શહેર પોલીસ દ્વારા વિવિધ સ્લોગન વાળા પોસ્ટરો રીક્ષા પાછળ લગાડવામાં આવી રહ્યા છે
કોરોનાની સ્થિતી વકરતા સુરત સહિત અન્ય શહેરોમાં રાત્રે 9 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કફર્યુ પણ લગાડવામાં આવ્યો
ટેસ્ટીંગ અંગે લોકોમાં ગભરાહટનો માહોલ
WatchGujarat. કોરોનાના વધતા કહેરમાં લોકો જાગૃત થાય અને તકેદારી રાખે તે માટે સુરત પોલીસે જનજાગૃતિ અભિયાન શરુ કર્યું છે. જેમાં શહેર પોલીસ દ્વારા વિવિધ સ્લોગન વાળા પોસ્ટરો રીક્ષા પાછળ લગાડવામાં આવી રહ્યા છે. આમ પોલીસ દ્વારા લોકજાગૃતિ લાવવા માટે નવરત પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.
તહેવાર બાદ રાજ્યના અનેક શહેરોમાં કોરોનાની સ્થિતી વકરી રહી છે. દિવસેને દિવસે કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. સુરતમાં પણ કોરોનાની સ્થિતિ વણસી છે. જેને લઈને સુરત સહિત અન્ય શહેરોમાં રાત્રે 9 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કફર્યુ પણ લગાડવામાં આવ્યો છે. સુરતમાં માસ્ક, અને સોશિયલ ડીસ્ટન્સને લઈને હજુ પણ લોકોમાં જાગૃતિનો અભાવ જોવા મળી રહ્યો છે. કોરોના સામે તકેદારાની પગલાની સાથે ટેસ્ટીંગ અંગે લોકોમાં ગભરાહટનો માહોલ છે. તેવા સમયે સુરત પોલીસે હવે જનજાગૃતિ અભિયાન શરુ કર્યું છે.
https://youtu.be/9_Z3Dt8M52w
પોલીસ દ્વારા રીક્ષાની પાછળ વિવિધ સ્લોગન સાથેના બેનરો લગાડવામાં આવી રહ્યા છે. બેનરોમાં લોકોને માસ્ક પહેરવા, સોશિયલ ડીસટન્સ જાળવવું, હાથ સાબુથી ધોવા તેમજ કોરોનાની ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન કરવું જેવી અપીલ પણ કરવામાં આવી રહી છે. કોરોના કાબુમાં રાખવા માટે સરકારના પ્રયત્નોની સાથે સાથે લોકોએ પણ આગળ આવવું પડશે.
શહેર પોલીસ દ્વારા વિવિધ સ્લોગન વાળા પોસ્ટરો રીક્ષા પાછળ લગાડવામાં આવી રહ્યા છે
કોરોનાની સ્થિતી વકરતા સુરત સહિત અન્ય શહેરોમાં રાત્રે 9 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કફર્યુ પણ લગાડવામાં આવ્યો
ટેસ્ટીંગ અંગે લોકોમાં ગભરાહટનો માહોલ
WatchGujarat. કોરોનાના વધતા કહેરમાં લોકો જાગૃત થાય અને તકેદારી રાખે તે માટે સુરત પોલીસે જનજાગૃતિ અભિયાન શરુ કર્યું છે. જેમાં શહેર પોલીસ દ્વારા વિવિધ સ્લોગન વાળા પોસ્ટરો રીક્ષા પાછળ લગાડવામાં આવી રહ્યા છે. આમ પોલીસ દ્વારા લોકજાગૃતિ લાવવા માટે નવરત પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.
તહેવાર બાદ રાજ્યના અનેક શહેરોમાં કોરોનાની સ્થિતી વકરી રહી છે. દિવસેને દિવસે કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. સુરતમાં પણ કોરોનાની સ્થિતિ વણસી છે. જેને લઈને સુરત સહિત અન્ય શહેરોમાં રાત્રે 9 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કફર્યુ પણ લગાડવામાં આવ્યો છે. સુરતમાં માસ્ક, અને સોશિયલ ડીસ્ટન્સને લઈને હજુ પણ લોકોમાં જાગૃતિનો અભાવ જોવા મળી રહ્યો છે. કોરોના સામે તકેદારાની પગલાની સાથે ટેસ્ટીંગ અંગે લોકોમાં ગભરાહટનો માહોલ છે. તેવા સમયે સુરત પોલીસે હવે જનજાગૃતિ અભિયાન શરુ કર્યું છે.
પોલીસ દ્વારા રીક્ષાની પાછળ વિવિધ સ્લોગન સાથેના બેનરો લગાડવામાં આવી રહ્યા છે. બેનરોમાં લોકોને માસ્ક પહેરવા, સોશિયલ ડીસટન્સ જાળવવું, હાથ સાબુથી ધોવા તેમજ કોરોનાની ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન કરવું જેવી અપીલ પણ કરવામાં આવી રહી છે. કોરોના કાબુમાં રાખવા માટે સરકારના પ્રયત્નોની સાથે સાથે લોકોએ પણ આગળ આવવું પડશે.