ટોસિલિઝુમેબ ઇન્જેક્શન કાળાબજાર મામલે ઉમરા પોલીસે ત્રણની કરી ધરપકડ
કાળાબજાર કરવા મામલે ફૂડ અને ડ્રગ્સ વિભાગ દ્વારા સાત વ્યક્તિઓ સામે કરાઇ હતી ફરિયાદ
ઉમરા પોલીસે અમિત મંછારામાણી, ધનશ્યામ વ્યાસ અને ભાવેશ સોલંકીની કરી ધરપકડ
સુરત. કોરોના સક્રમીત દર્દીઓના જીવ બચાવવા માટે અત્યંત જરૂરી ટોસિલિઝુમેબ ઇન્જેકશનના કાળાબજાર કરવાના પ્રકરણમાં ઝડપાયેલા અડાજણની મે. ન્યુ શાંતિ મેડિસીનના માલિકે માત્ર રૂા.15 હજારના કમિશનની લાલચમાં વેસુની મે. સાર્થક ફાર્માને ઇન્જેકશનની 3 વાયલ વેચાણ કરી હતી. બીજી તરફ આ કૌભાંડમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલના કોન્ટ્રાક્ટ હેઠળના કર્મચારીની પણ સંડોવણી બહાર આવી છે.
ફુડ એન્ડ ડ્રગ વિભાગે દોઢ મહિના અગાઉ વેસુની મે. સાર્થક ફાર્મા પર દરોડા પાડી કોરોના સક્રમીત દર્દીઓના જીવ બચાવવા માટે અત્યંત જરૂરી ટોસિલીજુમાબ નામના ઇન્જેકશનની એમઆરપી રૂા. 40,545 હોવા છતા વગર બિલે રૂા. 57,000 ના ઉંચા ભાવે વેચાણ થતું હોવાનું ઝડપી પાડયું હતું. ફુડ એન્ડ ડ્રગ વિભાગની તપાસમાં એમઆરપી કરતા ઉંચા ભાવે ઇન્જેકશન વેચવાનું કૌભાંડ હોવાનું અને તેમાં પાલ ગેલેક્ષી સર્કલ નજીક ગેલેક્ષી એન્કલેવમાં દુકાન નં. યુજી 10માં ન્યુ શાંતિ મેડિસીનથી લઇ અમદાવાદ સુધી ફેલાયેલું હોવાનું શોધી કાઢી જે તે વખતે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
જે અંતર્ગત પોલીસે ગત દિવસોમાં ન્યુ શાંતિ મેડિસીનના માલિક મિતુલ મનસુખ શાહ (રહે. વાત્સલ્ય હાઇટ્સ, ગ્રીન એવેન્યુની સામે, અડાજણ) ની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી.
અમદાવાદાની કે.બી.વી ફાર્મા એજન્સીના અમીત પરસોત્તમ મંછારામણી (ઉ.વ. 31 રહે. ડી 301, ઓઝોન સિટી સોસાયટી, આઇ.ટી.આઇ રોડ, નરોડા, અમદાવાદ), અમદાવાદ સિવિલ હોસ્પિટલના કોન્ટ્રાક્ટ હેઠળના કર્મચારી ઘનશ્યામ અનિરૂધ્ધ વ્યાસ (ઉ.વ. 42 રહે. બી 2020, ગોવર્ધન ગેલેક્ષી એપાર્ટમેન્ટ, નવા નરોડા, અમદાવાદ અને મૂળ હિંમતપરા ગામ, સાબરકાંઠા), અમદાવાદની ધ્રૃવિ ડિસ્ટ્રીબ્યુટર્સના ભાવેશ કનુભાઇ સોલંકી (ઉ.વ. 30 રહે. ડી 212, રાધે ગોવિંદ સોસાયટી, નવા નરોડા, અમદાવાદ અને મૂળ. કપડવંજ, જિ. ખેડા) અને અભિષેક રમેશ ટીકમાણી (ઉ.વ. 36 રહે. ગ્રીનએંકર સોસાયટી, સેટેલાઇટ, અમદાવાદ) ની ધરપકડ કરી છે.
