પોલીસ ચોપડે એક વાર ગુનો નોંધાય એટલે ગુનેગાર ગમે ત્યારે પોલીસના હાથ ચઢે તો ખરો જ
વડોદરાના કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2001માં આઇ.પી.સી 363, 366 હેઠળ એક ગુના નોંધાયો હતો.
સગીર વયમાં પ્રેમીકાને લઇને ભાગી જતા પરિવારને પોલીસ ફરીયાદ નોંધાવી હતી.
આજે બન્ને પુખ્ત વયના છે અને દંપતિ બે સંતાનો ધરાવે છે.
ચિંતન શ્રીપાલી, (WatchGujarat). જ્યારે પ્રેમ કર્યો ત્યારે ખબર ન્હોતી કે સગીર વયમાં પ્રેમીકાને ભગાડી જવુ ગુનો કહેવાય, જવાનીના જોશમાં કરતા કરી નાખ્યું, પોલીસ ચોપડે કાયદાના સંધર્ષમાં પણ આવી ગયો અને જ્યારે ખબર પડી કે આ ગુનો કહેવાય ત્યાં સુધી ખુબ મોડુ થઇ ગયુ હતુ. એક તબક્કે તો બિલકુલ નિશ્ચિંત થઇ જીવન જીવી રહ્યા હતા. પરંતુ એ દિવસ આવી ગયો જે સપને પણ વિચાર્યો ન હતો.
વડોદરાના કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. જેને લઇને પોલીસ અધિકારી પણ એક તબક્કે અવઢવાં મુકાયા હતા. વર્ષ 2001માં કારેલીબાગ પોલીસ સ્ટેશન ખાતે એક સગીર સામે યુવતિને ભગાડી જવાની ફરીયાદ નોંધાઇ હતી. તે સમયે પોલીસે બન્નેને શોધવાનો ખુબ પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસને સફળતા મળી ન હતી. આ વાતને વર્ષો વીતી ગયા, સગીર અને યુવતીનો પરિવાર એક સમયે તેમને ભુલી પણ ગયો હતો. પરંતુ પોલીસ ચોપડે નોંધાયેલી ફરીયાદ પોલીસ ભુલી ન હતી.
સગીર અને તેની પ્રેમીકા સાથે લગ્ન કરી સુખી જીવન જીવવા માગતો હતો. બન્નેને ભાગી જવાનો નિર્ણય કર્યો અને તેમા સફળ પણ રહ્યાં હતા. પોલીસ ચોપડે સગીર સામે ફરીયાદ નોંધાઇ હતી. સમય વીતતો ગયો તેની સાથે પોલીસનો ડર પણ ખતમ થવા લાગ્યો હતો. બન્નેએ લગ્ન કરી લીધા અને સુખી જીવન જીવવાની શરૂઆત કરી, તેવામાં દંપતિના ઘેર બે બાળકોનો જન્મ થયો, હવે આ પરિવાર સુખી સંપન્ન હતુ.
પ્રેમ લગ્નને વર્ષો વીતી ગયા હોવાથી હવે દંપતિ પણ બિંદાસ્ત થઇ ગયું હતુ. પોલીસ તેમને પકડશે તેવુ સપને પણ વિચાર્યું ન હતુ. તેવામાં એક દિવસ આ દંપતિ વર્ષો બાદ બાળકો સાથે વડોદરા ખાતે રહેતા તેમના સબંધીના ધરે આવ્યાં હતા. આ વાતની જાણ પોલીસને થઇ અને આખરે વર્ષ 2001માં કાયદાના સંધર્ષમાં આવેલો સગીર 21 વર્ષે પોલીસના હાથે પકડાયો હતો.
આ મામલે કારેલીબાગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર વી.એન મહિડા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતુ કે, વર્ષ 2001માં કારેલીબાગ પોલીસ સ્ટેશન ખાતે આઇ.પી.સી 363,366 હેઠળ એક ગુનો નોંધાયો હતો. યુવતિને ભગાડી જનાર કાયદાના સંધર્ષમાં આવેલા સગીરની પોલીસે તે સમય ખુબ શોધખોળ કરી હતી. તે હાથ લાગ્યો ન હતો. 21 વર્ષ બાદ આજે તેની ઉંમર 38 વર્ષની છે, આજે પણ તે તેની પત્ની સાથે રહે છે અને તેઓ બે સંતાનો ઘરાવે છે. પોલીસને જાણકારી મળી હતી અને 21 વર્ષ પહેલા નોંધાયેલી ફરીયાદનુ નિરાકરણ આવ્યું છે.
તેઓએ વધુમાં જણાવ્યું કે, જે સમયે ગુનો નોંધાયો ત્યારે તેની ઉંમર સાડા સત્તર વર્ષની હતી. જેથી કાયદાના સંધર્ષમાં આવવા બદલ તેને હવે જુવેનાઇલ કોર્ટમાં રજુ કરાશે.
આ રસપ્રદ કિસ્સાની મહત્વની બાબત એ છે કે, 21 વર્ષના લગ્ન જીવન દરમિયાન આ દપંતિ સુખી જીવન જીવી રહ્યું છે. જોકે સગીર વયમાં કરેલી ભૂલ બે સંતાનોના પિતા બન્યા બાદ 21 વર્ષે પોકારી છે.
