વડોદરામાં કોરોના વોરિયર્સને 3 મહિનાથી પગાર મળ્યો નથી
કર્મચારીઓના પગાર સહિતના પ્રશ્નો હલ નહીં થાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી
ગુજરાત જનતા જાગૃતિ મંચના નેજા હેઠળ આઉટસોર્સિંગમાં નોકરી કરતા કર્મચારીઓએ વેક્સિન ઇન્સ્ટીટ્યુટના કમ્પાઉન્ડમાં ધરણા કર્યાં
શોષણ અટકાવવા અને ચોથા વર્ગના કર્મચારીઓની ભરતી કરવાની માંગ સાથે કર્મચારીઓએ આંદોલનની શરૂઆત કરી
WatchGujarat ગુજરાત જનતા જાગૃતિ મંચના નેજા હેઠળ આઉટસોર્સિંગના કર્મચારીઓએ આઉટસોર્સિંગ કોરોના વોરિયર્સ કર્મચારીઓને વેક્સિન નહીં, હકનો પગાર આપો, આઉટસોર્સિંગની શોષણભરી નીતિ નાબૂદ કરોના સૂત્રોચ્ચારો, બેનર્સ અને પોસ્ટર્સ સાથે વેક્સિન ઇન્સ્ટીટ્યૂટ ખાતે આંદોલન કર્યું છે. વડોદરામાં કોરોના વેક્સિનનું જે વેક્સિન ઇન્સ્ટીટ્યૂટ ખાતે ભાજપ દ્વારા ભવ્ય સ્વાગત કરીને વિતરણ કરવામાં આવ્યું હતું. તે સ્થળે કોરોના વોરિયર્સ કર્મચારીઓ દ્વારા પ્રતિક ધરણા કરીને કર્મચારીઓનું શોષણ અટકાવવા અને ચોથા વર્ગના કર્મચારીઓની ભરતી કરવાની માંગ સાથે આંદોલનની શરૂઆત કરી છે.
શહેરના રોકસ્ટાર સર્કલ પાસે આવેલી વેક્સિન ઇન્સ્ટીટ્યુટના કમ્પાઉન્ડમાં ગુજરાત જનતા જાગૃતિ મંચના નેજા હેઠળ આઉટસોર્સિંગમાં નોકરી કરતા કર્મચારીઓ દ્વારા આજે સવારે 10 વાગ્યાથી પ્રતિક ધરણા શરૂ કર્યાં હતા. બેનર્સ અને પોસ્ટર્સ સાથે મોટી સંખ્યામાં કર્મચારીઓએ પ્રતિક ધરણામાં જોડાયા હતા. જ્યાં કર્મચારીઓને કોરોના વેક્સિન નહીં, પરંતુ, હકનો પગાર આપો, આઉટસોર્સિંગની શોષણભરી નીતિ નાબૂદ કરો, સમાન હક આપો જેવા સૂત્રોચ્ચાર કર્યાં હતા. તેમજ પ્રતિક ધરણા ઉપર બેઠેલા કર્મચારીઓ કોરોના ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરવામાં આવ્યું હતું.
https://youtu.be/xbsXQ2Bp2kU
ગુજરાત જનતા જાગૃતિ મંચના અગ્રણીએ જણાવ્યું હતું કે, સરકારી કચેરીઓમાં આઉટસોર્સિંગ દ્વારા ભરતી કરવામાં આવે છે, પરંતુ, કોન્ટ્રાક્ટરો દ્વારા કર્મચારીઓનું આર્થિક શોષણ કરવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા કોન્ટ્રાક્ટરને એક કર્મચારી દીઠ રૂપિયા 15થી રૂપિયા 25 હજાર ચુકવવામાં આવે છે, પરંતુ, કોન્ટ્રાક્ટરો દ્વારા કર્મચારીઓને માત્ર રૂપિયા 8થી 10 હજાર ચૂકવવામાં આવે છે અને કર્મચારીઓનું શોષણ કરવામાં આવે છે.
કર્મચારીઓ અવાજ ઉઠાવે તો કોન્ટ્રાક્ટરો દ્વારા નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકીઓ આપવામાં આવી રહી છે. આઉટસોર્સિંગના કર્મચારીઓને છેલ્લા 3 માસથી પગાર ચુકવવામાં આવ્યો નથી. અનેક વખત રજૂઆત કરવા છતાં અને હડતાળ પાડવા છતાં કર્મચારીઓના પગાર સહિતના પ્રશ્નો હલ થયા નથી.
