તબીબો મારી પાસે આવીને મને આશ્વાસન આપતા કે, ‘અમે તમારા સ્વજનો જ છીએ. તમને જલદી સાજા કરીને દીકરી પાસે મોકલીશું. સાંત્વનાથી મારૂ મનોબળ મજબૂત થયું હતું,
ચૈતાલીબેન દૂધવાલાને નવ દિવસ સુધી વેન્ટિલેટર પર રાખ્યા બાદ બાદ ત્રણ વખત પ્લાઝમા ચઢાવવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેની તબિયતમાં ધણો સુધારો થયો
સુરતઃ પાંચ વર્ષની નાનકડી દીકરી માતાથી ૨૫ દિવસ વિખુટી રહે તેની મનોવ્યથા એક માતા જ સમજી શકે. સુરતના દૂધવાલા દંપત્તિ ૨૫ દિવસ બાદ કોરોનાને મ્હાત આપી સ્વગૃહે પરત ફર્યા. માતાના મિલન માટેતરસતી તેમનીપાંચવર્ષીય વ્હાલસોયી દિકરીમાહીનેમાતા-પિતા ના મમતા ભર્યા ખોળે ખેલવાનો ફરી વાર અવસર મળ્યો. જેનો યશ દૂધવાલાદંપત્તિ નવી સિવિલના ઈશ્વરીયરૂપ કોરોના યોદ્ધા-આરોગ્યકર્મીઓને આપે છે અને કહેછે કે, નવજીવન આપનારા તબીબોના અમે ઋણી છીએ.
સુરતના પાલવિસ્તારના સુડા આવાસમાં ડેનિશ દૂધવાલા અને ચૈતાલીબેન દૂધવાલા પરિવાર સાથે રહે છે. 35 વર્ષીય ચૈતાલીબેનને તા.29 મી જુલાઈના રોજ તાવ, શરદી અને ઉધરસ સાથે શારીરિક નબળાઈ ના લક્ષણો જણાતાં નવીસિવિલમાં કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. ડેનિશભાઇ અને પાંચ વર્ષની દિકરીમાયાનો ટેસ્ટ કરાવતા તેમાંથી ડેનિશભાઇનો રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો હતો. જેથીપતિ-પત્ની બન્નેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
સારવાર માટે પાંચ વર્ષની દિકરીથી અલગ થતાં ચૈતાલીબેન ખુબ વ્યથિત થયાં હતા. તેઓ કહે છે કે, વ્હાલસોયી દિકરી નું શું થશે એ વિચાર મારા હ્રદયને કોરી ખાતો હતો. તબિયત બગડતાં મને વેન્ટિલેટર પર રાખવામાં આવી. તબીબો મારી પાસે આવીને મને આશ્વાસન આપતા કે, ‘અમે તમારા સ્વજનો જ છીએ. તમને જલદી સાજા કરીને દીકરી પાસે મોકલીશું. તબીબોની સાંત્વનાથી મારૂ મનોબળ મજબૂત થયું હતું, અને કોરોના સામે લડવાની હિંમત આવી હતી. વિડીયોકોલથી મારાભાઈના ઘરે રહેલી દિકરી સાથે વાત કરતાં હતાં. તા. ૨૨ ઓગસ્ટે રિપોર્ટ નેગેટિવ આવતા રજા આપવામાં આવી. હોમ કવોરન્ટાઈન પિરીયડપૂર્ણ કરી દીકરીને પુન: મળી અને વ્હાલ કર્યું હતું.
ચૈતાલીબેન દૂધવાલાના પતિ ડેનિશદૂધવાલા એ કહ્યું હતું કે, ‘મારો કોરોના રિપોર્ટ પણ પોઝિટીવ આવતા પાંચ વર્ષની દિકરી માહીને મામાના ઘરે મૂકી સિવિલમાં દાખલ થયો હતો .આ ઉપરાંત મારી પત્ની પણ કોરોના ગ્રસ્ત હતી.જેથી મનથી ભાંગી પડયો હતો. તબીબો અને સ્ટાફના આશ્વાસન મળતાં કોરોના સામે જંગ જીતવાની પ્રેરણા મળી. સ્વસ્થ થઈને જલદી જ દીકરી ને મળવા માટે અમે આતુર હતાં. સિવિલના ડોક્ટરોની સારવારથી અમે સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છીએ.મને તા.૦૪ ઓગસ્ટે સિવિલથી રજા આપવામાં આવી હતી.હોમકવોરન્ટાઈન પિરીયડ પૂર્ણ કરી દીકરી ને પુન: મળ્યોહતો.
સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં આસિસ્ટન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતા ડો.રાજન કંથારીયાએ જણાવ્યું હતું કે, ‘ચૈતાલીબેન દૂધવાલાને નવ દિવસ સુધી વેન્ટિલેટર પર રાખ્યા બાદ બાદ ત્રણ વખત પ્લાઝમા ચઢાવવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેની તબિયતમાં ધણો સુધારો થયો. 25 દિવસની સારવાર બાદ સ્વસ્થ થતાં 22 ઓગસ્ટના રોજ રજા આપવામાં આવી હતી.
કોરોનાના વધી રહેલ કેસોની સામે ઝડપથી સ્વસ્થ થઇ રહેલા દર્દીઓ રાજ્યસરકારના આરોગ્યતંત્રની ૨૪x૭ સતત ખડે પગે કરાઈ રહેલી સેવાની સાબિતી આપે છે. દર્દીઓ પોતે આ કોરોના યોદ્ધારૂપી ડોક્ટરની કામગીરીને જોઇનેપ્રભાવિત થવાની સાથે સાજા થવાનું મનોબળ મેળવી રહ્યા છે.
