વડોદરા શહેરમાં વાયરલ મેસેજ અંગે હેલ્થ કમિટીના ચેરમેનની સ્પષ્ટતા
વાયરલ મેસેજ ફેક છે. અને સત્યથી વેગળો છે : હેલ્થ કમિટીના ચેરમેન ડો. રાજેશ શાહ
વાયરલ મેસેજમાં શહેરના કેટલાંક વિસ્તારોને કોલેરાગ્રસ્ત જાહેર કર્યા હોવાની માહિતી ફેલાવાઈ
WatchGujarat. વોટ્સએપ પર અવાર નવાર ફેક મેસેજો અને ન્યુઝ આવતાં હોય છે. જેના કારણે લોકોમાં ખોટી માહિતી પ્રસરે છે તેમજ તેઓ ગેરમાર્ગે પણ દોરાય છે. આવો જ એક મેસેજ છેલ્લા કેટલાંક સમયથી વડોદરા શહેરમાં VMCના નામે ફોરવર્ડ કરવામાં આવી રહ્યો છે. જેમાં શહેરના કેટલાંક વિસ્તારોને VMC દ્વારા કોલેરાગ્રસ્ત જાહેર કર્યા હોવાની માહિતી આપવામાં આવે છે. હવે મામલે હેલ્થ કમિટીના ચેરમેનએ પોતાની પ્રતિક્રિયા આપી છે.
તમને જણાવી દઈએ કે વડોદરા મ્યુનિસિપાલ કોર્પોરેશનના હેલ્થ કમિટીના ચેરમેન દ્વારા આ મેસેજ ફેક હોવાનું જણાવવામાં આવ્યું છે. તાજેતરમાં VMC ના હેલ્થ કમિટીના ચેરમેન ડો. રાજેશ શાહે આ અંગે વાત કરતાં જણાવ્યું છે કે, છેલ્લા કેટલાંય દિવસથી વડોદરા શહેરમાં વોટ્સએપ દ્વારા એક મેસેજ મોટા પાયે ફોરવર્ડ થઈ રહ્યો છે. જેમાં શહેરના વાસણા, અકોટા સહિત અનેક વિસ્તારોને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યાનો ઉલ્લેખ છે. તેની સાથે સંબંધિત વિગતો જણાવવામાં આવી છે. આ એક ફેક મેસેજ છે. અને સત્યથી વેગળો છે.
[caption id="attachment_1290849" align="aligncenter" width="1600"] This kind of fake message viral on social media[/caption]
આ વિશે વાત કરતાં તેમને કહ્યું કે, ચોમાસાની ઋતુમાં ખાનપાન પર જો પૂરતું ધ્યાન આપવામાં ન આવે તો સ્વાસ્થ્ય પર તેની અસર થઈ શકે છે. તેથી આપણે ધ્યાન અવશ્ય રાખીએ. તેમને વધુમાં જણાવ્યું હતું કે, VMC ના નામે ફેક મેસેજ વાઇરલ કરવા ગુનાહિત કૃત્ય છે. સત્યતાની ચકાસણી કર્યા બાદ જ કોઈ પણ પ્રકારના મેસેજ વાયરલ કરવા જોઈએ. અન્યથા આ મામલે કાનૂની કાર્યવાહી પણ થઈ શકે છે.
શું છે વાયરલ મેસેજ
પ્રાપ્ત વિગતો અનુસાર વાયરલ મેસેજમાં શહેરના વાસણા-ભાયલી, અકોટા, અલ્કાપુરી, કારેલીબાગ અને આજવા રોડ વિસ્તારને VMC દ્વારા કોલેરાગ્રસ્ત જાહેર કર્યા હોવાની માહિતી આપવામાં આવી છે. મેસેજમાં કહેવાયું છે કે, ગટરનું પાણી મુખ્ય પાણીની પાઈપલાઈનમાં ભળી રહ્યું છે. જેની માહતી સમાચારપત્રોમાં પણ આપવામાં આવી છે. VMC દ્વારા લોકોને ઉકાળેલું પાણી પિવાની સલાહ આપવામાં આવી છે.
જોકે આ મેસેજની તપાસ કરતાં તે ફેક હોવાનું જાણવા મળ્યું છે. તેમજ આ મામલે VMCના હેલ્થ કમિટીના ચેરમેનએ પોતાની પ્રતિક્રિયા આપીને સમગ્ર મામલે સ્પષ્ટતા કરી છે. સાથે ચોમાસામાં લોકોને સ્વસ્થ્યની કાળજી લેવાનું પણ જણાવ્યું છે.
