ધારીના અમૃતપુર પાસેની ઘટના અંગે જાણ થતાં જ વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી
વૃદ્ધને કોણે બાંધ્યા હતા એ દિશામાં વન વિભાગ અને પોલીસે તપાસ શરૂ કરી
હુમલો કરનાર દીપડીને વનવિભાગે ઝડપી લઈ પાંજરે પુરાયો છે.
WatchGujarat ધારી-ગીરની દલખાણિયા રેન્જમાં અરેરાટી ફેલાવતી ઘટના સામે આવી છે. જેમાં એક માનવભક્ષી દીપડીએ 75 વર્ષના વૃદ્ધને ફાડી ખાધા છે. એટલું જ નહીં દીપડાના હુમલાનો ભોગ બનેલા આ વૃદ્ધનો હાથ સાંકળથી બાંધેલો હોવાનું સામે આવ્યું છે. ઘટના અંગે જાણ થતાં જ વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જો કે વૃદ્ધનો હાથ સાંકળથી બાંધેલો જોઈને ટીમ પણ ચોંકી ગઈ હતી. અને વૃદ્ધને કોણે બાંધ્યા હતા એ દિશામાં વન વિભાગ અને પોલીસે તપાસ શરૂ કરી છે. સાથે જ હુમલો કરનાર દીપડીને વનવિભાગે ઝડપી લઈ પાંજરે પુરાયો છે.
ધારી-ગીરની દલખાણિયા રેન્જમાં જંગલ વિસ્તારની આસપાસના ગ્રામ્ય પંથકમાં જંગલી વન્ય પ્રાણીઓ દ્વારા માનવજાતિ પર હુમલાની ઘટના સતત વધી રહી છે. ત્યારે બુધવારે અમૃતપુર ગામ નજીક એક વાડીમાં દીપડીએ ફાડી ખાધેલી હાલતમાં ગામના રહેવાસી 75 વર્ષીય મનુભાઈ સાવલિયા નામના વૃદ્ધનો મૃતદેહ મળ્યો હતો. જેને પગલે એકઠા થયેલા ગ્રામજનોએ આ અંગે વન વિભાગને જાણ કરી હતી. સાથે જ વૃદ્ધનો એક હાથ પણ સાંકળથી બાંધેલો હોવાનું સામે આવતા ગ્રામજનોમાં અરેરાટી ફેલાઈ છે. તેમજ રોષે ભરાયેલા સ્થાનિકોએ ઘટના અંગે ઝીણવટભરી તપાસ કરી આ દીપડીના હુમલાને રોકવાની દિશામાં પગલાં લેવા માંગ કરી છે.
સમગ્ર ઘટના અંગે ધારી વન વિભાગના ડીસીએફ ડો. અંશુમન શર્માની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. અને સીસીએફ દુષ્યંત વસાવડાએ ઘટનાની પુષ્ટિ કરી હતી. સાથે જ વૃદ્ધને સાંકળથી બાંધેલાં હોવાને લઈને વન વિભાગ દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે. અને મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવનાર છે. તો સ્થાનિક પોલીસે પણ આ અંગે વધુ પૂછપરછ શરૂ કરી છે. જો કે આ મામલે પરિવારજનો મૌન હોવાથી લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે.
બીજીતરફ માનવભક્ષી દીપડી ફરીવાર આ સ્થળે આવતા પાંજરે પુરવામાં આવી છે. આ અંગે ડીસીએફ અંશુમન શર્માએ જણાવ્યું હતું કે, ઘટના બાદ પાંજરા ગોઠવવામાં આવ્યા હતા. દરમિયાન માનવ મૃત્યુ સ્થળે ફરીવાર દીપડી આવી જતા પાંજરે પુરાઇ છે. અને તેને જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવી છે. જો કે ઘટનામાં દીપડીનાં હુમલા કરતા વૃદ્ધનો હાથ સાંકલથી બાંધેલો હોવાની વાત હાલ ટોક ઓફ ટાઉન બની છે. પરંતુ આ અંગેનું તથ્ય પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસની તપાસ પૂર્ણ થયા બાદ જ જાણી શકાશે.
