કેટમાં રોજના હજારો લોકો આવતા જતા હોય છે. જેને લઈને માર્કેટ બહાર ટેસ્ટ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે.
ટેસ્ટિંગને લઈને હજુ પણ લોકોમાં જાગૃતતાનો અભાવ જોવા મળી રહ્યો છે. સુરતમાં લોકો હજુ પણ ટેસ્ટિંગ કરાવવાથી ગભરાઈ રહ્યા છે સુરતની ટેક્સટાઇલ માર્કેટ બહાર લોકો વિવિધ બહાના બતાવી ટેસ્ટિંગ કરાવવાથી બચી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે
https://youtu.be/ClfEEv5aY6w
કર્મચારીઓ દ્વારા લોકોને જણાવવામાં આવી રહ્યું છે કે આ તમારી સેફટી માટે છે. તેમજ ટેસ્ટિંગનો કોઈ ચાર્જ વસુલવામાં આવતો નથી. તેમ છત્તાં લોકો અનવવા બહાના બતાવી ટેસ્ટિંગથી દુર ભાગી રહ્યા છે
ટેસ્ટથી ભાગવાનું એક કારણ એ પણ છે કે ભૂતકાળમાં રિપોર્ટમાં વિસંગતા અગાઉ જોવા મળી હતી.પોઝિટિવ ન હોવા છતાં પોઝિટિવ બતાવી લોકોને આઇસોલેશનમાં મૂકી દેવામાં આવ્યા હતા. જેને લઈને લોકોમાં હજુ પણ ક્યાંકને ક્યાંક ટેસ્ટિંગ પર ભરોસો બેસતો નથી. ત્યારે ટેસ્ટિંગને લઈને તંત્ર વધુ જન જાગૃતી અભિયાન શરૂ કરે તે જરૂરી બન્યું છે.
ધનવંતરી રથ એક્ટિવ કરી દેવામાં આવ્યા
માર્કેટ બહાર ટેસ્ટ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે
વિવિધ બહાના બતાવી ટેસ્ટિંગ કરાવવાથી બચી રહ્યા હોવાનું સામે આવ્યું
WatchGujarat. સુરતમાં કોરોનાની સ્થિતિને લઈને તંત્ર એલર્ટ થઈ ગયું છે. અને વિવિધ વિસ્તારમાં તપાસ કરવામાં આવી રહી છે. ખાસ કરીને બહારથી આવતા લોકોનું ફરજીયાત ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. પરંતુ સુરતમાં લોકો ટેસ્ટિંગ કરાવવાથી ગભરાઈ રહ્યા છે અનેકે બહાના બનાવી ટેસ્ટિંગથી દુર ભાગી રહ્યા છે.
દિવાળીના તહેવાર બાદ સુરતમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. જેને લઈને રાતે કરફ્યુ પણ જાહેર કરવામાં આવ્યું છે. તો બીજી તરફ સુરતમાં તકેદારીના ભાગરૂપે તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. સુરતમાં ફરી એક વખત ધનવંતરી રથ એક્ટિવ કરી દેવામાં આવ્યા છે. અને સુરતના વિવિધ વિસ્તારમાં ટેસ્ટિંગ સેન્ટર શરૂ કરી દેવામાં આવ્યા છે.ટેક્સટાઈલ માર્કેટમાં રોજના હજારો લોકો આવતા જતા હોય છે. જેને લઈને માર્કેટ બહાર ટેસ્ટ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે.
ટેસ્ટિંગને લઈને હજુ પણ લોકોમાં જાગૃતતાનો અભાવ જોવા મળી રહ્યો છે. સુરતમાં લોકો હજુ પણ ટેસ્ટિંગ કરાવવાથી ગભરાઈ રહ્યા છે સુરતની ટેક્સટાઇલ માર્કેટ બહાર લોકો વિવિધ બહાના બતાવી ટેસ્ટિંગ કરાવવાથી બચી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે
કર્મચારીઓ દ્વારા લોકોને જણાવવામાં આવી રહ્યું છે કે આ તમારી સેફટી માટે છે. તેમજ ટેસ્ટિંગનો કોઈ ચાર્જ વસુલવામાં આવતો નથી. તેમ છત્તાં લોકો અનવવા બહાના બતાવી ટેસ્ટિંગથી દુર ભાગી રહ્યા છે
ટેસ્ટથી ભાગવાનું એક કારણ એ પણ છે કે ભૂતકાળમાં રિપોર્ટમાં વિસંગતા અગાઉ જોવા મળી હતી.પોઝિટિવ ન હોવા છતાં પોઝિટિવ બતાવી લોકોને આઇસોલેશનમાં મૂકી દેવામાં આવ્યા હતા. જેને લઈને લોકોમાં હજુ પણ ક્યાંકને ક્યાંક ટેસ્ટિંગ પર ભરોસો બેસતો નથી. ત્યારે ટેસ્ટિંગને લઈને તંત્ર વધુ જન જાગૃતી અભિયાન શરૂ કરે તે જરૂરી બન્યું છે.