ગત રોજ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના હત્યારા અજય દેસાઇ અને કિરીટસિંહ જાડેજાના રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરી 11 દિવસના રિમાન્ડ મેળવ્યાં હતા.
સમગ્ર ઘટનાને અજય દેસાઇએ કંઇ રીતે અંજામ આપ્યો તેનુ ડીસકવરી પંચનામુ (રિકન્સટ્રકશન) કરવામાં આવ્યું
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અજય દેસાઇને લઇ કરજણ સ્થિત પ્રયોશા સોસા.ના ધરે પહોંચી અને ત્યારબાદ જ્યાં લાશનો નિકાલ કરવામાં આવ્યો ત્યાં પહોંચી હતી.
[caption id="attachment_1290091" align="aligncenter" width="1600"] Ajay Desai, Dahej Atali Hotel Reconstruction[/caption]
WatchGujarat. ચકચારી સ્વિટી પટેલ કેસમાં ઝડપાયેલા વડોદરા ગ્રામ્ય એસ.ઓ.જીના તત્કાલીન પી.આઇ અજય દેસાઇ અને કોંગી અગ્રણી કિરટીસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી છે. ગત રોજ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બન્નેને કરજણ કોર્ટમાં રજૂ કરી 11 દિવસના રિમાન્ડ મેળવી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. જેના અનુસંધાને આજે સ્વિટીના હત્યારા પતિ અજય દેસાઇને કરજણ સ્થિત તેના નિવાસ સ્થાને અને ત્યારબાદ દહેજના અટાલી ગામે રિકન્સટ્રકશન માટે લઇ જવામાં આવ્યો હતો.
સ્વિટી પટેલના હત્યારા અજય દેસાઇ અને કિરીટસિંહ જાડેજાએ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની પુછપરછ દરમિયાન ભાંગી પડ્યાં હતા અને ગુનાની કબુલાત કરી લીધી હતી. જેથી આ મામલે અજય દેસાઇ અને કિરીટસિંહ સામે કરજણ પોલીસ સ્ટેશનમાં હત્યા, પુરાવાના નાશ સહિત અન્ય કલમનો ઉમેરો કરી ગુનો નોંધવામાં આવ્યો હતો. જોકે બન્નેને સોમવારે કરજણ કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. કોર્ટે બન્ને પક્ષે દલીલો સાંભળ્યા બાદ અજય દેસાઇ અને કિરીટસિંહ જાડેજાના 11 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.
https://youtu.be/XBHXNCZUeq8
રિમાન્ડ દરમિયાન આજ રોજ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એ સ્થળે પહોંચી જ્યાં સ્વિટી પટેલની ગળુ દબાવી અજય દેસાઇએ હત્યા કરી હતી. સમગ્ર ઘટનાના રિકન્સટ્રકશનના ભાગરૂપે હત્યારા અજય દેસાઇએ કંઇ રીતે કાર રિવર્સ લઇ ઘરના કમ્પાઉન્ડમાં લઇ ગયો અને ત્યારબાદ સ્વિટી પટેલની લાશને ઊંચકી કારની ડીકીમાં મુકી દહેજના અટાલી ખાતે લઇ જવામાં આવી તે સમગ્ર ઘટનાનુ પુનરાવર્તન કરાવ્યું હતુ. જ્યાં અદાજીત અઢી કલાક ઉપરાંતનો સમય વિતાવ્યા બાદ અજય દેસાઇને એજ રસ્તેથી દહેજ લઇ જવામાં આવ્યો, જ્યાંથી તે પોતાની કારમાં સ્વિટી પટેલની લાશ મુકીને સળગાવવા માટે લઇ ગયો હતો.
કરજણથી દહેજના અટાલી ગામે આવેલી કિરીટસિંહની બંધ પડેલી હોટલમાં અજય દેસાઇએ કંઇ રીતે કાર અને કયા રસ્તેથી કાર અંદર લઇ ગયો હતો, તે વિડિઓમાં સ્પષ્ટ જોઇ શકાય છે. ત્યારબાદ કારમાંથી કંઇ રીતે સ્વિટી પટેલની લાશને બહાર કાઢી લાકડા પર જ્વલનશીલ પદાર્થ નાખી સળગાવી દેવામાં આવી તે સમગ્ર ઘટનાનુ પોલીસ રિકન્સટ્રકશન કરાવી જરૂરી માહિતી એકત્ર કરી હતી.