આઉટસોર્સિંગમાં કર્મચારીઓનું શોષણ થતું હોવાથી આઉટ સોર્સિંગની નીતિ નાબૂદ કરવામાં આવે અને સરકાર દ્વારા સીધી વર્ગ-4ના કર્મચારીઓની ભરતી કરવામાં આવે તે જરૂરી છે. કમિશ્નરના આદેશાનુસાર કોન્ટ્રાક્ટરોને કર્મચારીઓના એસ્ક્રો એકાઉન્ટ ખોલવા માટે સૂચના આપવામાં આવી છે. છતાં કોન્ટ્રાક્ટરો દ્વારા એકાઉન્ટ ખોલવામાં આવતા નથી. છેલ્લા ત્રણ માસથી કર્મચારીઓને પગાર ન મળતા કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. જો કર્મચારીઓના પગાર સહિતના પ્રશ્નો હલ નહીં થાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
વડોદરામાં કોરોના વોરિયર્સને 3 મહિનાથી પગાર મળ્યો નથી
કર્મચારીઓના પગાર સહિતના પ્રશ્નો હલ નહીં થાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી
ગુજરાત જનતા જાગૃતિ મંચના નેજા હેઠળ આઉટસોર્સિંગમાં નોકરી કરતા કર્મચારીઓએ વેક્સિન ઇન્સ્ટીટ્યુટના કમ્પાઉન્ડમાં ધરણા કર્યાં
શોષણ અટકાવવા અને ચોથા વર્ગના કર્મચારીઓની ભરતી કરવાની માંગ સાથે કર્મચારીઓએ આંદોલનની શરૂઆત કરી
WatchGujarat ગુજરાત જનતા જાગૃતિ મંચના નેજા હેઠળ આઉટસોર્સિંગના કર્મચારીઓએ આઉટસોર્સિંગ કોરોના વોરિયર્સ કર્મચારીઓને વેક્સિન નહીં, હકનો પગાર આપો, આઉટસોર્સિંગની શોષણભરી નીતિ નાબૂદ કરોના સૂત્રોચ્ચારો, બેનર્સ અને પોસ્ટર્સ સાથે વેક્સિન ઇન્સ્ટીટ્યૂટ ખાતે આંદોલન કર્યું છે. વડોદરામાં કોરોના વેક્સિનનું જે વેક્સિન ઇન્સ્ટીટ્યૂટ ખાતે ભાજપ દ્વારા ભવ્ય સ્વાગત કરીને વિતરણ કરવામાં આવ્યું હતું. તે સ્થળે કોરોના વોરિયર્સ કર્મચારીઓ દ્વારા પ્રતિક ધરણા કરીને કર્મચારીઓનું શોષણ અટકાવવા અને ચોથા વર્ગના કર્મચારીઓની ભરતી કરવાની માંગ સાથે આંદોલનની શરૂઆત કરી છે.
શહેરના રોકસ્ટાર સર્કલ પાસે આવેલી વેક્સિન ઇન્સ્ટીટ્યુટના કમ્પાઉન્ડમાં ગુજરાત જનતા જાગૃતિ મંચના નેજા હેઠળ આઉટસોર્સિંગમાં નોકરી કરતા કર્મચારીઓ દ્વારા આજે સવારે 10 વાગ્યાથી પ્રતિક ધરણા શરૂ કર્યાં હતા. બેનર્સ અને પોસ્ટર્સ સાથે મોટી સંખ્યામાં કર્મચારીઓએ પ્રતિક ધરણામાં જોડાયા હતા. જ્યાં કર્મચારીઓને કોરોના વેક્સિન નહીં, પરંતુ, હકનો પગાર આપો, આઉટસોર્સિંગની શોષણભરી નીતિ નાબૂદ કરો, સમાન હક આપો જેવા સૂત્રોચ્ચાર કર્યાં હતા. તેમજ પ્રતિક ધરણા ઉપર બેઠેલા કર્મચારીઓ કોરોના ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરવામાં આવ્યું હતું.
ગુજરાત જનતા જાગૃતિ મંચના અગ્રણીએ જણાવ્યું હતું કે, સરકારી કચેરીઓમાં આઉટસોર્સિંગ દ્વારા ભરતી કરવામાં આવે છે, પરંતુ, કોન્ટ્રાક્ટરો દ્વારા કર્મચારીઓનું આર્થિક શોષણ કરવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા કોન્ટ્રાક્ટરને એક કર્મચારી દીઠ રૂપિયા 15થી રૂપિયા 25 હજાર ચુકવવામાં આવે છે, પરંતુ, કોન્ટ્રાક્ટરો દ્વારા કર્મચારીઓને માત્ર રૂપિયા 8થી 10 હજાર ચૂકવવામાં આવે છે અને કર્મચારીઓનું શોષણ કરવામાં આવે છે.
કર્મચારીઓ અવાજ ઉઠાવે તો કોન્ટ્રાક્ટરો દ્વારા નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકીઓ આપવામાં આવી રહી છે. આઉટસોર્સિંગના કર્મચારીઓને છેલ્લા 3 માસથી પગાર ચુકવવામાં આવ્યો નથી. અનેક વખત રજૂઆત કરવા છતાં અને હડતાળ પાડવા છતાં કર્મચારીઓના પગાર સહિતના પ્રશ્નો હલ થયા નથી.
આઉટસોર્સિંગમાં કર્મચારીઓનું શોષણ થતું હોવાથી આઉટ સોર્સિંગની નીતિ નાબૂદ કરવામાં આવે અને સરકાર દ્વારા સીધી વર્ગ-4ના કર્મચારીઓની ભરતી કરવામાં આવે તે જરૂરી છે. કમિશ્નરના આદેશાનુસાર કોન્ટ્રાક્ટરોને કર્મચારીઓના એસ્ક્રો એકાઉન્ટ ખોલવા માટે સૂચના આપવામાં આવી છે. છતાં કોન્ટ્રાક્ટરો દ્વારા એકાઉન્ટ ખોલવામાં આવતા નથી. છેલ્લા ત્રણ માસથી કર્મચારીઓને પગાર ન મળતા કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. જો કર્મચારીઓના પગાર સહિતના પ્રશ્નો હલ નહીં થાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.