- ટોસિલિઝુમેબ ઇન્જેક્શન કાળાબજાર મામલે ઉમરા પોલીસે ત્રણની કરી ધરપકડ
- કાળાબજાર કરવા મામલે ફૂડ અને ડ્રગ્સ વિભાગ દ્વારા સાત વ્યક્તિઓ સામે કરાઇ હતી ફરિયાદ
- ઉમરા પોલીસે અમિત મંછારામાણી, ધનશ્યામ વ્યાસ અને ભાવેશ સોલંકીની કરી ધરપકડ
સુરત. કોરોના સક્રમીત દર્દીઓના જીવ બચાવવા માટે અત્યંત જરૂરી ટોસિલિઝુમેબ ઇન્જેકશનના કાળાબજાર કરવાના પ્રકરણમાં ઝડપાયેલા અડાજણની મે. ન્યુ શાંતિ મેડિસીનના માલિકે માત્ર રૂા.15 હજારના કમિશનની લાલચમાં વેસુની મે. સાર્થક ફાર્માને ઇન્જેકશનની 3 વાયલ વેચાણ કરી હતી. બીજી તરફ આ કૌભાંડમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલના કોન્ટ્રાક્ટ હેઠળના કર્મચારીની પણ સંડોવણી બહાર આવી છે.
ફુડ એન્ડ ડ્રગ વિભાગે દોઢ મહિના અગાઉ વેસુની મે. સાર્થક ફાર્મા પર દરોડા પાડી કોરોના સક્રમીત દર્દીઓના જીવ બચાવવા માટે અત્યંત જરૂરી ટોસિલીજુમાબ નામના ઇન્જેકશનની એમઆરપી રૂા. 40,545 હોવા છતા વગર બિલે રૂા. 57,000 ના ઉંચા ભાવે વેચાણ થતું હોવાનું ઝડપી પાડયું હતું. ફુડ એન્ડ ડ્રગ વિભાગની તપાસમાં એમઆરપી કરતા ઉંચા ભાવે ઇન્જેકશન વેચવાનું કૌભાંડ હોવાનું અને તેમાં પાલ ગેલેક્ષી સર્કલ નજીક ગેલેક્ષી એન્કલેવમાં દુકાન નં. યુજી 10માં ન્યુ શાંતિ મેડિસીનથી લઇ અમદાવાદ સુધી ફેલાયેલું હોવાનું શોધી કાઢી જે તે વખતે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
જે અંતર્ગત પોલીસે ગત દિવસોમાં ન્યુ શાંતિ મેડિસીનના માલિક મિતુલ મનસુખ શાહ (રહે. વાત્સલ્ય હાઇટ્સ, ગ્રીન એવેન્યુની સામે, અડાજણ) ની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી.
અમદાવાદાની કે.બી.વી ફાર્મા એજન્સીના અમીત પરસોત્તમ મંછારામણી (ઉ.વ. 31 રહે. ડી 301, ઓઝોન સિટી સોસાયટી, આઇ.ટી.આઇ રોડ, નરોડા, અમદાવાદ), અમદાવાદ સિવિલ હોસ્પિટલના કોન્ટ્રાક્ટ હેઠળના કર્મચારી ઘનશ્યામ અનિરૂધ્ધ વ્યાસ (ઉ.વ. 42 રહે. બી 2020, ગોવર્ધન ગેલેક્ષી એપાર્ટમેન્ટ, નવા નરોડા, અમદાવાદ અને મૂળ હિંમતપરા ગામ, સાબરકાંઠા), અમદાવાદની ધ્રૃવિ ડિસ્ટ્રીબ્યુટર્સના ભાવેશ કનુભાઇ સોલંકી (ઉ.વ. 30 રહે. ડી 212, રાધે ગોવિંદ સોસાયટી, નવા નરોડા, અમદાવાદ અને મૂળ. કપડવંજ, જિ. ખેડા) અને અભિષેક રમેશ ટીકમાણી (ઉ.વ. 36 રહે. ગ્રીનએંકર સોસાયટી, સેટેલાઇટ, અમદાવાદ) ની ધરપકડ કરી છે.