ડિસેમ્બર 2022 માં ગુજરાત વિધાનસભાની ચુંટણીઓ જાહેર કરવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ છે
બાદ આવતી કાલે અરવિંદ કેજરીવાલ રાજ્યની મુલાકાતે આવી રહ્યા છે
તાજેતરમાં મીડિયાના જાણીતા એન્કર ઇશુદાન ગઢવીએ તેમની મીડિયા જગતની કારકીર્દી છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાશે તેવી પ્રબળ શક્યતાઓ છે
ચાલુ વર્ષે પાલિકાથી લઇને પંચાયત સુધીની ચુંટણીમાં ભાજપાનો ભવ્ય વિજય થયો હતો
Watchgujarat. રાજ્યમાં વિધાનસભાની તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. ગત રોજ ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ દ્વારા આપ તરફ પસંદગી ઢોળવામાં આવી હોવાના આડકતરા સંકેતો આપ્યા હતા. અને હવે આવતી કાલે આપ (આમ આદમી પાર્ટી)ના પ્રેરણાસ્ત્રોત અને દિલ્હીના મુખ્યમંત્રી ગુજરાતમાં અમદાવાદની મુલાકાતે આવશે. જેને કારણે રાજકીય ગરમાવો આવે તેવી સ્થિતીનું સર્જન થયું છે.
https://twitter.com/ArvindKejriwal/status/1404023238469074948?s=20
ડિસેમ્બર 2022 માં ગુજરાત વિધાનસભાની ચુંટણીઓ જાહેર કરવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ છે. ચુંટણીની જાહેરાતને હજી દોઢ વર્ષ જેટલો સમય બાકી છે ત્યારે હવે અનેક રાજકીય પાર્ટીઓ અને ધાર્મિક સંસ્થાઓ ચુંટણીલક્ષી વિચાર મંથન કરતા જોવા મળી રહ્યા છે. ગત રોજ ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ દ્વારા સમાજની ઉચ્ચસ્તરીય મીટીંગ બાદ આમ આદમી પાર્ટીનો મોકો મળે તેવા આડકતરા સંકેતો પણ આપ્યા હતા. ત્યાર બાદ આવતી કાલે અરવિંદ કેજરીવાલ રાજ્યની મુલાકાતે આવી રહ્યા છે. અને પાર્ટીની આગામી ચુંટણી લક્ષી કામગીરીને વેગવંતી બનાવશે અને પ્રજાને મળવા આવી રહ્યો હોવાનો વિશ્વાસ તેમણે ટ્વીટ વ્યક્ત કર્યો હતો.
તાજેતરમાં મીડિયાના જાણીતા એન્કર ઇશુદાન ગઢવીએ તેમની મીડિયા જગતની કારકીર્દી છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાશે તેવા પ્રબળ શક્યતાઓ રહેલી છે. રાજ્યમાં વિવિધ જગ્યાઓ પર આગામી ચુંટણીને લઇને પુર્વ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. ગત વિધાનસભાની ચુંટણીમાં ભાજપાને માત્ર 99 સીટો પર જ વિજય મળ્યો હતો. સમયજતા અનેક ઉમેદવારો કોંગ્રેસ સાથે છેડોફાડીને ભાજપામાં જોડાયા હતા. જો કે, ચાલુ વર્ષે પાલિકાથી લઇને પંચાયત સુધીની ચુંટણીમાં ભાજપાનો ભવ્ય વિજય થયો હતો.
આગામી સમયમાં રાજ્યમાં રાજકીય ક્ષેત્રે નવાજુની થાય તેવું પ્રબળ શક્યતા જોવા મળી છે. આવનારા સમયમાં અનેક રાજકીય પાર્ટીઓ ગુજરાતમાં પોતાનું રાજકીય નસીબ અજમાવશે.
ડિસેમ્બર 2022 માં ગુજરાત વિધાનસભાની ચુંટણીઓ જાહેર કરવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ છે
બાદ આવતી કાલે અરવિંદ કેજરીવાલ રાજ્યની મુલાકાતે આવી રહ્યા છે
તાજેતરમાં મીડિયાના જાણીતા એન્કર ઇશુદાન ગઢવીએ તેમની મીડિયા જગતની કારકીર્દી છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાશે તેવી પ્રબળ શક્યતાઓ છે
ચાલુ વર્ષે પાલિકાથી લઇને પંચાયત સુધીની ચુંટણીમાં ભાજપાનો ભવ્ય વિજય થયો હતો
Watchgujarat. રાજ્યમાં વિધાનસભાની તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. ગત રોજ ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ દ્વારા આપ તરફ પસંદગી ઢોળવામાં આવી હોવાના આડકતરા સંકેતો આપ્યા હતા. અને હવે આવતી કાલે આપ (આમ આદમી પાર્ટી)ના પ્રેરણાસ્ત્રોત અને દિલ્હીના મુખ્યમંત્રી ગુજરાતમાં અમદાવાદની મુલાકાતે આવશે. જેને કારણે રાજકીય ગરમાવો આવે તેવી સ્થિતીનું સર્જન થયું છે.
ડિસેમ્બર 2022 માં ગુજરાત વિધાનસભાની ચુંટણીઓ જાહેર કરવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ છે. ચુંટણીની જાહેરાતને હજી દોઢ વર્ષ જેટલો સમય બાકી છે ત્યારે હવે અનેક રાજકીય પાર્ટીઓ અને ધાર્મિક સંસ્થાઓ ચુંટણીલક્ષી વિચાર મંથન કરતા જોવા મળી રહ્યા છે. ગત રોજ ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ દ્વારા સમાજની ઉચ્ચસ્તરીય મીટીંગ બાદ આમ આદમી પાર્ટીનો મોકો મળે તેવા આડકતરા સંકેતો પણ આપ્યા હતા. ત્યાર બાદ આવતી કાલે અરવિંદ કેજરીવાલ રાજ્યની મુલાકાતે આવી રહ્યા છે. અને પાર્ટીની આગામી ચુંટણી લક્ષી કામગીરીને વેગવંતી બનાવશે અને પ્રજાને મળવા આવી રહ્યો હોવાનો વિશ્વાસ તેમણે ટ્વીટ વ્યક્ત કર્યો હતો.
તાજેતરમાં મીડિયાના જાણીતા એન્કર ઇશુદાન ગઢવીએ તેમની મીડિયા જગતની કારકીર્દી છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાશે તેવા પ્રબળ શક્યતાઓ રહેલી છે. રાજ્યમાં વિવિધ જગ્યાઓ પર આગામી ચુંટણીને લઇને પુર્વ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. ગત વિધાનસભાની ચુંટણીમાં ભાજપાને માત્ર 99 સીટો પર જ વિજય મળ્યો હતો. સમયજતા અનેક ઉમેદવારો કોંગ્રેસ સાથે છેડોફાડીને ભાજપામાં જોડાયા હતા. જો કે, ચાલુ વર્ષે પાલિકાથી લઇને પંચાયત સુધીની ચુંટણીમાં ભાજપાનો ભવ્ય વિજય થયો હતો.
આગામી સમયમાં રાજ્યમાં રાજકીય ક્ષેત્રે નવાજુની થાય તેવું પ્રબળ શક્યતા જોવા મળી છે. આવનારા સમયમાં અનેક રાજકીય પાર્ટીઓ ગુજરાતમાં પોતાનું રાજકીય નસીબ અજમાવશે.