શિનોર નર્મદા નદીના કિનારા પાસે મગરો મોટી સંખ્યામાં વસવાટ કરે છે
નદિ કિનારે પાલતું પશુંઓને અનેક વખત મગર ખેંચી જવાની ઘટનાઓ સામે આવતી હોય છે
ગત સવારે તેની મીજબાની માણવા માટે ત્રણ જેટલા મગર વચ્ચે હોડ જામી હોવાનું જોવા મળ્યું
મગર એક વખતમાં કરેલો શિકાર આરોગી લીધા બાદ જો વધે તેને યોગ્ય જગ્યાએ સંતાડી રાખે છે. અને ભુખ લાગે ત્યારે તેને આરોગે છે – અરવિંદ પવાર, પ્રેસીડેન્ટ – વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટ
[caption id="attachment_1224706" align="aligncenter" width="1280"] Gujarat, narmada river crocodile at Shinor video[/caption]
Watchgujarat. વડોદરા શહેર – જિલ્લામાં માનવ વસવાટ નજીક મોટી સંખ્યામાં મગર વસવાટ કરે છે. ગતરોજ ચોંકાવનારો વિડીયો સામે આવ્યો હતો. જેમાં શિનોર નર્મદા નદીના કિનારે ગોલવાડ અને બુસાફળિયાના ઘાટ પાસે ગતરોજ વહેલી સવારે નદીમાં એક તણાઇને આવેલી લાશને ત્રણ મગર કિનારા નજીકના વિસ્તારોમાં ખેંચી લાવ્યા હતા. મોર્નિંગ વોક કરવા નિકળેલા નાગરીકોએ તેને વિડીયો લીધો હતો. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
https://youtu.be/MOOAlTymGQA
શિનોર નર્મદા નદીના કિનારા પાસે મગરો મોટી સંખ્યામાં વસવાટ કરે છે. નદી કિનારાના વિસ્તારમાં સવારે અથવા સાંજે ચાલવા આવવા નિકળેલા લોકોને મગર જોવા મળે છે. નદિ કિનારે પાલતું પશુંઓને અનેક વખત મગર ખેંચી જવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ગત રોજ સવારે 7 વાગ્યે એક તરતા માનવ દેહને ત્રણ જેટલા મગરો ગોલવાડ અને બુસાફળિયાના ઘાટના કિનારે ખેંચી લાવ્યા હતા. અને તેની મીજબાની માણવા માટે ત્રણ જેટલા મગર વચ્ચે હોડ જામી હોવાનું જોવા મળ્યું હતું. આ દ્રશ્ય સવારે ચાલવા નિકળેલા નાગરીકે પોતાના ફોનમાં કેદ કરી લીધા હતા.
સમગ્ર ઘટના અંગે નાગરીકે સ્થાનિક પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા પોલીસનો કાફલે સ્થળે ઘસી આવ્યો હતો. અને મૃતદેહની શોધખોળ કરી હતી. પ્રાથમિક માહિતી પ્રમાણે, મૃતદેહ 35 વર્ષના પુરૂષનો હતો. અને તે કહોવાઇ ગયેલી હાલતમાં હતો.
મગરના ખોરાક અંગે વધુ માહિતી આપતા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટના અરવિંદ પવારે જણાવ્યું હતું કે, મગર સામાન્ય સંજોગોમાં તાજો શિકાર કરીને બધુ જ ખાતો નથી. શિકારને અમુક સમય સુધી મુકી રાખ્યા બાદ તે સડી જાય પછી મગર માટે ખાવા યોગ્ય ખોરાક થાય છે. મગર એક વખતમાં કરેલો શિકાર આરોગી લીધા બાદ જો વધે તેને યોગ્ય જગ્યાએ સંતાડી રાખે છે. અને ભુખ લાગે ત્યારે તેને આરોગે છે.
Gujarat, narmada river crocodile at Shinor video
શિનોર નર્મદા નદીના કિનારા પાસે મગરો મોટી સંખ્યામાં વસવાટ કરે છે
નદિ કિનારે પાલતું પશુંઓને અનેક વખત મગર ખેંચી જવાની ઘટનાઓ સામે આવતી હોય છે
ગત સવારે તેની મીજબાની માણવા માટે ત્રણ જેટલા મગર વચ્ચે હોડ જામી હોવાનું જોવા મળ્યું
મગર એક વખતમાં કરેલો શિકાર આરોગી લીધા બાદ જો વધે તેને યોગ્ય જગ્યાએ સંતાડી રાખે છે. અને ભુખ લાગે ત્યારે તેને આરોગે છે – અરવિંદ પવાર, પ્રેસીડેન્ટ – વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટ
[caption id="attachment_1224706" align="aligncenter" width="1280"] Gujarat, narmada river crocodile at Shinor video[/caption]
Watchgujarat. વડોદરા શહેર – જિલ્લામાં માનવ વસવાટ નજીક મોટી સંખ્યામાં મગર વસવાટ કરે છે. ગતરોજ ચોંકાવનારો વિડીયો સામે આવ્યો હતો. જેમાં શિનોર નર્મદા નદીના કિનારે ગોલવાડ અને બુસાફળિયાના ઘાટ પાસે ગતરોજ વહેલી સવારે નદીમાં એક તણાઇને આવેલી લાશને ત્રણ મગર કિનારા નજીકના વિસ્તારોમાં ખેંચી લાવ્યા હતા. મોર્નિંગ વોક કરવા નિકળેલા નાગરીકોએ તેને વિડીયો લીધો હતો. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
શિનોર નર્મદા નદીના કિનારા પાસે મગરો મોટી સંખ્યામાં વસવાટ કરે છે. નદી કિનારાના વિસ્તારમાં સવારે અથવા સાંજે ચાલવા આવવા નિકળેલા લોકોને મગર જોવા મળે છે. નદિ કિનારે પાલતું પશુંઓને અનેક વખત મગર ખેંચી જવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ગત રોજ સવારે 7 વાગ્યે એક તરતા માનવ દેહને ત્રણ જેટલા મગરો ગોલવાડ અને બુસાફળિયાના ઘાટના કિનારે ખેંચી લાવ્યા હતા. અને તેની મીજબાની માણવા માટે ત્રણ જેટલા મગર વચ્ચે હોડ જામી હોવાનું જોવા મળ્યું હતું. આ દ્રશ્ય સવારે ચાલવા નિકળેલા નાગરીકે પોતાના ફોનમાં કેદ કરી લીધા હતા.
સમગ્ર ઘટના અંગે નાગરીકે સ્થાનિક પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા પોલીસનો કાફલે સ્થળે ઘસી આવ્યો હતો. અને મૃતદેહની શોધખોળ કરી હતી. પ્રાથમિક માહિતી પ્રમાણે, મૃતદેહ 35 વર્ષના પુરૂષનો હતો. અને તે કહોવાઇ ગયેલી હાલતમાં હતો.
મગરના ખોરાક અંગે વધુ માહિતી આપતા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટના અરવિંદ પવારે જણાવ્યું હતું કે, મગર સામાન્ય સંજોગોમાં તાજો શિકાર કરીને બધુ જ ખાતો નથી. શિકારને અમુક સમય સુધી મુકી રાખ્યા બાદ તે સડી જાય પછી મગર માટે ખાવા યોગ્ય ખોરાક થાય છે. મગર એક વખતમાં કરેલો શિકાર આરોગી લીધા બાદ જો વધે તેને યોગ્ય જગ્યાએ સંતાડી રાખે છે. અને ભુખ લાગે ત્યારે તેને આરોગે છે.