હૃદયને અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં, લિવર, યકૃત અને કિડનીને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં, કીકીને વડોદરાની હોસ્પિટલમાં મોકલવામાં આવી
નવાપુરા ગોદડીયા વાસમાં રહેતાં અને શાકભાજીનો ધંધો કરતાં વીરુ ગોદડીયા ગુરુવારે સવારે અકસ્માતમાં ઘવાયો હતો.
32 વર્ષિય વીરુ ગોદડીયાના હૃદય, કિડની, યકૃત, કીકી અને લિવરનું દાન કરાયું.
WatchGujarat ગુરુવારે સવારે સયાજીપુરા ખાતે સર્જાયેલા અકસ્માતમાં નવાપુરા વિસ્તારના 32 વર્ષિય યુવક વીરુ ગોદડીયાને જીવલેણ ઈજા પહોંચતાં તે બ્રેઈન ડેડ થઈ ગયો હતો. રૂઢીચુસ્ત માન્યતાઓમાં માનતાં માંઈભક્ત ગોદડીયા સમાજ દ્વારા બ્રેઈન ડેડ યુવકના અંગોનું દાન કરવાની આગવી પહેલ સમાજસેવી મુકેશ નાયકના પ્રયાસોને પગલે કરવામાં આવી હતી. જેને પગલે આજરોજ વીરુના 5 અંગોનું દાન કરવામાં આવ્યું હતું.
શહેર પોલીસ અને ટ્રાફિક પોલીસ દ્વારા આજ રોજ સવારે ગ્રીન કોરીડોર મારફતે હૃદયને અમદાવાદની સીમ્સ હોસ્પિટલ મોકલવામાં આવ્યું હતું. વીરુ દ્વારા દાન કરવામાં આવેલ અંગો પૈકી હ્ર્દય જામનગરના યુવકમાં ટ્રાન્સપ્લાન્ટ કરી નવજીવન આપવામાં આવશે. તેમજ લિવર, યકૃત અને કિડની અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યું. જ્યારે કીકી વડોદરા ખાતેની હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી.સમાજ સેવક મુકેશ નાયકની સહાય અને સમજાવટથી આજે બ્રેઈન ડેડ યુવાનના પરિવારજનો સહિતના સમાજના અગ્રણીઓ અંગદાન કરવા તૈયાર થયા હતા.
https://youtu.be/Iy4ExfXENds
સયાજીપુરા પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત
નવાપુરા વિસ્તારના ગોદડીયા વાસમાં રહેતો 32 વર્ષિય વીરુ રણછોડભાઈ ગોદડીયા શાકભાજીનો છુટ્ટક વેપાર કરી બે સંતાન અને પત્નીના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. નિત્યક્રમ અનુસાર તે ગુરુવારે સવારે શાકભાજી લેવા માટે ટેમ્પામાં એ.પી.એમ.સી. માર્કેટ ખાતે જઈ રહ્યો હતો. દરમિયાનમાં ટ્રક સાથે ટેમ્પાનો અકસ્માત સર્જાતાં વીરુને ખુબ જ ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલા વીરુને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
જ્યાં વેન્ટિલેટરની વ્યવસ્થાના અભાવે રાત્રે 9 વાગ્યે વીરુને સયાજી હોસ્પિટલમાંથી દાંડીયાબજાર ચાર રસ્તા ખાતે આવેલી સિદ્ધિ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં વેન્ટિલેટર પર મુક્યા બાદ પરીક્ષણ કરાતાં તે બ્રેઈન ડેડ હોવાની જાણ થઈ હતી.
સમજાવટ બાદ પરિવાર જનોએ અંગદાન માટે તૈયારી દાખવી
ગઈકાલે આખી રાત ઉચાટ ભરી સ્થિતિમાં વિતાવનાર વીરુના પરિવારજનો તેમજ સમાજના લોકોને આજે સવારે સિદ્ધિ હોસ્પિટલના ડોક્ટર જયેશ રાજપુરા તેમજ મુકેશ નાયકે સમજાવ્યા હતાં કે, વીરુ બ્રેઈન ડેડ છે, તેનાં બચવાની શક્યતા ખૂબ ઓછી છે. જો તેના અંગોનું દાન કરવામાં આવે તો અન્ય લોકોને જીવતદાન પ્રાપ્ત થાય તેમ છે. વીરુના મોટાભાઈ નરસિંહ સહિતના અગ્રણીઓએ વાસ્તવિકતાનો સ્વિકાર કર્યો અને બપોરે 12 વાગ્યાના અરસામાં અંગદાન કરવા માટે તૈયાર થયા હતાં. જેને પગલે અંગદાન માટેની પ્રક્રિયા વેગવંતિ બનાવવામાં આવી હતી.
વીરુનું હૃદય જામનગરના યુવકના દીલમાં ધબકશે.
માતાજીના અસિમ ભક્ત એવાં ગોદડીયા સમાજ દ્વારા કરાયેલી અનોખી પહેલને પગલે બ્રેઈન ડેડ વીરુના અંગોનું કેવી રીતે દાન થવાનું છે? તે અંગે ડો. દિપાલી તિવારીએ watchgujarat.com ને જણાવ્યું હતું કે, બ્રેઈન ડેડ વીરુના 5 અંગો હ્રદય, કિડની, યકૃત, લિવર અને કીકીનું દાન કરવામાં આવનાર છે.
સવારે 6 વાગ્યે ગ્રીન કોરીડોરથી હ્રદય અમદાવાદની સીમ્સ હોસ્પિટલ મોકલવામાં આવશે. જ્યાં જામનગરના એક યુવકમાં તેનું ટ્રાન્સ્પ્લાન્ટ કરાશે. લિવર, યકૃત અને કિડની અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લઈ જવાશે. જ્યારે કીકી વડોદરા ખાતેની હોસ્પિટલમાં મોકલવામાં આવશે.
