ચોકીદાર છેલ્લા 40 વર્ષથી કામ કરતા હતા
છેલ્લા કેટલાક વર્ષોથી તેઓ મગજની બીમારી અને કેન્સર સહિતના અનેક રોગોથી પીડાઈ રહ્યા હતા
બીમારીથી કંટાળીને તેમણે આ પગલું ભર્યું હોવાની શક્યતા
WatchGujarat. ગત મોડીરાત્રે શહેરનાં કેનાલ રોડ વિસ્તારમાં હૈયું હચમચાવતી ઘટના સામે આવી છે. જેમાં અહીંના એક બિલ્ડીંગમાં ચોકીદાર તરીકે કામ કરતા આધેડનું છત પરથી નીચે પટકાતા ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. ઘટનાને પગલે લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા. અને પોલીસને જાણ કરવામાં આવી હતી. અને અકસ્માતે તેમનો પગ લપસ્યો છે કે તેમણે આત્મહત્યા કરી છે તે અંગે હાલ પોલીસે તપાસ શરૂ કરી છે. જોકે મૃતક છેલ્લા ઘણા વર્ષોથી અનેક બીમારીઓથી પીડિત હોવાથી તેમણે આત્મહત્યા કરી હોવાની આશંકા સેવાઈ રહી છે.
જાણવા મળતી વિગત અનુસાર 54 વર્ષીય મિસ્ત્રી કરૈયાભાઈ લક્ષ્મણભાઈ નામના આધેડ છેલ્લા 40 વર્ષથી કેનાલ રોડ પર આવેલા બિઝનેસ સેન્ટર નામના બિલ્ડીંગમાં ચોકીદાર તરીકે ફરજ બજાવતા હતા. ગત રાત્રે તેઓ બિલ્ડીંગની છત પરથી પટકાતા ઘટનાસ્થળે તેમનું મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ દોડી ગઈ હતી. અને મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
કરૈયાભાઈની સાથે 25 વર્ષથી કામ કરતા ઝૂબેદાબેને જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા 40 વર્ષથી અહીં કામ કરતા હતા. અને છેલ્લા કેટલાક વર્ષોથી તેઓ મગજની બીમારી અને કેન્સર સહિતના અનેક રોગોથી પીડાઈ રહ્યા હતા. એટલું જ નહીં તેમનું મગજનું ઓપરેશન પણ થયુ હતું. અને છેલ્લા કેટલાક વખતથી તો તેઓ કોઈપણ ઉપર ગુસ્સે થઈ ગમેતેમ બોલી જતા હતા. જોકે સૌ કોઈ તેના બદલાયેલા સ્વભાવથી પરિચિત હોવાથી કોઈ ઝઘડો થતો નહોતો. ત્યારે બીમારીથી કંટાળીને તેમણે આ પગલું ભર્યું હોવાની પુરી શક્યતા છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ, મૃતકને સંતાનમાં ત્રણ દીકરીઓ છે. જે પૈકી એકના લગ્ન થઈ ગયા હોય તે વતનમાં છે. હાલ તેઓ બંને દીકરીઓ અને પત્ની સાથે રહેતા હતા. જેમાં પણ એક દીકરી નોકરી કરી પરિવારને મદદરૂપ થઇ રહી છે. ત્યારે આ ઘટનાને પગલે ત્રણેય દીકરીઓએ પિતાનું છત્ર ગુમાવ્યું છે. અને પરિવારમાં ભારે કલ્પાંત સર્જાયો છે.
ચોકીદાર છેલ્લા 40 વર્ષથી કામ કરતા હતા
છેલ્લા કેટલાક વર્ષોથી તેઓ મગજની બીમારી અને કેન્સર સહિતના અનેક રોગોથી પીડાઈ રહ્યા હતા
બીમારીથી કંટાળીને તેમણે આ પગલું ભર્યું હોવાની શક્યતા
WatchGujarat. ગત મોડીરાત્રે શહેરનાં કેનાલ રોડ વિસ્તારમાં હૈયું હચમચાવતી ઘટના સામે આવી છે. જેમાં અહીંના એક બિલ્ડીંગમાં ચોકીદાર તરીકે કામ કરતા આધેડનું છત પરથી નીચે પટકાતા ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. ઘટનાને પગલે લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા. અને પોલીસને જાણ કરવામાં આવી હતી. અને અકસ્માતે તેમનો પગ લપસ્યો છે કે તેમણે આત્મહત્યા કરી છે તે અંગે હાલ પોલીસે તપાસ શરૂ કરી છે. જોકે મૃતક છેલ્લા ઘણા વર્ષોથી અનેક બીમારીઓથી પીડિત હોવાથી તેમણે આત્મહત્યા કરી હોવાની આશંકા સેવાઈ રહી છે.
જાણવા મળતી વિગત અનુસાર 54 વર્ષીય મિસ્ત્રી કરૈયાભાઈ લક્ષ્મણભાઈ નામના આધેડ છેલ્લા 40 વર્ષથી કેનાલ રોડ પર આવેલા બિઝનેસ સેન્ટર નામના બિલ્ડીંગમાં ચોકીદાર તરીકે ફરજ બજાવતા હતા. ગત રાત્રે તેઓ બિલ્ડીંગની છત પરથી પટકાતા ઘટનાસ્થળે તેમનું મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ દોડી ગઈ હતી. અને મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
કરૈયાભાઈની સાથે 25 વર્ષથી કામ કરતા ઝૂબેદાબેને જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા 40 વર્ષથી અહીં કામ કરતા હતા. અને છેલ્લા કેટલાક વર્ષોથી તેઓ મગજની બીમારી અને કેન્સર સહિતના અનેક રોગોથી પીડાઈ રહ્યા હતા. એટલું જ નહીં તેમનું મગજનું ઓપરેશન પણ થયુ હતું. અને છેલ્લા કેટલાક વખતથી તો તેઓ કોઈપણ ઉપર ગુસ્સે થઈ ગમેતેમ બોલી જતા હતા. જોકે સૌ કોઈ તેના બદલાયેલા સ્વભાવથી પરિચિત હોવાથી કોઈ ઝઘડો થતો નહોતો. ત્યારે બીમારીથી કંટાળીને તેમણે આ પગલું ભર્યું હોવાની પુરી શક્યતા છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ, મૃતકને સંતાનમાં ત્રણ દીકરીઓ છે. જે પૈકી એકના લગ્ન થઈ ગયા હોય તે વતનમાં છે. હાલ તેઓ બંને દીકરીઓ અને પત્ની સાથે રહેતા હતા. જેમાં પણ એક દીકરી નોકરી કરી પરિવારને મદદરૂપ થઇ રહી છે. ત્યારે આ ઘટનાને પગલે ત્રણેય દીકરીઓએ પિતાનું છત્ર ગુમાવ્યું છે. અને પરિવારમાં ભારે કલ્પાંત સર્જાયો છે.