60 વર્ષના દિનાબેન નટવરલાલ સરવૈયા 25 દિવસ વેન્ટિલેટર પર રહી કોરોનાને મ્હાત આપી છે.
દિનાબેનને તાવ અને ઉધરસ જણાતા બાદ શ્વાસ લેવામાં તકલીફ પડતા 28 જૂનના દિવસે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.
સુરત: સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર લઇ સુરતના ૬૦ વર્ષના દિનાબેન નટવરલાલ સરવૈયા 25 દિવસ વેન્ટિલેટર પર રહી કોરોનાને મ્હાત આપી છે. ડોક્ટરો અને સ્ટાફની મહેનત થકી તેમને નવજીવન મળ્યું છે. દિનાબેનને 28 દિવસ બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા પરિવારમાં ખુશહાલીનો માહોલ સર્જાયો છે.
સુરતના વરાછા વિસ્તારના સંતોષનગર સોસાયટીમાં રહેતા દિનાબેન નટવરલાલ સરવૈયા મૂળરાજકોટ જિલ્લાના જેતપુર ગામના વતની છે. તેમના પતિ છેલ્લા 15 વર્ષથી સુરતમાં રહી ડ્રેસ, દુપટ્ટાની નાની દુકાન ચલાવે છે. દિનાબેનને તાવ અને ઉધરસ જણાતા નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર લીધી હતી. ત્યારબાદ શ્વાસ લેવામાં તકલીફ પડતા 28 જૂનના દિવસે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. જ્યાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.તંદુરસ્તી નાજુક થતા તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.
દિનાબેનની તંદુરસ્તીમાં સુધારો થતા 13 જુલાઈના રોજ તેમને કિરણ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. ડોક્ટરોની સતત દેખરેખ અને ખુબ ઉમદા સારવાર થકી સંપૂર્ણ સ્વસ્થ થતા ૨૫ જુલાઈના રોજ રજા આપવામાં આવી હતી. 15 દિવસ હોમ કવોરન્ટાઇન રહેવાની સલાહ આપવામાં આવી હતી. તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ છે.
દિનાબેન જણાવે છે કે, સ્મીમેર હોસ્પિટલ તેમજ કિરણ હોસ્પિટલના તબીબી સ્ટાફ દ્વારા સમયસરની સારવાર અને સ્ટાફની હુંફ કોરોનાને હરાવવા મનોબળ વધ્યું. જેનું સંપૂર્ણ શ્રેય હોસ્પિટલના સ્ટાફને જાય છે તેઓએ નવજીવન આપ્યું છે, આભાર વ્યક્ત કરું છુ.
દિનાબેનના પુત્ર મિતેશભાઈ સરવૈયા જણાવે છે કે, ડોકટરોની યોગ્ય સારવારથી જ આજે મારી માતા કોરોના જેવા ગંભીર ચેપી રોગને હરાવી શકી છે. સ્મીમેર હોસ્પિટલ અને કિરણ હોસ્પિટલ એમ બન્ને હોસ્પિટલમાં સ્ટાફનું વર્તન ખુબ સરાહનીય હતું, સારવારનો તમામ ખર્ચ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે જેના વતી અમે સૌ ડોકટરો અને રાજ્ય સરકારના ખુબ આભારી છીએ.
60 વર્ષના દિનાબેન નટવરલાલ સરવૈયા 25 દિવસ વેન્ટિલેટર પર રહી કોરોનાને મ્હાત આપી છે.
દિનાબેનને તાવ અને ઉધરસ જણાતા બાદ શ્વાસ લેવામાં તકલીફ પડતા 28 જૂનના દિવસે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.
સુરત: સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર લઇ સુરતના ૬૦ વર્ષના દિનાબેન નટવરલાલ સરવૈયા 25 દિવસ વેન્ટિલેટર પર રહી કોરોનાને મ્હાત આપી છે. ડોક્ટરો અને સ્ટાફની મહેનત થકી તેમને નવજીવન મળ્યું છે. દિનાબેનને 28 દિવસ બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા પરિવારમાં ખુશહાલીનો માહોલ સર્જાયો છે.
સુરતના વરાછા વિસ્તારના સંતોષનગર સોસાયટીમાં રહેતા દિનાબેન નટવરલાલ સરવૈયા મૂળરાજકોટ જિલ્લાના જેતપુર ગામના વતની છે. તેમના પતિ છેલ્લા 15 વર્ષથી સુરતમાં રહી ડ્રેસ, દુપટ્ટાની નાની દુકાન ચલાવે છે. દિનાબેનને તાવ અને ઉધરસ જણાતા નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર લીધી હતી. ત્યારબાદ શ્વાસ લેવામાં તકલીફ પડતા 28 જૂનના દિવસે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. જ્યાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.તંદુરસ્તી નાજુક થતા તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.
દિનાબેનની તંદુરસ્તીમાં સુધારો થતા 13 જુલાઈના રોજ તેમને કિરણ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. ડોક્ટરોની સતત દેખરેખ અને ખુબ ઉમદા સારવાર થકી સંપૂર્ણ સ્વસ્થ થતા ૨૫ જુલાઈના રોજ રજા આપવામાં આવી હતી. 15 દિવસ હોમ કવોરન્ટાઇન રહેવાની સલાહ આપવામાં આવી હતી. તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ છે.
દિનાબેન જણાવે છે કે, સ્મીમેર હોસ્પિટલ તેમજ કિરણ હોસ્પિટલના તબીબી સ્ટાફ દ્વારા સમયસરની સારવાર અને સ્ટાફની હુંફ કોરોનાને હરાવવા મનોબળ વધ્યું. જેનું સંપૂર્ણ શ્રેય હોસ્પિટલના સ્ટાફને જાય છે તેઓએ નવજીવન આપ્યું છે, આભાર વ્યક્ત કરું છુ.
દિનાબેનના પુત્ર મિતેશભાઈ સરવૈયા જણાવે છે કે, ડોકટરોની યોગ્ય સારવારથી જ આજે મારી માતા કોરોના જેવા ગંભીર ચેપી રોગને હરાવી શકી છે. સ્મીમેર હોસ્પિટલ અને કિરણ હોસ્પિટલ એમ બન્ને હોસ્પિટલમાં સ્ટાફનું વર્તન ખુબ સરાહનીય હતું, સારવારનો તમામ ખર્ચ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે જેના વતી અમે સૌ ડોકટરો અને રાજ્ય સરકારના ખુબ આભારી છીએ.