પુત્રના પ્રથમ લગ્ન કરેલી છોકરીએ કરિયાવર તેના ઘરેથી નહિ લાવતા અમે છૂટાછેડા આપી દીધા હતા
સાસરિયાએ પુત્રને પિયરમાં લઈ જવા પાંચ લાખની માંગ કરી
WatchGujarat. લગ્નના બે મહિના બાદ તારા પિતાએ મોભા પ્રમાણે કરિયાવર આપ્યું નથી તેમ જણાવી પિયરમાંથી સોનાનું કડું લઇ આવવા સસરિયાઓ પરિણીતાએ શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો હતો. અવારનવાર ઝગડો કરતા પતિએ પત્નીને ચપ્પુનો ઘા મારી ઇજા પહોંચાડી ઘરમાંથી કાઢી મૂકી હતી. સાસરિયાઓએ પુત્રને પિયરમાં લઈ જવા પાંચ લાખની માંગ કરી છે. આ મામલે પતિ સાસુ-સસરા અને નણંદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે સ્ત્રી અત્યાચાર ની કલમો હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
મૂળ આણંદની રહેવાસી અને હાલમાં ફિમેલ હેલ્થ વર્કર તરીકે નોકરી કરતી 24 વર્ષીય મહિલાના લગ્ન વર્ષ 2019 જાન્યુઆરીના રોજ ઓલ્ડ પાદરા રોડ પર આવેલી વ્રજધામ સોસાયટીમાં રહેતા યુવરાજસિંહ રણજીત પરમાર સાથે સમાજનાં રીતિ-રિવાજ મુજબ થયા હતા. આ દરમિયાન તેઓને સંતાનમાં એક પુત્ર છે. લગ્ન સમયે યુવતીના પિતાએ જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ વાસણો, કપડા, પલંગ અને સોના-ચાંદીના દાગીના આપ્યા હતા.
લગ્નના બે મહિના બાદ સાસરીયાઓએ પોત પ્રકાશ્યું હતું અને પરિણીતાને પતિ તથા સાસુ સસરા અને નણંદ અવારનવાર શારીરિક અને માનસિક ત્રાસ આપી મેણા ટોણા મારતા હતા. પરિણીતાને તારા પિયરમાંથી કરિયાવરમાં સોનાનું કડું કેમ આપ્યું નથી તેમ કહી સોનાનું કડું લાવવું પડશે. તારા યુવરાજ સાથે બીજા લગ્ન છે આ પહેલા પણ લગ્ન કરેલી છોકરીએ કરિયાવર તેના ઘરેથી નહિ લાવતા અમે છૂટાછેડા આપી દીધા છે. તેના જેઓ હાલ તારો પણ કરીશું.
સાસરિયાના ત્રાસથી કંટાળેલી પરણિતાએ માજલપુર પોલીસ મથકે ફરિયાદ કરતા પરિણીતાના પિતાએ સંસારના બગડે તે માટે સમજાવટ કરી મામલો થાળે પાડયો હતો. જોકે ત્યાર પછી પણ સાસરિયાઓએ પરણિતાને શારીરિક અને માનસિક ત્રાસ આપી હેરાનગતિ ચાલુ રાખી હતી. આ દરમિયાન પરણિતાએ 181 ઉપર ફોન કરી અભયમની મદદ લેતા પરણિતાનો પતિ રસોડામાંથી ચપ્પુ લઈ આવ્યો હતો અને પરણિતાના જમણા પગના થાપા પર મારી દેતા પરણિતા લોહીલુહાણ થઈ ગઈ હતી.