વડોદરા શહેરમાં વાયરલ મેસેજ અંગે હેલ્થ કમિટીના ચેરમેનની સ્પષ્ટતા
વાયરલ મેસેજ ફેક છે. અને સત્યથી વેગળો છે : હેલ્થ કમિટીના ચેરમેન ડો. રાજેશ શાહ
વાયરલ મેસેજમાં શહેરના કેટલાંક વિસ્તારોને કોલેરાગ્રસ્ત જાહેર કર્યા હોવાની માહિતી ફેલાવાઈ
WatchGujarat. વોટ્સએપ પર અવાર નવાર ફેક મેસેજો અને ન્યુઝ આવતાં હોય છે. જેના કારણે લોકોમાં ખોટી માહિતી પ્રસરે છે તેમજ તેઓ ગેરમાર્ગે પણ દોરાય છે. આવો જ એક મેસેજ છેલ્લા કેટલાંક સમયથી વડોદરા શહેરમાં VMCના નામે ફોરવર્ડ કરવામાં આવી રહ્યો છે. જેમાં શહેરના કેટલાંક વિસ્તારોને VMC દ્વારા કોલેરાગ્રસ્ત જાહેર કર્યા હોવાની માહિતી આપવામાં આવે છે. હવે મામલે હેલ્થ કમિટીના ચેરમેનએ પોતાની પ્રતિક્રિયા આપી છે.
તમને જણાવી દઈએ કે વડોદરા મ્યુનિસિપાલ કોર્પોરેશનના હેલ્થ કમિટીના ચેરમેન દ્વારા આ મેસેજ ફેક હોવાનું જણાવવામાં આવ્યું છે. તાજેતરમાં VMC ના હેલ્થ કમિટીના ચેરમેન ડો. રાજેશ શાહે આ અંગે વાત કરતાં જણાવ્યું છે કે, છેલ્લા કેટલાંય દિવસથી વડોદરા શહેરમાં વોટ્સએપ દ્વારા એક મેસેજ મોટા પાયે ફોરવર્ડ થઈ રહ્યો છે. જેમાં શહેરના વાસણા, અકોટા સહિત અનેક વિસ્તારોને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યાનો ઉલ્લેખ છે. તેની સાથે સંબંધિત વિગતો જણાવવામાં આવી છે. આ એક ફેક મેસેજ છે. અને સત્યથી વેગળો છે.
[caption id="attachment_1290849" align="aligncenter" width="1600"] This kind of fake message viral on social media[/caption]
આ વિશે વાત કરતાં તેમને કહ્યું કે, ચોમાસાની ઋતુમાં ખાનપાન પર જો પૂરતું ધ્યાન આપવામાં ન આવે તો સ્વાસ્થ્ય પર તેની અસર થઈ શકે છે. તેથી આપણે ધ્યાન અવશ્ય રાખીએ. તેમને વધુમાં જણાવ્યું હતું કે, VMC ના નામે ફેક મેસેજ વાઇરલ કરવા ગુનાહિત કૃત્ય છે. સત્યતાની ચકાસણી કર્યા બાદ જ કોઈ પણ પ્રકારના મેસેજ વાયરલ કરવા જોઈએ. અન્યથા આ મામલે કાનૂની કાર્યવાહી પણ થઈ શકે છે.
શું છે વાયરલ મેસેજ
પ્રાપ્ત વિગતો અનુસાર વાયરલ મેસેજમાં શહેરના વાસણા-ભાયલી, અકોટા, અલ્કાપુરી, કારેલીબાગ અને આજવા રોડ વિસ્તારને VMC દ્વારા કોલેરાગ્રસ્ત જાહેર કર્યા હોવાની માહિતી આપવામાં આવી છે. મેસેજમાં કહેવાયું છે કે, ગટરનું પાણી મુખ્ય પાણીની પાઈપલાઈનમાં ભળી રહ્યું છે. જેની માહતી સમાચારપત્રોમાં પણ આપવામાં આવી છે. VMC દ્વારા લોકોને ઉકાળેલું પાણી પિવાની સલાહ આપવામાં આવી છે.
જોકે આ મેસેજની તપાસ કરતાં તે ફેક હોવાનું જાણવા મળ્યું છે. તેમજ આ મામલે VMCના હેલ્થ કમિટીના ચેરમેનએ પોતાની પ્રતિક્રિયા આપીને સમગ્ર મામલે સ્પષ્ટતા કરી છે. સાથે ચોમાસામાં લોકોને સ્વસ્થ્યની કાળજી લેવાનું પણ જણાવ્યું છે.