ગત રોજ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના હત્યારા અજય દેસાઇ અને કિરીટસિંહ જાડેજાના રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરી 11 દિવસના રિમાન્ડ મેળવ્યાં હતા.
સમગ્ર ઘટનાને અજય દેસાઇએ કંઇ રીતે અંજામ આપ્યો તેનુ ડીસકવરી પંચનામુ (રિકન્સટ્રકશન) કરવામાં આવ્યું
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અજય દેસાઇને લઇ કરજણ સ્થિત પ્રયોશા સોસા.ના ધરે પહોંચી અને ત્યારબાદ જ્યાં લાશનો નિકાલ કરવામાં આવ્યો ત્યાં પહોંચી હતી.
[caption id="attachment_1290091" align="aligncenter" width="1600"] Ajay Desai, Dahej Atali Hotel Reconstruction[/caption]
WatchGujarat. ચકચારી સ્વિટી પટેલ કેસમાં ઝડપાયેલા વડોદરા ગ્રામ્ય એસ.ઓ.જીના તત્કાલીન પી.આઇ અજય દેસાઇ અને કોંગી અગ્રણી કિરટીસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી છે. ગત રોજ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બન્નેને કરજણ કોર્ટમાં રજૂ કરી 11 દિવસના રિમાન્ડ મેળવી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. જેના અનુસંધાને આજે સ્વિટીના હત્યારા પતિ અજય દેસાઇને કરજણ સ્થિત તેના નિવાસ સ્થાને અને ત્યારબાદ દહેજના અટાલી ગામે રિકન્સટ્રકશન માટે લઇ જવામાં આવ્યો હતો.
સ્વિટી પટેલના હત્યારા અજય દેસાઇ અને કિરીટસિંહ જાડેજાએ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની પુછપરછ દરમિયાન ભાંગી પડ્યાં હતા અને ગુનાની કબુલાત કરી લીધી હતી. જેથી આ મામલે અજય દેસાઇ અને કિરીટસિંહ સામે કરજણ પોલીસ સ્ટેશનમાં હત્યા, પુરાવાના નાશ સહિત અન્ય કલમનો ઉમેરો કરી ગુનો નોંધવામાં આવ્યો હતો. જોકે બન્નેને સોમવારે કરજણ કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. કોર્ટે બન્ને પક્ષે દલીલો સાંભળ્યા બાદ અજય દેસાઇ અને કિરીટસિંહ જાડેજાના 11 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.
રિમાન્ડ દરમિયાન આજ રોજ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એ સ્થળે પહોંચી જ્યાં સ્વિટી પટેલની ગળુ દબાવી અજય દેસાઇએ હત્યા કરી હતી. સમગ્ર ઘટનાના રિકન્સટ્રકશનના ભાગરૂપે હત્યારા અજય દેસાઇએ કંઇ રીતે કાર રિવર્સ લઇ ઘરના કમ્પાઉન્ડમાં લઇ ગયો અને ત્યારબાદ સ્વિટી પટેલની લાશને ઊંચકી કારની ડીકીમાં મુકી દહેજના અટાલી ખાતે લઇ જવામાં આવી તે સમગ્ર ઘટનાનુ પુનરાવર્તન કરાવ્યું હતુ. જ્યાં અદાજીત અઢી કલાક ઉપરાંતનો સમય વિતાવ્યા બાદ અજય દેસાઇને એજ રસ્તેથી દહેજ લઇ જવામાં આવ્યો, જ્યાંથી તે પોતાની કારમાં સ્વિટી પટેલની લાશ મુકીને સળગાવવા માટે લઇ ગયો હતો.
કરજણથી દહેજના અટાલી ગામે આવેલી કિરીટસિંહની બંધ પડેલી હોટલમાં અજય દેસાઇએ કંઇ રીતે કાર અને કયા રસ્તેથી કાર અંદર લઇ ગયો હતો, તે વિડિઓમાં સ્પષ્ટ જોઇ શકાય છે. ત્યારબાદ કારમાંથી કંઇ રીતે સ્વિટી પટેલની લાશને બહાર કાઢી લાકડા પર જ્વલનશીલ પદાર્થ નાખી સળગાવી દેવામાં આવી તે સમગ્ર ઘટનાનુ પોલીસ રિકન્સટ્રકશન કરાવી જરૂરી માહિતી એકત્ર કરી હતી.