સાસરિયાઓએ પરણિતાના પિતાને જણાવ્યું હતું કે તમારી છોકરીને લઇ જાવ અને પુત્ર જોઈતો હોય તો રૂપિયા પાંચ લાખ આપવા પડશે. જેથી આખરે કંટાળેલી પરણિતા માજલપુર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સાસરીપક્ષના પતિ યુવરાજ સિંહ પરમાર , સાસુ દક્ષાબેન પરમાર, સસરા રણજીત સિંહ પરમાર તથા નણંદ અનુપમાબેન પરમાર વિરુદ્ધ સ્ત્રી અત્યાચાર અને દહેજ પ્રથા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પુત્રના પ્રથમ લગ્ન કરેલી છોકરીએ કરિયાવર તેના ઘરેથી નહિ લાવતા અમે છૂટાછેડા આપી દીધા હતા
સાસરિયાએ પુત્રને પિયરમાં લઈ જવા પાંચ લાખની માંગ કરી
WatchGujarat. લગ્નના બે મહિના બાદ તારા પિતાએ મોભા પ્રમાણે કરિયાવર આપ્યું નથી તેમ જણાવી પિયરમાંથી સોનાનું કડું લઇ આવવા સસરિયાઓ પરિણીતાએ શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો હતો. અવારનવાર ઝગડો કરતા પતિએ પત્નીને ચપ્પુનો ઘા મારી ઇજા પહોંચાડી ઘરમાંથી કાઢી મૂકી હતી. સાસરિયાઓએ પુત્રને પિયરમાં લઈ જવા પાંચ લાખની માંગ કરી છે. આ મામલે પતિ સાસુ-સસરા અને નણંદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે સ્ત્રી અત્યાચાર ની કલમો હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
મૂળ આણંદની રહેવાસી અને હાલમાં ફિમેલ હેલ્થ વર્કર તરીકે નોકરી કરતી 24 વર્ષીય મહિલાના લગ્ન વર્ષ 2019 જાન્યુઆરીના રોજ ઓલ્ડ પાદરા રોડ પર આવેલી વ્રજધામ સોસાયટીમાં રહેતા યુવરાજસિંહ રણજીત પરમાર સાથે સમાજનાં રીતિ-રિવાજ મુજબ થયા હતા. આ દરમિયાન તેઓને સંતાનમાં એક પુત્ર છે. લગ્ન સમયે યુવતીના પિતાએ જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ વાસણો, કપડા, પલંગ અને સોના-ચાંદીના દાગીના આપ્યા હતા.
લગ્નના બે મહિના બાદ સાસરીયાઓએ પોત પ્રકાશ્યું હતું અને પરિણીતાને પતિ તથા સાસુ સસરા અને નણંદ અવારનવાર શારીરિક અને માનસિક ત્રાસ આપી મેણા ટોણા મારતા હતા. પરિણીતાને તારા પિયરમાંથી કરિયાવરમાં સોનાનું કડું કેમ આપ્યું નથી તેમ કહી સોનાનું કડું લાવવું પડશે. તારા યુવરાજ સાથે બીજા લગ્ન છે આ પહેલા પણ લગ્ન કરેલી છોકરીએ કરિયાવર તેના ઘરેથી નહિ લાવતા અમે છૂટાછેડા આપી દીધા છે. તેના જેઓ હાલ તારો પણ કરીશું.
સાસરિયાના ત્રાસથી કંટાળેલી પરણિતાએ માજલપુર પોલીસ મથકે ફરિયાદ કરતા પરિણીતાના પિતાએ સંસારના બગડે તે માટે સમજાવટ કરી મામલો થાળે પાડયો હતો. જોકે ત્યાર પછી પણ સાસરિયાઓએ પરણિતાને શારીરિક અને માનસિક ત્રાસ આપી હેરાનગતિ ચાલુ રાખી હતી. આ દરમિયાન પરણિતાએ 181 ઉપર ફોન કરી અભયમની મદદ લેતા પરણિતાનો પતિ રસોડામાંથી ચપ્પુ લઈ આવ્યો હતો અને પરણિતાના જમણા પગના થાપા પર મારી દેતા પરણિતા લોહીલુહાણ થઈ ગઈ હતી.
સાસરિયાઓએ પરણિતાના પિતાને જણાવ્યું હતું કે તમારી છોકરીને લઇ જાવ અને પુત્ર જોઈતો હોય તો રૂપિયા પાંચ લાખ આપવા પડશે. જેથી આખરે કંટાળેલી પરણિતા માજલપુર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સાસરીપક્ષના પતિ યુવરાજ સિંહ પરમાર , સાસુ દક્ષાબેન પરમાર, સસરા રણજીત સિંહ પરમાર તથા નણંદ અનુપમાબેન પરમાર વિરુદ્ધ સ્ત્રી અત્યાચાર અને દહેજ પ્રથા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.