જાન્યુઆરી મહિનામાં મળેલા મૃતદેહના રહસ્યનો પર્દાફાશ
3 સંતાનના પિતાનું મિત્રની પત્ની સાથે ઇલુ ઇલુ હતું
3 સંતાનના પિતાને ઝેરી દવા પીવડાવી હત્યા કરી
પોલીસે એક જ પરિવારના 5 લોકો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી
WatchGujarat. શેરખી ગામની સીમમાંથી જાન્યુઆરી મહિનામાં મળી આવેલા યુવકના મૃતદેહ મામલે નવો વળાંક આવ્યો છે. જેમાં મૃતકના સાળીની સાસુ જોડે પ્રેમ સંબંધ હોવાની સાથે સાળીની આબરૂ ઉપર લેવાની કોશિશ કરતા પરિવારે એક સંપ થઇ મૃતકને ઝેરી મોતને ઘાટ ઉતારી દીધો હતો. તેમજ આ સમગ્ર પ્રકરણને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે સાળીએ સમગ્ર હકીકત જણાવતા વરણામા પોલીસે 5 લોકો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
શહેર નજીક સીંઘરોટ ગામમાં રહેતી સુમિત્રાબેન મેલાભાઇ ગોહિલએ પોલીસમાં ફરિયાદ નોંધવી હતી કે, તેની ઘરકામ કરે છે. તેણીને 3 સંતાન છે. તેમના પતિ અગાઉ મનેજ સ્થિત ABB કંપનીમાં કોન્ટ્રાકટ બેઝ ઉપર કામ કરતા હતા. સાથે છૂટક ઇલેક્ટ્રિકનું પણ છૂટક કામ કરતા હતા. તેમના મૃતક પતિ મેલાભાઈ ગોહિલ અને ભીમપુરા ગામે રહેતા મુકેશભાઈ પરમાર ABB કંપનીમાં સાથે કામ કરતા હોવાથી બંનેના પરિવાર વચ્ચે ગાઢ સંબંધ બંધાયા હતા. દરમિયાન મુકેશ પરમારની પત્ની રમીલાબેન અને મેલાભાઈ વચ્ચે પ્રેમ સંબંધ હોવાની તેણીને શંકા ગઈ હતી. તેમના પતિ ઘણીવાર રમીલાબેનના ઘરે રાત્રી રોકાણ પણ કરતા હતા, ગત 14 મી નવેમ્બરના રોજ મેલાભાઈ ATMમાં પૈસા કાઢવા જાઉં છું તેમ કહી પોતાનું બાઈક લઈને નીકળ્યા હતા.
જોકે મોડી રાત્રે પરત ન ફરતા સુમિત્રાબેને પરિવારના અન્ય સભ્યો સાથે પતિની તપાસ આરંભી હતી. ત્યારે મેલાભાઈ રમીલાબેનના ઘરેથી મળી આવ્યા હતા. ત્યારબાદ 15 મી જાન્યુઆરીના રોજ શેરખી ગામની સીમમાંથી મેલાભાઈ બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. જેની જાણ પત્ની સુમિત્રાબેનને થતા તેણી તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે દોડી આવી હતી અને 108ને જાણ કરી હતી.
સ્થળ પર આવી પહોંચેલી 108 એમ્બ્યુલન્સના તબીબોએ તપાસ કર્યાબાદ મેલાભાને મૃત જાહેર કર્યા હતા. તે સમયે પણ મેલાભાઈના બંને કાનમાંથી લોહી અને નાકમાંથી સફેદ પ્રવાહી વહી રહ્યું હતું. ત્યારે સુમિત્રાબેનને શંકા ગઈ હતી કે, તેમના પતિનું રમીલાબેન સાથે પ્રેમ સંબંધ હોવાથી તેને ઝેરી દવા પીવડાવી હત્યા કરવામાં આવી છે.
દરમિયાન 4 જાન્યુઆરીના રોજ મૃતક મેલાભાઈની પત્ની સુમિત્રાબેન પોતાના પતિની હત્યા થઇ છે કે કેમ તે જાણવા અંગે ભીમપુરા ગમે રહેતી બહેન નિશાને પુછપરછ કરી હતી. ત્યારે નિશાએ જણાવ્યું હતું કે, મૃતક મેલાભાઈ અને સાસુ રમીલાબેન વચ્ચે શારીરિક સંબંધો હતા. અને મેલાભાઈ રમીલાબેનને રૂપિયા પણ આપતા હતા. ત્યારબાદ સાસુએ નીકિતાનો ફોન નંબર મેલાભાઈને આપ્યો હતો. જેથી તેઓ અવાર નવાર ફોન કરી શારીરિક સંબંધ બાંધવાની માંગ કરતા હતા.
