19 સપ્ટેમ્બરના રોજ વડોદરાના ગોત્રી પોલીસ મથકે શહેરની ખાનગી યુનિવર્સિટીમાં ભણતી વિદ્યાર્થીએ પાવાગઢ મંદિરના ટ્રસ્ટી રાજુ ભટ્ટ અને સી.એ. અશોક જૈન વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી
ફરિયાદ નોંધાયાના 9 દિવસ બાદ રાજુ ભટ્ટને જૂનાગઢ પોલીસ સાથેના જોઈન્ટ ઓપરેશનમાં પકડી પાડવામાં આવ્યો હતો
આ મામલે શંકાસ્પદ ભૂમિકા ભજવનાર કુખ્યાત બુટલેગર અલપુ સિંધી પોલીસની ગિરફત થી દુર છે.
WatchGujarat. વડોદરા ગોત્રી પોલીસ મથકમાં નોંધાયેલા હાઈ પ્રોફાઈલ રેપ કેસમાં નાસતો ફરતો આરોપી અશોક જૈન 19 દિવસ બાદ તીર્થક્ષેત્ર પાલીતાણાથી ઝડપાયો હતો. હાલ ક્રાઈમ બ્રાન્ચના ચુનિંદા જવાનો તેને વડોદરા પરત લાવી રહ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.
19 સપ્ટેમ્બરના રોજ વડોદરાના ગોત્રી પોલીસ મથકે શહેરની ખાનગી યુનિવર્સિટીમાં ભણતી વિદ્યાર્થીએ પાવાગઢ મંદિરના ટ્રસ્ટી રાજુ ભટ્ટ અને સી.એ. અશોક જૈન વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના પ્રથમ ચાર દિવસ સુધી તપાસ ગોત્રી પોલીસ પાસે હતી. ત્યાર બાદ મામલાની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચે મામલાની તપાસ હાથમાં લીધા બાદ પ્રથમ રાજુ ભટ્ટના મદદગાર કાનજી મોકરીયાની ધરપકડ કરી હતી. ત્યાર બાદ ફરિયાદ નોંધાયાના 9 દિવસ બાદ રાજુ ભટ્ટને જૂનાગઢ પોલીસ સાથેના જોઈન્ટ ઓપરેશનમાં પકડી પાડવામાં આવ્યો હતો. પરંતું દુષ્કર્મ કેસમાં આરોપી અશોક જૈન નાસતો ભાગતો ફરતો હતો.
આજરોજ હાઈ પ્રોફાઈલ કેસની તપાસ કરી રહેલી એસ.આઈ. ટી. ને 19 દિવસ બાદ અશોક જૈનની તીર્થક્ષેત્ર પાલીતાણામાંથી ધરપકડ કરી હતી. દુષ્કર્મની ભોગ બનેલી યુવતી અશોક જૈનની સી.એ. ફર્મમાં કામ કરતી હતી. હવે આ મામલે બન્ને આરોપીઓ પકડાઈ ગયા છે. ગતરોજ રાજુ ભટ્ટના રિમાન્ડ પુરા થતા તેને જેલ ભેગો કરી દેવામાં આવ્યો હતો.
હવે આ મામલે શંકાસ્પદ ભૂમિકા ભજવનાર કુખ્યાત બુટલેગર અલપુ સિંધી પોલીસની ગિરફત થી દુર છે. આ મામલે હવે તપાસમાં શુ બહાર આવશે તેના પર સૌ કોઈની નજર રહેલી છે.
દુષ્કર્મ કેસમાં પીડિતાને ન્યાય મળશે : હર્ષ સંઘવી, ગૃહ મંત્રી
આજરોજ રાજ્યના નવા નિમાયેલા યુવા ગૃહ મંત્રી હર્ષ સંઘવી વડોદરાની મુલાકાતે છે. તેમણે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, વડોદરા પોલીસ પહેલેથી જ વિવિધ ટિમો બનાવીને આરોપીઓની શોધખોળ શરૂ કરી દીધી હતી. બને આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. પીડિતાને ન્યાય મળશે. ખૂબ જ મજબૂતાઈથી ચાર્જશીટ કરવામાં આવશે.