હૃદયને અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં, લિવર, યકૃત અને કિડનીને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં, કીકીને વડોદરાની હોસ્પિટલમાં મોકલવામાં આવી
નવાપુરા ગોદડીયા વાસમાં રહેતાં અને શાકભાજીનો ધંધો કરતાં વીરુ ગોદડીયા ગુરુવારે સવારે અકસ્માતમાં ઘવાયો હતો.
WatchGujarat ગુરુવારે સવારે સયાજીપુરા ખાતે સર્જાયેલા અકસ્માતમાં નવાપુરા વિસ્તારના 32 વર્ષિય યુવક વીરુ ગોદડીયાને જીવલેણ ઈજા પહોંચતાં તે બ્રેઈન ડેડ થઈ ગયો હતો. રૂઢીચુસ્ત માન્યતાઓમાં માનતાં માંઈભક્ત ગોદડીયા સમાજ દ્વારા બ્રેઈન ડેડ યુવકના અંગોનું દાન કરવાની આગવી પહેલ સમાજસેવી મુકેશ નાયકના પ્રયાસોને પગલે કરવામાં આવી હતી. જેને પગલે આજરોજ વીરુના 5 અંગોનું દાન કરવામાં આવ્યું હતું.
શહેર પોલીસ અને ટ્રાફિક પોલીસ દ્વારા આજ રોજ સવારે ગ્રીન કોરીડોર મારફતે હૃદયને અમદાવાદની સીમ્સ હોસ્પિટલ મોકલવામાં આવ્યું હતું. વીરુ દ્વારા દાન કરવામાં આવેલ અંગો પૈકી હ્ર્દય જામનગરના યુવકમાં ટ્રાન્સપ્લાન્ટ કરી નવજીવન આપવામાં આવશે. તેમજ લિવર, યકૃત અને કિડની અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યું. જ્યારે કીકી વડોદરા ખાતેની હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી.સમાજ સેવક મુકેશ નાયકની સહાય અને સમજાવટથી આજે બ્રેઈન ડેડ યુવાનના પરિવારજનો સહિતના સમાજના અગ્રણીઓ અંગદાન કરવા તૈયાર થયા હતા.
સયાજીપુરા પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત
નવાપુરા વિસ્તારના ગોદડીયા વાસમાં રહેતો 32 વર્ષિય વીરુ રણછોડભાઈ ગોદડીયા શાકભાજીનો છુટ્ટક વેપાર કરી બે સંતાન અને પત્નીના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. નિત્યક્રમ અનુસાર તે ગુરુવારે સવારે શાકભાજી લેવા માટે ટેમ્પામાં એ.પી.એમ.સી. માર્કેટ ખાતે જઈ રહ્યો હતો. દરમિયાનમાં ટ્રક સાથે ટેમ્પાનો અકસ્માત સર્જાતાં વીરુને ખુબ જ ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલા વીરુને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
જ્યાં વેન્ટિલેટરની વ્યવસ્થાના અભાવે રાત્રે 9 વાગ્યે વીરુને સયાજી હોસ્પિટલમાંથી દાંડીયાબજાર ચાર રસ્તા ખાતે આવેલી સિદ્ધિ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં વેન્ટિલેટર પર મુક્યા બાદ પરીક્ષણ કરાતાં તે બ્રેઈન ડેડ હોવાની જાણ થઈ હતી.
સમજાવટ બાદ પરિવાર જનોએ અંગદાન માટે તૈયારી દાખવી
ગઈકાલે આખી રાત ઉચાટ ભરી સ્થિતિમાં વિતાવનાર વીરુના પરિવારજનો તેમજ સમાજના લોકોને આજે સવારે સિદ્ધિ હોસ્પિટલના ડોક્ટર જયેશ રાજપુરા તેમજ મુકેશ નાયકે સમજાવ્યા હતાં કે, વીરુ બ્રેઈન ડેડ છે, તેનાં બચવાની શક્યતા ખૂબ ઓછી છે. જો તેના અંગોનું દાન કરવામાં આવે તો અન્ય લોકોને જીવતદાન પ્રાપ્ત થાય તેમ છે. વીરુના મોટાભાઈ નરસિંહ સહિતના અગ્રણીઓએ વાસ્તવિકતાનો સ્વિકાર કર્યો અને બપોરે 12 વાગ્યાના અરસામાં અંગદાન કરવા માટે તૈયાર થયા હતાં. જેને પગલે અંગદાન માટેની પ્રક્રિયા વેગવંતિ બનાવવામાં આવી હતી.
વીરુનું હૃદય જામનગરના યુવકના દીલમાં ધબકશે.
માતાજીના અસિમ ભક્ત એવાં ગોદડીયા સમાજ દ્વારા કરાયેલી અનોખી પહેલને પગલે બ્રેઈન ડેડ વીરુના અંગોનું કેવી રીતે દાન થવાનું છે? તે અંગે ડો. દિપાલી તિવારીએ watchgujarat.com ને જણાવ્યું હતું કે, બ્રેઈન ડેડ વીરુના 5 અંગો હ્રદય, કિડની, યકૃત, લિવર અને કીકીનું દાન કરવામાં આવનાર છે.
સવારે 6 વાગ્યે ગ્રીન કોરીડોરથી હ્રદય અમદાવાદની સીમ્સ હોસ્પિટલ મોકલવામાં આવશે. જ્યાં જામનગરના એક યુવકમાં તેનું ટ્રાન્સ્પ્લાન્ટ કરાશે. લિવર, યકૃત અને કિડની અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લઈ જવાશે. જ્યારે કીકી વડોદરા ખાતેની હોસ્પિટલમાં મોકલવામાં આવશે.