લગ્ન દ્વારા લોકોમાંથી અંધશ્રદ્ધા અને ખોટો ભય દૂર કરવાનો સ્તુત્ય પ્રયાસ વિજ્ઞાન જાથા દ્વારા કરવામાં આવ્યો
ગ્રામજનોએ પણ આ અનોખી ઘટનાને કુતૂહલવશ નિહાળી હતી
WatchGujarat કોટડાસાંગાણી તાલુકાના રામોદ ગામે એક અનોખા લગ્ન યોજાયા હતા. જેમાં DJના તાલે ભૂતડા સાથે વરઘોડો કાઢવામાં આવ્યો હતો. એટલું જ નહીં પણ નવ દંપતીને સ્મશાનમાં ઉતારો આપવામાં આવ્યો હતો. આ લગ્ન દ્વારા લોકોમાંથી અંધશ્રદ્ધા અને ખોટો ભય દૂર કરવાનો સ્તુત્ય પ્રયાસ વિજ્ઞાન જાથા દ્વારા કરવામાં આવ્યો હતો. ગ્રામજનોએ પણ આ અનોખી ઘટનાને કુતૂહલવશ નિહાળી હતી. તેમજ લોકોમાં વૈજ્ઞાનિક માનસિકતા જોવા મળી હતી.
જાણવા મળતી વિગત મુજબ, વિજ્ઞાન જાથાના ચેરમેન અને એડવોકેટ જયંત પંડ્યાએ ગામડાનાં લોકોમાંથી અંધશ્રદ્ધા દૂર કરવા અનોખો કાર્યક્રમ આયોજિત કર્યો હતો. જેમાં રામોદ ગામના રાઠોડ પરિવારની જાન ગોંડલ તાલુકાના મોવિયા ગામે સુરેશ દાનાભાઇના ઘરે પહોંચી હતી. ત્યાંથી લગ્ન સમારંભ સંપન્ન કરી પરત આવતાંની સાથે અહીં DJના સંગાથે વિજ્ઞાન જાથાના લોકોએ ભૂતડાના કોસ્ચ્યૂમ ધારણ કરી ફુલેકામાં ડાન્સ કર્યો હતો. આ સાથે જ નવ દંપતિને ગામનાં સ્મશાનમાં ઉતારો આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ભાગ લેવા બદલ જયંત પંડ્યાએ નવ દંપતિ સહિત પરિવારને પણ અભિનંદન પાઠવ્યા હતા.
જયંત પંડ્યાના કહેવા મુજબ, આજે 21મી સદીમાં પણ લોકો ભૂત-પ્રેત, વહેમ, અંધશ્રદ્ધા જેવા વિવિધ પાયાવિહોણા વિચારો ધરાવે છે. આપણા સમાજમાં સુધારો આપણે જ કરવો પડશે અને શરૂઆત ઘરથી જ કરવી જોઈએ. આ માટે અમે આજે ભૂતડાઓ સાથે ફુલેકું કાઢ્યું હતું. અને સ્મશાનમાં નવદંપતીને ઉતારો આપ્યો હતો. આ કાર્યક્રમ થકી અમે એ સિદ્ધ કરવા માગીએ છીએ કે, આવા વહેમને સ્વીકારવા ન જોઈએ અને અંધશ્રદ્ધાથી દુર રહેવું જોઈએ.
વધુમાં કન્યાદાન અંગે પંડ્યાએ કહ્યું હતું કે, દીકરી કોઈ ચીજવસ્તુ કે દાન દેવાની વસ્તુ નથી માટે, તેનું કન્યાદાન તો ન જ થવું જોઈએ. કન્યાદાનને તિલાંજલિ આપવી જોઈએ. દેશના અમુક વિસ્તારોમાં 20 હજાર, 60 હજાર, 80 હજાર અને 1 લાખ કે તેની ઉપરની રકમ દીકરા પક્ષને દીકરીઓએ આપવી પડે છે. આ રિવાજ પણ તદ્દન ખોટા છે. આવા કુરિવાજને દૂર કરવા માટે સમાજ સુધારકોએ આગળ આવવાની અપીલ પણ તેમણે કરી હતી. કાર્યક્રમ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કોટડાસાંગાણી પોલીસ પણ હાજર રહી હતી.