તબીબો મારી પાસે આવીને મને આશ્વાસન આપતા કે, ‘અમે તમારા સ્વજનો જ છીએ. તમને જલદી સાજા કરીને દીકરી પાસે મોકલીશું. સાંત્વનાથી મારૂ મનોબળ મજબૂત થયું હતું,
ચૈતાલીબેન દૂધવાલાને નવ દિવસ સુધી વેન્ટિલેટર પર રાખ્યા બાદ બાદ ત્રણ વખત પ્લાઝમા ચઢાવવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેની તબિયતમાં ધણો સુધારો થયો
સુરતઃ પાંચ વર્ષની નાનકડી દીકરી માતાથી ૨૫ દિવસ વિખુટી રહે તેની મનોવ્યથા એક માતા જ સમજી શકે. સુરતના દૂધવાલા દંપત્તિ ૨૫ દિવસ બાદ કોરોનાને મ્હાત આપી સ્વગૃહે પરત ફર્યા. માતાના મિલન માટેતરસતી તેમનીપાંચવર્ષીય વ્હાલસોયી દિકરીમાહીનેમાતા-પિતા ના મમતા ભર્યા ખોળે ખેલવાનો ફરી વાર અવસર મળ્યો. જેનો યશ દૂધવાલાદંપત્તિ નવી સિવિલના ઈશ્વરીયરૂપ કોરોના યોદ્ધા-આરોગ્યકર્મીઓને આપે છે અને કહેછે કે, નવજીવન આપનારા તબીબોના અમે ઋણી છીએ.
સુરતના પાલવિસ્તારના સુડા આવાસમાં ડેનિશ દૂધવાલા અને ચૈતાલીબેન દૂધવાલા પરિવાર સાથે રહે છે. 35 વર્ષીય ચૈતાલીબેનને તા.29 મી જુલાઈના રોજ તાવ, શરદી અને ઉધરસ સાથે શારીરિક નબળાઈ ના લક્ષણો જણાતાં નવીસિવિલમાં કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. ડેનિશભાઇ અને પાંચ વર્ષની દિકરીમાયાનો ટેસ્ટ કરાવતા તેમાંથી ડેનિશભાઇનો રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો હતો. જેથીપતિ-પત્ની બન્નેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
સારવાર માટે પાંચ વર્ષની દિકરીથી અલગ થતાં ચૈતાલીબેન ખુબ વ્યથિત થયાં હતા. તેઓ કહે છે કે, વ્હાલસોયી દિકરી નું શું થશે એ વિચાર મારા હ્રદયને કોરી ખાતો હતો. તબિયત બગડતાં મને વેન્ટિલેટર પર રાખવામાં આવી. તબીબો મારી પાસે આવીને મને આશ્વાસન આપતા કે, ‘અમે તમારા સ્વજનો જ છીએ. તમને જલદી સાજા કરીને દીકરી પાસે મોકલીશું. તબીબોની સાંત્વનાથી મારૂ મનોબળ મજબૂત થયું હતું, અને કોરોના સામે લડવાની હિંમત આવી હતી. વિડીયોકોલથી મારાભાઈના ઘરે રહેલી દિકરી સાથે વાત કરતાં હતાં. તા. ૨૨ ઓગસ્ટે રિપોર્ટ નેગેટિવ આવતા રજા આપવામાં આવી. હોમ કવોરન્ટાઈન પિરીયડપૂર્ણ કરી દીકરીને પુન: મળી અને વ્હાલ કર્યું હતું.
ચૈતાલીબેન દૂધવાલાના પતિ ડેનિશદૂધવાલા એ કહ્યું હતું કે, ‘મારો કોરોના રિપોર્ટ પણ પોઝિટીવ આવતા પાંચ વર્ષની દિકરી માહીને મામાના ઘરે મૂકી સિવિલમાં દાખલ થયો હતો .આ ઉપરાંત મારી પત્ની પણ કોરોના ગ્રસ્ત હતી.જેથી મનથી ભાંગી પડયો હતો. તબીબો અને સ્ટાફના આશ્વાસન મળતાં કોરોના સામે જંગ જીતવાની પ્રેરણા મળી. સ્વસ્થ થઈને જલદી જ દીકરી ને મળવા માટે અમે આતુર હતાં. સિવિલના ડોક્ટરોની સારવારથી અમે સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છીએ.મને તા.૦૪ ઓગસ્ટે સિવિલથી રજા આપવામાં આવી હતી.હોમકવોરન્ટાઈન પિરીયડ પૂર્ણ કરી દીકરી ને પુન: મળ્યોહતો.
સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં આસિસ્ટન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતા ડો.રાજન કંથારીયાએ જણાવ્યું હતું કે, ‘ચૈતાલીબેન દૂધવાલાને નવ દિવસ સુધી વેન્ટિલેટર પર રાખ્યા બાદ બાદ ત્રણ વખત પ્લાઝમા ચઢાવવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેની તબિયતમાં ધણો સુધારો થયો. 25 દિવસની સારવાર બાદ સ્વસ્થ થતાં 22 ઓગસ્ટના રોજ રજા આપવામાં આવી હતી.
કોરોનાના વધી રહેલ કેસોની સામે ઝડપથી સ્વસ્થ થઇ રહેલા દર્દીઓ રાજ્યસરકારના આરોગ્યતંત્રની ૨૪x૭ સતત ખડે પગે કરાઈ રહેલી સેવાની સાબિતી આપે છે. દર્દીઓ પોતે આ કોરોના યોદ્ધારૂપી ડોક્ટરની કામગીરીને જોઇનેપ્રભાવિત થવાની સાથે સાજા થવાનું મનોબળ મેળવી રહ્યા છે.