પ્લાઝમા બેંકના તબીબી સ્ટાફના પરિશ્રમ અને પ્લાઝમા દાતાઓના સહયોગથી 501 પ્લાઝમા દાનનું સીમાચિહ્ન સર કર્યું છે - પુનિત નૈયર
973 પ્લાઝમા સેમ્પલમાંથી 672 યુનિટ ઇસ્યુ કર્યા, 575 સ્મીમેર હોસ્પિટલમાં અને 280 અન્ય હોસ્પિટલના કોરોના દર્દીને આપવામાં આવ્યા
સુરત: દાનવીર કર્ણની ભૂમિ સુરત હવે કોવિડ-19ની વૈશ્વિક મહામારી વચ્ચે પ્લાઝમા દાનમાં પણ ઉભર્યું છે. આપત્તિના સમયે સુરતવાસીઓનું યોગદાન હંમેશા અનેરૂ રહ્યું છે, ત્યારે સ્મીમેર હોસ્પિટલ ખાતે તા.5 જુલાઈથી શરૂ થયેલી પ્લાઝમા બેન્કમાં બે મહિનાથી પણ ઓછા સમયમાં 501 પ્લાઝમા ડોનેટ કરાવી અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ 501 પ્લાઝમા દાન સાથે રાજ્યભરમાં મોખરે રહી છે. આ સિદ્ધિ બદલ સ્મીમેર હોસ્પિટલના નોડલ ઓફિસર અને નાયબ વન સંરક્ષક પુનિત નૈયરે બ્લડ બેંકના સ્ટાફને સર્ટિફિકેટ આપી સન્માનિત કર્યા હતાં.
પુનિત નૈયરે જણાવ્યું હતું કે, સ્મીમેર હોસ્પિટલ કોવિડ-૧૯ની મહામારીમાં 24x7 કલાક કામ કરી રહી છે. સ્મીમેર હોસ્પિટલને પ્લાઝમા બેન્કની મંજૂરી મળી ત્યારથી કોરોનામુક્ત દર્દીઓને પ્લાઝમા દાન માટે પ્રેરિત કરવાનું ભગીરથ કાર્ય શરૂ કર્યું હતું. જેના પરિણામે 501 પ્લાઝમા દાનનું સીમાચિહ્ન સર કર્યું છે. બ્લડબેન્કના સ્ટાફ અને ડોક્ટરોની ટીમની મહેનત અને પ્લાઝમા ડોનરોના નિ:સ્વાર્થ સેવાકીય અભિગમથી સિધ્ધી હાંસલ કરી છે. હાલ સુરતમાં પ્લાઝમાની જરૂરિયાત ઓછી થઈ હોવાથી આસપાસના જિલ્લામાં પ્લાઝમાની જરૂર જણાશે તો સપ્લાયની મંજૂરી મેળવીજરૂરિયાત ધરાવતાં દર્દીઓને પ્લાઝમા પૂરા પાડીશું એમ શ્રી નૈયરે જણાવ્યું હતું.
સ્મીમેર બ્લડ બેંકના હેડ ડો.અંકિતા શાહે જણાવ્યું હતું કે, ‘કોરોનાની વૈશ્વિક મહામારીમાં પ્લાઝમા થેરાપીથી કોરોના દર્દીઓને ઘણી રાહત થઈ છે. અમારી બ્લડ બેન્કની ટીમ દ્વારા તા.૫ જુલાઈથી પ્લાઝમા બેન્કની શરૂઆતથી આજ સુધી છેલ્લાં બે મહિનામાં 501 પ્લાઝમા એકત્ર કર્યા છે. 973 પ્લાઝમા સેમ્પલ લેવાયા હતા અને 672 યુનિટ ઇસ્યુ કરવામાં આવ્યા હતા. જેમાં 575 સ્મીમેર હોસ્પીટલ અને 280 યુનિટ અન્ય હોસ્પિટલમાં ઇસ્યુ કર્યા છે.