- 19 સપ્ટેમ્બરના રોજ વડોદરાના ગોત્રી પોલીસ મથકે શહેરની ખાનગી યુનિવર્સિટીમાં ભણતી વિદ્યાર્થીએ પાવાગઢ મંદિરના ટ્રસ્ટી રાજુ ભટ્ટ અને સી.એ. અશોક જૈન વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી
- ફરિયાદ નોંધાયાના 9 દિવસ બાદ રાજુ ભટ્ટને જૂનાગઢ પોલીસ સાથેના જોઈન્ટ ઓપરેશનમાં પકડી પાડવામાં આવ્યો હતો
- આ મામલે શંકાસ્પદ ભૂમિકા ભજવનાર કુખ્યાત બુટલેગર અલપુ સિંધી પોલીસની ગિરફત થી દુર છે.
WatchGujarat. વડોદરા ગોત્રી પોલીસ મથકમાં નોંધાયેલા હાઈ પ્રોફાઈલ રેપ કેસમાં નાસતો ફરતો આરોપી અશોક જૈન 19 દિવસ બાદ તીર્થક્ષેત્ર પાલીતાણાથી ઝડપાયો હતો. હાલ ક્રાઈમ બ્રાન્ચના ચુનિંદા જવાનો તેને વડોદરા પરત લાવી રહ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.
19 સપ્ટેમ્બરના રોજ વડોદરાના ગોત્રી પોલીસ મથકે શહેરની ખાનગી યુનિવર્સિટીમાં ભણતી વિદ્યાર્થીએ પાવાગઢ મંદિરના ટ્રસ્ટી રાજુ ભટ્ટ અને સી.એ. અશોક જૈન વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના પ્રથમ ચાર દિવસ સુધી તપાસ ગોત્રી પોલીસ પાસે હતી. ત્યાર બાદ મામલાની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચે મામલાની તપાસ હાથમાં લીધા બાદ પ્રથમ રાજુ ભટ્ટના મદદગાર કાનજી મોકરીયાની ધરપકડ કરી હતી. ત્યાર બાદ ફરિયાદ નોંધાયાના 9 દિવસ બાદ રાજુ ભટ્ટને જૂનાગઢ પોલીસ સાથેના જોઈન્ટ ઓપરેશનમાં પકડી પાડવામાં આવ્યો હતો. પરંતું દુષ્કર્મ કેસમાં આરોપી અશોક જૈન નાસતો ભાગતો ફરતો હતો.
આજરોજ હાઈ પ્રોફાઈલ કેસની તપાસ કરી રહેલી એસ.આઈ. ટી. ને 19 દિવસ બાદ અશોક જૈનની તીર્થક્ષેત્ર પાલીતાણામાંથી ધરપકડ કરી હતી. દુષ્કર્મની ભોગ બનેલી યુવતી અશોક જૈનની સી.એ. ફર્મમાં કામ કરતી હતી. હવે આ મામલે બન્ને આરોપીઓ પકડાઈ ગયા છે. ગતરોજ રાજુ ભટ્ટના રિમાન્ડ પુરા થતા તેને જેલ ભેગો કરી દેવામાં આવ્યો હતો.
હવે આ મામલે શંકાસ્પદ ભૂમિકા ભજવનાર કુખ્યાત બુટલેગર અલપુ સિંધી પોલીસની ગિરફત થી દુર છે. આ મામલે હવે તપાસમાં શુ બહાર આવશે તેના પર સૌ કોઈની નજર રહેલી છે.
દુષ્કર્મ કેસમાં પીડિતાને ન્યાય મળશે : હર્ષ સંઘવી, ગૃહ મંત્રી
આજરોજ રાજ્યના નવા નિમાયેલા યુવા ગૃહ મંત્રી હર્ષ સંઘવી વડોદરાની મુલાકાતે છે. તેમણે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, વડોદરા પોલીસ પહેલેથી જ વિવિધ ટિમો બનાવીને આરોપીઓની શોધખોળ શરૂ કરી દીધી હતી. બને આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. પીડિતાને ન્યાય મળશે. ખૂબ જ મજબૂતાઈથી ચાર્જશીટ કરવામાં આવશે.