એક દિવસ મેલાભાઈ નિકિતાના ઘરે પહોંચ્યા હતા. અને નિકીતાને પાછળથી પકડી શારીરિક સંબંધ બાંધવાની વાત કરી હતી. જેથી આ બનાવ અંગે રમીલાબે, મગનભાઈ નિકિતા અને તેમના પતિ સાથે બેઠા હતા. ત્યારે આ મેલાભાઈનો ત્રાસ વધી ગયો છે. જેથી ઘરના તમામ સભ્યોએ ભેગા મળી મેલાભાઈને મારી નાખવાનો પ્લાન કરી ક્સરી દવા પીવડાવી હત્યા કરી હતી. જેથી વડોદરા તાલુકા પોલીસે મુકેશ મગન પરમાર, નિકિતા મુકેશ પરમાર, મનહર ઉર્ફે મગન પરમાર, રમીલા મગન પરમાર અને જગદીશ રમણ ગોહિલ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે એક જ પરિવારના 5 લોકો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી
WatchGujarat.શેરખી ગામની સીમમાંથી જાન્યુઆરી મહિનામાં મળી આવેલા યુવકના મૃતદેહ મામલે નવો વળાંક આવ્યો છે. જેમાં મૃતકના સાળીની સાસુ જોડે પ્રેમ સંબંધ હોવાની સાથે સાળીની આબરૂ ઉપર લેવાની કોશિશ કરતા પરિવારે એક સંપ થઇ મૃતકને ઝેરી મોતને ઘાટ ઉતારી દીધો હતો. તેમજ આ સમગ્ર પ્રકરણને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે સાળીએ સમગ્ર હકીકત જણાવતા વરણામા પોલીસે 5 લોકો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
શહેર નજીક સીંઘરોટ ગામમાં રહેતી સુમિત્રાબેન મેલાભાઇ ગોહિલએ પોલીસમાં ફરિયાદ નોંધવી હતી કે, તેની ઘરકામ કરે છે. તેણીને 3 સંતાન છે. તેમના પતિ અગાઉ મનેજ સ્થિત ABB કંપનીમાં કોન્ટ્રાકટ બેઝ ઉપર કામ કરતા હતા. સાથે છૂટક ઇલેક્ટ્રિકનું પણ છૂટક કામ કરતા હતા. તેમના મૃતક પતિ મેલાભાઈ ગોહિલ અને ભીમપુરા ગામે રહેતા મુકેશભાઈ પરમાર ABB કંપનીમાં સાથે કામ કરતા હોવાથી બંનેના પરિવાર વચ્ચે ગાઢ સંબંધ બંધાયા હતા. દરમિયાન મુકેશ પરમારની પત્ની રમીલાબેન અને મેલાભાઈ વચ્ચે પ્રેમ સંબંધ હોવાની તેણીને શંકા ગઈ હતી. તેમના પતિ ઘણીવાર રમીલાબેનના ઘરે રાત્રી રોકાણ પણ કરતા હતા, ગત 14 મી નવેમ્બરના રોજ મેલાભાઈ ATMમાં પૈસા કાઢવા જાઉં છું તેમ કહી પોતાનું બાઈક લઈને નીકળ્યા હતા.
જોકે મોડી રાત્રે પરત ન ફરતા સુમિત્રાબેને પરિવારના અન્ય સભ્યો સાથે પતિની તપાસ આરંભી હતી. ત્યારે મેલાભાઈ રમીલાબેનના ઘરેથી મળી આવ્યા હતા. ત્યારબાદ 15 મી જાન્યુઆરીના રોજ શેરખી ગામની સીમમાંથી મેલાભાઈ બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. જેની જાણ પત્ની સુમિત્રાબેનને થતા તેણી તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે દોડી આવી હતી અને 108ને જાણ કરી હતી.
સ્થળ પર આવી પહોંચેલી 108 એમ્બ્યુલન્સના તબીબોએ તપાસ કર્યાબાદ મેલાભાને મૃત જાહેર કર્યા હતા. તે સમયે પણ મેલાભાઈના બંને કાનમાંથી લોહી અને નાકમાંથી સફેદ પ્રવાહી વહી રહ્યું હતું. ત્યારે સુમિત્રાબેનને શંકા ગઈ હતી કે, તેમના પતિનું રમીલાબેન સાથે પ્રેમ સંબંધ હોવાથી તેને ઝેરી દવા પીવડાવી હત્યા કરવામાં આવી છે.
દરમિયાન 4 જાન્યુઆરીના રોજ મૃતક મેલાભાઈની પત્ની સુમિત્રાબેન પોતાના પતિની હત્યા થઇ છે કે કેમ તે જાણવા અંગે ભીમપુરા ગમે રહેતી બહેન નિશાને પુછપરછ કરી હતી. ત્યારે નિશાએ જણાવ્યું હતું કે, મૃતક મેલાભાઈ અને સાસુ રમીલાબેન વચ્ચે શારીરિક સંબંધો હતા. અને મેલાભાઈ રમીલાબેનને રૂપિયા પણ આપતા હતા. ત્યારબાદ સાસુએ નીકિતાનો ફોન નંબર મેલાભાઈને આપ્યો હતો. જેથી તેઓ અવાર નવાર ફોન કરી શારીરિક સંબંધ બાંધવાની માંગ કરતા હતા.
એક દિવસ મેલાભાઈ નિકિતાના ઘરે પહોંચ્યા હતા. અને નિકીતાને પાછળથી પકડી શારીરિક સંબંધ બાંધવાની વાત કરી હતી. જેથી આ બનાવ અંગે રમીલાબે, મગનભાઈ નિકિતા અને તેમના પતિ સાથે બેઠા હતા. ત્યારે આ મેલાભાઈનો ત્રાસ વધી ગયો છે. જેથી ઘરના તમામ સભ્યોએ ભેગા મળી મેલાભાઈને મારી નાખવાનો પ્લાન કરી ક્સરી દવા પીવડાવી હત્યા કરી હતી. જેથી વડોદરા તાલુકા પોલીસે મુકેશ મગન પરમાર, નિકિતા મુકેશ પરમાર, મનહર ઉર્ફે મગન પરમાર, રમીલા મગન પરમાર અને જગદીશ રમણ ગોહિલ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.