પ્લાઝમા બેંકના તબીબી સ્ટાફના પરિશ્રમ અને પ્લાઝમા દાતાઓના સહયોગથી 501 પ્લાઝમા દાનનું સીમાચિહ્ન સર કર્યું છે - પુનિત નૈયર
973 પ્લાઝમા સેમ્પલમાંથી 672 યુનિટ ઇસ્યુ કર્યા, 575 સ્મીમેર હોસ્પિટલમાં અને 280 અન્ય હોસ્પિટલના કોરોના દર્દીને આપવામાં આવ્યા
સુરત: દાનવીર કર્ણની ભૂમિ સુરત હવે કોવિડ-19ની વૈશ્વિક મહામારી વચ્ચે પ્લાઝમા દાનમાં પણ ઉભર્યું છે. આપત્તિના સમયે સુરતવાસીઓનું યોગદાન હંમેશા અનેરૂ રહ્યું છે, ત્યારે સ્મીમેર હોસ્પિટલ ખાતે તા.5 જુલાઈથી શરૂ થયેલી પ્લાઝમા બેન્કમાં બે મહિનાથી પણ ઓછા સમયમાં 501 પ્લાઝમા ડોનેટ કરાવી અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ 501 પ્લાઝમા દાન સાથે રાજ્યભરમાં મોખરે રહી છે. આ સિદ્ધિ બદલ સ્મીમેર હોસ્પિટલના નોડલ ઓફિસર અને નાયબ વન સંરક્ષક પુનિત નૈયરે બ્લડ બેંકના સ્ટાફને સર્ટિફિકેટ આપી સન્માનિત કર્યા હતાં.
પુનિત નૈયરે જણાવ્યું હતું કે, સ્મીમેર હોસ્પિટલ કોવિડ-૧૯ની મહામારીમાં 24x7 કલાક કામ કરી રહી છે. સ્મીમેર હોસ્પિટલને પ્લાઝમા બેન્કની મંજૂરી મળી ત્યારથી કોરોનામુક્ત દર્દીઓને પ્લાઝમા દાન માટે પ્રેરિત કરવાનું ભગીરથ કાર્ય શરૂ કર્યું હતું. જેના પરિણામે 501 પ્લાઝમા દાનનું સીમાચિહ્ન સર કર્યું છે. બ્લડબેન્કના સ્ટાફ અને ડોક્ટરોની ટીમની મહેનત અને પ્લાઝમા ડોનરોના નિ:સ્વાર્થ સેવાકીય અભિગમથી સિધ્ધી હાંસલ કરી છે. હાલ સુરતમાં પ્લાઝમાની જરૂરિયાત ઓછી થઈ હોવાથી આસપાસના જિલ્લામાં પ્લાઝમાની જરૂર જણાશે તો સપ્લાયની મંજૂરી મેળવીજરૂરિયાત ધરાવતાં દર્દીઓને પ્લાઝમા પૂરા પાડીશું એમ શ્રી નૈયરે જણાવ્યું હતું.
સ્મીમેર બ્લડ બેંકના હેડ ડો.અંકિતા શાહે જણાવ્યું હતું કે, ‘કોરોનાની વૈશ્વિક મહામારીમાં પ્લાઝમા થેરાપીથી કોરોના દર્દીઓને ઘણી રાહત થઈ છે. અમારી બ્લડ બેન્કની ટીમ દ્વારા તા.૫ જુલાઈથી પ્લાઝમા બેન્કની શરૂઆતથી આજ સુધી છેલ્લાં બે મહિનામાં 501 પ્લાઝમા એકત્ર કર્યા છે. 973 પ્લાઝમા સેમ્પલ લેવાયા હતા અને 672 યુનિટ ઇસ્યુ કરવામાં આવ્યા હતા. જેમાં 575 સ્મીમેર હોસ્પીટલ અને 280 યુનિટ અન્ય હોસ્પિટલમાં ઇસ્યુ કર્યા છે.