લગ્ન દ્વારા લોકોમાંથી અંધશ્રદ્ધા અને ખોટો ભય દૂર કરવાનો સ્તુત્ય પ્રયાસ વિજ્ઞાન જાથા દ્વારા કરવામાં આવ્યો
ગ્રામજનોએ પણ આ અનોખી ઘટનાને કુતૂહલવશ નિહાળી હતી
WatchGujarat કોટડાસાંગાણી તાલુકાના રામોદ ગામે એક અનોખા લગ્ન યોજાયા હતા. જેમાં DJના તાલે ભૂતડા સાથે વરઘોડો કાઢવામાં આવ્યો હતો. એટલું જ નહીં પણ નવ દંપતીને સ્મશાનમાં ઉતારો આપવામાં આવ્યો હતો. આ લગ્ન દ્વારા લોકોમાંથી અંધશ્રદ્ધા અને ખોટો ભય દૂર કરવાનો સ્તુત્ય પ્રયાસ વિજ્ઞાન જાથા દ્વારા કરવામાં આવ્યો હતો. ગ્રામજનોએ પણ આ અનોખી ઘટનાને કુતૂહલવશ નિહાળી હતી. તેમજ લોકોમાં વૈજ્ઞાનિક માનસિકતા જોવા મળી હતી.
જાણવા મળતી વિગત મુજબ, વિજ્ઞાન જાથાના ચેરમેન અને એડવોકેટ જયંત પંડ્યાએ ગામડાનાં લોકોમાંથી અંધશ્રદ્ધા દૂર કરવા અનોખો કાર્યક્રમ આયોજિત કર્યો હતો. જેમાં રામોદ ગામના રાઠોડ પરિવારની જાન ગોંડલ તાલુકાના મોવિયા ગામે સુરેશ દાનાભાઇના ઘરે પહોંચી હતી. ત્યાંથી લગ્ન સમારંભ સંપન્ન કરી પરત આવતાંની સાથે અહીં DJના સંગાથે વિજ્ઞાન જાથાના લોકોએ ભૂતડાના કોસ્ચ્યૂમ ધારણ કરી ફુલેકામાં ડાન્સ કર્યો હતો. આ સાથે જ નવ દંપતિને ગામનાં સ્મશાનમાં ઉતારો આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ભાગ લેવા બદલ જયંત પંડ્યાએ નવ દંપતિ સહિત પરિવારને પણ અભિનંદન પાઠવ્યા હતા.
જયંત પંડ્યાના કહેવા મુજબ, આજે 21મી સદીમાં પણ લોકો ભૂત-પ્રેત, વહેમ, અંધશ્રદ્ધા જેવા વિવિધ પાયાવિહોણા વિચારો ધરાવે છે. આપણા સમાજમાં સુધારો આપણે જ કરવો પડશે અને શરૂઆત ઘરથી જ કરવી જોઈએ. આ માટે અમે આજે ભૂતડાઓ સાથે ફુલેકું કાઢ્યું હતું. અને સ્મશાનમાં નવદંપતીને ઉતારો આપ્યો હતો. આ કાર્યક્રમ થકી અમે એ સિદ્ધ કરવા માગીએ છીએ કે, આવા વહેમને સ્વીકારવા ન જોઈએ અને અંધશ્રદ્ધાથી દુર રહેવું જોઈએ.
વધુમાં કન્યાદાન અંગે પંડ્યાએ કહ્યું હતું કે, દીકરી કોઈ ચીજવસ્તુ કે દાન દેવાની વસ્તુ નથી માટે, તેનું કન્યાદાન તો ન જ થવું જોઈએ. કન્યાદાનને તિલાંજલિ આપવી જોઈએ. દેશના અમુક વિસ્તારોમાં 20 હજાર, 60 હજાર, 80 હજાર અને 1 લાખ કે તેની ઉપરની રકમ દીકરા પક્ષને દીકરીઓએ આપવી પડે છે. આ રિવાજ પણ તદ્દન ખોટા છે. આવા કુરિવાજને દૂર કરવા માટે સમાજ સુધારકોએ આગળ આવવાની અપીલ પણ તેમણે કરી હતી. કાર્યક્રમ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કોટડાસાંગાણી પોલીસ પણ હાજર રહી હતી.