- પોલીસ ચોપડે એક વાર ગુનો નોંધાય એટલે ગુનેગાર ગમે ત્યારે પોલીસના હાથ ચઢે તો ખરો જ
- વડોદરાના કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2001માં આઇ.પી.સી 363, 366 હેઠળ એક ગુના નોંધાયો હતો.
- સગીર વયમાં પ્રેમીકાને લઇને ભાગી જતા પરિવારને પોલીસ ફરીયાદ નોંધાવી હતી.
- આજે બન્ને પુખ્ત વયના છે અને દંપતિ બે સંતાનો ધરાવે છે.
ચિંતન શ્રીપાલી, (WatchGujarat). જ્યારે પ્રેમ કર્યો ત્યારે ખબર ન્હોતી કે સગીર વયમાં પ્રેમીકાને ભગાડી જવુ ગુનો કહેવાય, જવાનીના જોશમાં કરતા કરી નાખ્યું, પોલીસ ચોપડે કાયદાના સંધર્ષમાં પણ આવી ગયો અને જ્યારે ખબર પડી કે આ ગુનો કહેવાય ત્યાં સુધી ખુબ મોડુ થઇ ગયુ હતુ. એક તબક્કે તો બિલકુલ નિશ્ચિંત થઇ જીવન જીવી રહ્યા હતા. પરંતુ એ દિવસ આવી ગયો જે સપને પણ વિચાર્યો ન હતો.
વડોદરાના કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. જેને લઇને પોલીસ અધિકારી પણ એક તબક્કે અવઢવાં મુકાયા હતા. વર્ષ 2001માં કારેલીબાગ પોલીસ સ્ટેશન ખાતે એક સગીર સામે યુવતિને ભગાડી જવાની ફરીયાદ નોંધાઇ હતી. તે સમયે પોલીસે બન્નેને શોધવાનો ખુબ પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસને સફળતા મળી ન હતી. આ વાતને વર્ષો વીતી ગયા, સગીર અને યુવતીનો પરિવાર એક સમયે તેમને ભુલી પણ ગયો હતો. પરંતુ પોલીસ ચોપડે નોંધાયેલી ફરીયાદ પોલીસ ભુલી ન હતી.
સગીર અને તેની પ્રેમીકા સાથે લગ્ન કરી સુખી જીવન જીવવા માગતો હતો. બન્નેને ભાગી જવાનો નિર્ણય કર્યો અને તેમા સફળ પણ રહ્યાં હતા. પોલીસ ચોપડે સગીર સામે ફરીયાદ નોંધાઇ હતી. સમય વીતતો ગયો તેની સાથે પોલીસનો ડર પણ ખતમ થવા લાગ્યો હતો. બન્નેએ લગ્ન કરી લીધા અને સુખી જીવન જીવવાની શરૂઆત કરી, તેવામાં દંપતિના ઘેર બે બાળકોનો જન્મ થયો, હવે આ પરિવાર સુખી સંપન્ન હતુ.
પ્રેમ લગ્નને વર્ષો વીતી ગયા હોવાથી હવે દંપતિ પણ બિંદાસ્ત થઇ ગયું હતુ. પોલીસ તેમને પકડશે તેવુ સપને પણ વિચાર્યું ન હતુ. તેવામાં એક દિવસ આ દંપતિ વર્ષો બાદ બાળકો સાથે વડોદરા ખાતે રહેતા તેમના સબંધીના ધરે આવ્યાં હતા. આ વાતની જાણ પોલીસને થઇ અને આખરે વર્ષ 2001માં કાયદાના સંધર્ષમાં આવેલો સગીર 21 વર્ષે પોલીસના હાથે પકડાયો હતો.
આ મામલે કારેલીબાગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર વી.એન મહિડા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતુ કે, વર્ષ 2001માં કારેલીબાગ પોલીસ સ્ટેશન ખાતે આઇ.પી.સી 363,366 હેઠળ એક ગુનો નોંધાયો હતો. યુવતિને ભગાડી જનાર કાયદાના સંધર્ષમાં આવેલા સગીરની પોલીસે તે સમય ખુબ શોધખોળ કરી હતી. તે હાથ લાગ્યો ન હતો. 21 વર્ષ બાદ આજે તેની ઉંમર 38 વર્ષની છે, આજે પણ તે તેની પત્ની સાથે રહે છે અને તેઓ બે સંતાનો ઘરાવે છે. પોલીસને જાણકારી મળી હતી અને 21 વર્ષ પહેલા નોંધાયેલી ફરીયાદનુ નિરાકરણ આવ્યું છે.
તેઓએ વધુમાં જણાવ્યું કે, જે સમયે ગુનો નોંધાયો ત્યારે તેની ઉંમર સાડા સત્તર વર્ષની હતી. જેથી કાયદાના સંધર્ષમાં આવવા બદલ તેને હવે જુવેનાઇલ કોર્ટમાં રજુ કરાશે.
આ રસપ્રદ કિસ્સાની મહત્વની બાબત એ છે કે, 21 વર્ષના લગ્ન જીવન દરમિયાન આ દપંતિ સુખી જીવન જીવી રહ્યું છે. જોકે સગીર વયમાં કરેલી ભૂલ બે સંતાનોના પિતા બન્યા બાદ 21 વર્ષે પોકારી છે.