ધારીના અમૃતપુર પાસેની ઘટના અંગે જાણ થતાં જ વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી
વૃદ્ધને કોણે બાંધ્યા હતા એ દિશામાં વન વિભાગ અને પોલીસે તપાસ શરૂ કરી
હુમલો કરનાર દીપડીને વનવિભાગે ઝડપી લઈ પાંજરે પુરાયો છે.
WatchGujarat ધારી-ગીરની દલખાણિયા રેન્જમાં અરેરાટી ફેલાવતી ઘટના સામે આવી છે. જેમાં એક માનવભક્ષી દીપડીએ 75 વર્ષના વૃદ્ધને ફાડી ખાધા છે. એટલું જ નહીં દીપડાના હુમલાનો ભોગ બનેલા આ વૃદ્ધનો હાથ સાંકળથી બાંધેલો હોવાનું સામે આવ્યું છે. ઘટના અંગે જાણ થતાં જ વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જો કે વૃદ્ધનો હાથ સાંકળથી બાંધેલો જોઈને ટીમ પણ ચોંકી ગઈ હતી. અને વૃદ્ધને કોણે બાંધ્યા હતા એ દિશામાં વન વિભાગ અને પોલીસે તપાસ શરૂ કરી છે. સાથે જ હુમલો કરનાર દીપડીને વનવિભાગે ઝડપી લઈ પાંજરે પુરાયો છે.
ધારી-ગીરની દલખાણિયા રેન્જમાં જંગલ વિસ્તારની આસપાસના ગ્રામ્ય પંથકમાં જંગલી વન્ય પ્રાણીઓ દ્વારા માનવજાતિ પર હુમલાની ઘટના સતત વધી રહી છે. ત્યારે બુધવારે અમૃતપુર ગામ નજીક એક વાડીમાં દીપડીએ ફાડી ખાધેલી હાલતમાં ગામના રહેવાસી 75 વર્ષીય મનુભાઈ સાવલિયા નામના વૃદ્ધનો મૃતદેહ મળ્યો હતો. જેને પગલે એકઠા થયેલા ગ્રામજનોએ આ અંગે વન વિભાગને જાણ કરી હતી. સાથે જ વૃદ્ધનો એક હાથ પણ સાંકળથી બાંધેલો હોવાનું સામે આવતા ગ્રામજનોમાં અરેરાટી ફેલાઈ છે. તેમજ રોષે ભરાયેલા સ્થાનિકોએ ઘટના અંગે ઝીણવટભરી તપાસ કરી આ દીપડીના હુમલાને રોકવાની દિશામાં પગલાં લેવા માંગ કરી છે.
સમગ્ર ઘટના અંગે ધારી વન વિભાગના ડીસીએફ ડો. અંશુમન શર્માની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. અને સીસીએફ દુષ્યંત વસાવડાએ ઘટનાની પુષ્ટિ કરી હતી. સાથે જ વૃદ્ધને સાંકળથી બાંધેલાં હોવાને લઈને વન વિભાગ દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે. અને મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવનાર છે. તો સ્થાનિક પોલીસે પણ આ અંગે વધુ પૂછપરછ શરૂ કરી છે. જો કે આ મામલે પરિવારજનો મૌન હોવાથી લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે.
બીજીતરફ માનવભક્ષી દીપડી ફરીવાર આ સ્થળે આવતા પાંજરે પુરવામાં આવી છે. આ અંગે ડીસીએફ અંશુમન શર્માએ જણાવ્યું હતું કે, ઘટના બાદ પાંજરા ગોઠવવામાં આવ્યા હતા. દરમિયાન માનવ મૃત્યુ સ્થળે ફરીવાર દીપડી આવી જતા પાંજરે પુરાઇ છે. અને તેને જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવી છે. જો કે ઘટનામાં દીપડીનાં હુમલા કરતા વૃદ્ધનો હાથ સાંકલથી બાંધેલો હોવાની વાત હાલ ટોક ઓફ ટાઉન બની છે. પરંતુ આ અંગેનું તથ્ય પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસની તપાસ પૂર્ણ થયા બાદ જ જાણી શકાશે.