તબીબી મુલાકાત બાદ કોરોનાના સામાન્ય લક્ષણો હોવાથી તેમને હોમ ક્વોરેન્ટાઇન કરાયા હતા
કોરોનાના કારણે લોકોમાં કોરોના થઇ જવાનો ફોબિયા ખતરનાક રીતે વધી રહ્યો છે.
WatchGujarat. કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. અને તેના કારણે લોકોમાં તેનો દર પણ ખતરનાક રીતે વધી રહ્યો છે. એક તરફ મનોચિકિત્સકની ઓપીડીમાં દિવસેને દિવસે કોરોનાના ડરનો ભોગ બની રહેલા દર્દીઓની સઁખ્યામા પણ વધારો થઇ રહ્યો છે. કોરોનાના કારણે લોકોમાં કોરોના થઇ જવાનો ફોબિયા ખતરનાક રીતે વધી રહ્યો છે. તેના કારણે ચિંતા ગભરામણ, ધબકારા વધી જવા,ગભરામણ થવી જેવા અંકે લક્ષણો દેખાઈ રહ્યાં છે. ત્યારે ન્યુ સમા રોડ પર રહેતા 38 વર્ષીય કોરોના પોઝિટિવ યુવકે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે.
કોરોનાના કહેર વચ્ચે લોકો માનસિક રીતે પડી ભાંગ્યા છે. માનસિક તણાવના કારણે લોકો શારીરિક અસ્વસ્થ થવા લાગ્યા છે. ત્યારે શહેરના ન્યુ સમા રોડ પર આવેલ જય યોગેશ્વર સોસાયટીમાં રહેતા હરિઓમ જગન્નાથ ઝા છેલ્લા કેટલા દિવસથી કોરોના સંક્રમિત થયા હતા. જોકે તબીબી મુલાકાત બાદ કોરોનાના સામાન્ય લક્ષણો હોવાથી તેમને હોમ ક્વોરેન્ટાઇન થવા જણાવ્યું હતું.
જોકે કોરોના સંક્રમિત થયેલા 38 વર્ષીય હરિઓમ ભાઈ કોરોના સંક્રમિત થતા માનસિક તનાવમાં આવી જઇ ઘરમાં જ ગળે ફાસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. તેવામાં કામ અર્થે બહાર ગયેલા હરિઓમ ભાઈના પત્ની પરત ઘરે આવતા પતિને ગળે ફાસો ખાધેલી હાલતમાં જોઈ ચોધાર આંસુએ રડી પડી હતી. ઘટનાની જાણ આસપાસના લોકોને થતા પાડોશીઓ પણ એકત્ર થયા હતા. પાડોશીઓ એકત્ર થતા ઘટના અંગે આ બાબતની સમા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસને ઘટનાની જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, હરિઓમ ભાઈ છેલ્લા ઘણા સમયથી વડોદરામાં પત્ની સાથે રહેતા હતા. અને એક ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા.
તબીબી મુલાકાત બાદ કોરોનાના સામાન્ય લક્ષણો હોવાથી તેમને હોમ ક્વોરેન્ટાઇન કરાયા હતા
કોરોનાના કારણે લોકોમાં કોરોના થઇ જવાનો ફોબિયા ખતરનાક રીતે વધી રહ્યો છે.
WatchGujarat. કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. અને તેના કારણે લોકોમાં તેનો દર પણ ખતરનાક રીતે વધી રહ્યો છે. એક તરફ મનોચિકિત્સકની ઓપીડીમાં દિવસેને દિવસે કોરોનાના ડરનો ભોગ બની રહેલા દર્દીઓની સઁખ્યામા પણ વધારો થઇ રહ્યો છે. કોરોનાના કારણે લોકોમાં કોરોના થઇ જવાનો ફોબિયા ખતરનાક રીતે વધી રહ્યો છે. તેના કારણે ચિંતા ગભરામણ, ધબકારા વધી જવા,ગભરામણ થવી જેવા અંકે લક્ષણો દેખાઈ રહ્યાં છે. ત્યારે ન્યુ સમા રોડ પર રહેતા 38 વર્ષીય કોરોના પોઝિટિવ યુવકે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે.
કોરોનાના કહેર વચ્ચે લોકો માનસિક રીતે પડી ભાંગ્યા છે. માનસિક તણાવના કારણે લોકો શારીરિક અસ્વસ્થ થવા લાગ્યા છે. ત્યારે શહેરના ન્યુ સમા રોડ પર આવેલ જય યોગેશ્વર સોસાયટીમાં રહેતા હરિઓમ જગન્નાથ ઝા છેલ્લા કેટલા દિવસથી કોરોના સંક્રમિત થયા હતા. જોકે તબીબી મુલાકાત બાદ કોરોનાના સામાન્ય લક્ષણો હોવાથી તેમને હોમ ક્વોરેન્ટાઇન થવા જણાવ્યું હતું.
જોકે કોરોના સંક્રમિત થયેલા 38 વર્ષીય હરિઓમ ભાઈ કોરોના સંક્રમિત થતા માનસિક તનાવમાં આવી જઇ ઘરમાં જ ગળે ફાસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. તેવામાં કામ અર્થે બહાર ગયેલા હરિઓમ ભાઈના પત્ની પરત ઘરે આવતા પતિને ગળે ફાસો ખાધેલી હાલતમાં જોઈ ચોધાર આંસુએ રડી પડી હતી. ઘટનાની જાણ આસપાસના લોકોને થતા પાડોશીઓ પણ એકત્ર થયા હતા. પાડોશીઓ એકત્ર થતા ઘટના અંગે આ બાબતની સમા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસને ઘટનાની જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, હરિઓમ ભાઈ છેલ્લા ઘણા સમયથી વડોદરામાં પત્ની સાથે રહેતા હતા. અને એક ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા.