સરકારી હોસ્પિટલમાં સુવિધા: લાળ ગ્રંથીની પથરીના નિવારણની શસ્ત્રક્રિયા રાજ્યમાં માત્ર જી. એમ. ઇ. આર. એસ. હોસ્પિટલ ગોત્રીમાં જ થાય છે
રાજ્યના અન્ય જીલ્લાઓ અને પાડોશી રાજ્યોમાંથી દર્દીઓ આ સર્જરી કરાવવા અહી આવે છે
કેન્સરના શેક પછી લાળ ગ્રંથી મંદ પડી જવાની તકલીફનું નિવારણ પણ આ સર્જરીથી થાય છે
Watchgujarat. 1, જુલાઈએ ભારતના રાજનીતિજ્ઞ તબીબ ડો. બિધાનચંદ્ર રોયનો જન્મ દિવસ છે. જે એક આદર્શ તબીબની સાથે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પણ હતાં. તેમની યાદમાં આ દિવસને ડોક્ટર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આ દિવસે સરકારી હોસ્પિટલના એક કુશળ ડોકટરની નવી પહેલની વાત કરવી ઉચિત ગણાશે.
કોરોનાના સંકટ અને તે પછી મ્યુકોરની મુસીબતના ભારણમાં હળવાશ આવતા જી. એમ. ઇ. આર.એસ.હોસ્પિટલ, ગોત્રીના કાન, નાક,ગળાના વિભાગમાં અન્ય પ્રકારની સર્જરીનું કામ લાંબા સમયથી અટકેલું કામ આજે એક વિશેષ પ્રકારની સર્જરીથી ફરીથી શરૂ થયું છે.
આજે આ વિભાગના ડો.હિરેન સોની અને તેમના સહયોગીઓએ એક ચોવીસ વર્ષની મહિલાના ગળાની લાળ ગ્રંથીમાંથી સાઇલેંડોસ્કોપ નામના યંત્રની મદદથી 1 સેમીની પથરી કાઢવાનું ખાસ ઓપરેશન કર્યું હતું. આ સર્જરીને એટલા માટે ખાસ કહી છે કે આ યંત્ર રાજ્યની સરકારી અને બહુધા ખાનગી હોસ્પિટલો પૈકી માત્ર વડોદરાની આ સરકારી હોસ્પિટલમાં જ ઉપલબ્ધ છે અને તેની સર્જરી અન્યત્ર ક્યાંય થતી હોવાનું જાણમાં નથી.
ડો.સોનીએ જણાવ્યું કે,લાળ ગ્રંથીની પથરીને સાયલેંડોસ્કોપ ની મદદથી કાઢવાનું કે સાંકડી થઈ ગયેલી આ ગ્રંથીને પહોળી કરવાનું અને સ્ટેન્ટ બેસાડવાનું કામ માત્ર ગોત્રી હોસ્પિટલમાં થતું હોવાથી, છેક જામનગર, રાજકોટ, સૂરત અને અમદાવાદ જેવા શહેરોમાંથી અને મધ્ય પ્રદેશ,રાજસ્થાન જેવા રાજ્યોમાં થી તબીબો આવી તકલીફો ધરાવતા દર્દીઓને અહી મોકલે છે.
નાનામાં નાના ત્રણ વર્ષની ઉંમરના બાળકની પણ અહીં સફળ સર્જરી ભૂતકાળમાં કરવામાં આવી છે. જે બાળકને છેક જામનગરથી અહી સારવાર માટે લાવવામાં આવ્યું હતું. નાના બાળકોને જ્યારે વારંવાર ગાલપચોળું થતું હોય ત્યારે લાળ ગ્રંથીમાં મુશ્કેલીની શક્યતા રહે છે જેનું કાયમી નિવારણ આ સર્જરી થી શક્ય છે.
એટલે અત્યાર સુધી આપણે કિડની કે ગોલ બ્લેડર જેવા અંગોમાં પથરીની તકલીફ અને સર્જરીની વાત સાંભળી હતી.પરંતુ લાળ ગ્રંથીની પથરી કાઢવાની આ અનોખી સર્જરી વડોદરાના સરકારી દવાખાનામાં થાય છે એ નવી વાત છે.
અત્યાર સુધી ઉપરોક્ત યંત્રની મદદથી લાળ ગ્રંથીની પથરી કાઢવા કે સાંકડી ગ્રંથીને પહોળી કરવાના અંદાજે 60 જેટલી સર્જરી અત્રે કરવામાં આવી છે તેવી જાણકારી આપતાં ડો.હિરેન સોનીએ જણાવ્યું કે,આ યંત્ર ગોત્રી હોસ્પિટલને લગભગ 2015 – 16 માં ફાળવવામાં આવ્યું અને રાજ્યમાં આ સર્જરીની અમે પહેલ કરી.વચ્ચે મારી અન્યત્ર બદલી થવાથી અને તે પછી કોરોના સંકટને લીધે આ સર્જરી ની કામગીરી અટકી હતી.તેને નવેસરથી શરૂ કરવાનો આનંદ છે.
સામાન્ય ભાષામાં જેને શેક આપવો તરીકે ઓળખવામાં આવે છે તેવી કેન્સરની રેડીઓ થેરાપી પછી ઘણાં દર્દીઓની લાળ ગ્રંથીની સક્રિયતા ઓછી થઈ જાય છે.તેના લીધે આવા દર્દીઓને ખાવા પીવામાં ખૂબ તકલીફ પડે છે.તેવા કેસોમાં જો લાળ ગ્રંથી અકબંધ હોય તો દૂરબીનથી તપાસ કરીને ઊંડે સુધી દવા આપીને,આ ગ્રંથીને લાળના જરૂરી ઉત્પાદન માટે ફરી થી સક્રિય કરી દર્દીઓની તકલીફો નિવારવામાં આવે છે.
પહેલા લાળ ગ્રંથી કાઢીને આ કામગીરી કરવામાં આવતી.હવે ઉપરોક્ત યંત્રની મદદથી તે કાઢ્યા વગર સીધેસીધી અવરોધ રૂપ પથરી કાઢી શકાય છે.આમ,આ એક તબીબી આશીર્વાદ સમાન સુવિધા છે.
આ સર્જરીમાં વયસ્કો માટે 1 મીમી જાડાઈનું અને બાળકો માટે 0.6 મીમી જાડાઈનું દૂરબીન ઉપયોગમાં લઈ, મોનીટરમાં નિહાળી નિદાન અને સારવાર એકસાથે થઈ શકે છે.તેમાં કોઈ ચેકો કે ટાંકો લેવો પડતો નથી એટલા ચહેરાની સુંદરતા જળવાય છે.આ યંત્ર સાથે બાસ્કેટ ફૉર્સપ્સ જોડેલું હોય છે અને તેના પાંખીયા ટોકરી જેવો આકાર બનાવી પથરી ને જકડી લે છે.
રાજ્ય સરકારના આરોગ્ય તંત્ર દ્વારા સરકારી દવાખાનાઓને અદ્યતન તબીબી યંત્રોથી સજ્જ કરવામાં આવે છે. ડો.સોની જેવા કર્મયોગી તબીબોએ યંત્રોની મદદ થી કોર્પોરેટ હોસ્પિટલમાં ન મળે એવી સારવાર સરકારી દવાખાનામાં આપે છે જે સહુ માટે ગર્વની વાત ગણાય.
સરકારી હોસ્પિટલમાં સુવિધા: લાળ ગ્રંથીની પથરીના નિવારણની શસ્ત્રક્રિયા રાજ્યમાં માત્ર જી. એમ. ઇ. આર. એસ. હોસ્પિટલ ગોત્રીમાં જ થાય છે
રાજ્યના અન્ય જીલ્લાઓ અને પાડોશી રાજ્યોમાંથી દર્દીઓ આ સર્જરી કરાવવા અહી આવે છે
કેન્સરના શેક પછી લાળ ગ્રંથી મંદ પડી જવાની તકલીફનું નિવારણ પણ આ સર્જરીથી થાય છે
Watchgujarat. 1, જુલાઈએ ભારતના રાજનીતિજ્ઞ તબીબ ડો. બિધાનચંદ્ર રોયનો જન્મ દિવસ છે. જે એક આદર્શ તબીબની સાથે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પણ હતાં. તેમની યાદમાં આ દિવસને ડોક્ટર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આ દિવસે સરકારી હોસ્પિટલના એક કુશળ ડોકટરની નવી પહેલની વાત કરવી ઉચિત ગણાશે.
કોરોનાના સંકટ અને તે પછી મ્યુકોરની મુસીબતના ભારણમાં હળવાશ આવતા જી. એમ. ઇ. આર.એસ.હોસ્પિટલ, ગોત્રીના કાન, નાક,ગળાના વિભાગમાં અન્ય પ્રકારની સર્જરીનું કામ લાંબા સમયથી અટકેલું કામ આજે એક વિશેષ પ્રકારની સર્જરીથી ફરીથી શરૂ થયું છે.
આજે આ વિભાગના ડો.હિરેન સોની અને તેમના સહયોગીઓએ એક ચોવીસ વર્ષની મહિલાના ગળાની લાળ ગ્રંથીમાંથી સાઇલેંડોસ્કોપ નામના યંત્રની મદદથી 1 સેમીની પથરી કાઢવાનું ખાસ ઓપરેશન કર્યું હતું. આ સર્જરીને એટલા માટે ખાસ કહી છે કે આ યંત્ર રાજ્યની સરકારી અને બહુધા ખાનગી હોસ્પિટલો પૈકી માત્ર વડોદરાની આ સરકારી હોસ્પિટલમાં જ ઉપલબ્ધ છે અને તેની સર્જરી અન્યત્ર ક્યાંય થતી હોવાનું જાણમાં નથી.
ડો.સોનીએ જણાવ્યું કે,લાળ ગ્રંથીની પથરીને સાયલેંડોસ્કોપ ની મદદથી કાઢવાનું કે સાંકડી થઈ ગયેલી આ ગ્રંથીને પહોળી કરવાનું અને સ્ટેન્ટ બેસાડવાનું કામ માત્ર ગોત્રી હોસ્પિટલમાં થતું હોવાથી, છેક જામનગર, રાજકોટ, સૂરત અને અમદાવાદ જેવા શહેરોમાંથી અને મધ્ય પ્રદેશ,રાજસ્થાન જેવા રાજ્યોમાં થી તબીબો આવી તકલીફો ધરાવતા દર્દીઓને અહી મોકલે છે.
નાનામાં નાના ત્રણ વર્ષની ઉંમરના બાળકની પણ અહીં સફળ સર્જરી ભૂતકાળમાં કરવામાં આવી છે. જે બાળકને છેક જામનગરથી અહી સારવાર માટે લાવવામાં આવ્યું હતું. નાના બાળકોને જ્યારે વારંવાર ગાલપચોળું થતું હોય ત્યારે લાળ ગ્રંથીમાં મુશ્કેલીની શક્યતા રહે છે જેનું કાયમી નિવારણ આ સર્જરી થી શક્ય છે.
એટલે અત્યાર સુધી આપણે કિડની કે ગોલ બ્લેડર જેવા અંગોમાં પથરીની તકલીફ અને સર્જરીની વાત સાંભળી હતી.પરંતુ લાળ ગ્રંથીની પથરી કાઢવાની આ અનોખી સર્જરી વડોદરાના સરકારી દવાખાનામાં થાય છે એ નવી વાત છે.
અત્યાર સુધી ઉપરોક્ત યંત્રની મદદથી લાળ ગ્રંથીની પથરી કાઢવા કે સાંકડી ગ્રંથીને પહોળી કરવાના અંદાજે 60 જેટલી સર્જરી અત્રે કરવામાં આવી છે તેવી જાણકારી આપતાં ડો.હિરેન સોનીએ જણાવ્યું કે,આ યંત્ર ગોત્રી હોસ્પિટલને લગભગ 2015 – 16 માં ફાળવવામાં આવ્યું અને રાજ્યમાં આ સર્જરીની અમે પહેલ કરી.વચ્ચે મારી અન્યત્ર બદલી થવાથી અને તે પછી કોરોના સંકટને લીધે આ સર્જરી ની કામગીરી અટકી હતી.તેને નવેસરથી શરૂ કરવાનો આનંદ છે.
સામાન્ય ભાષામાં જેને શેક આપવો તરીકે ઓળખવામાં આવે છે તેવી કેન્સરની રેડીઓ થેરાપી પછી ઘણાં દર્દીઓની લાળ ગ્રંથીની સક્રિયતા ઓછી થઈ જાય છે.તેના લીધે આવા દર્દીઓને ખાવા પીવામાં ખૂબ તકલીફ પડે છે.તેવા કેસોમાં જો લાળ ગ્રંથી અકબંધ હોય તો દૂરબીનથી તપાસ કરીને ઊંડે સુધી દવા આપીને,આ ગ્રંથીને લાળના જરૂરી ઉત્પાદન માટે ફરી થી સક્રિય કરી દર્દીઓની તકલીફો નિવારવામાં આવે છે.
પહેલા લાળ ગ્રંથી કાઢીને આ કામગીરી કરવામાં આવતી.હવે ઉપરોક્ત યંત્રની મદદથી તે કાઢ્યા વગર સીધેસીધી અવરોધ રૂપ પથરી કાઢી શકાય છે.આમ,આ એક તબીબી આશીર્વાદ સમાન સુવિધા છે.
આ સર્જરીમાં વયસ્કો માટે 1 મીમી જાડાઈનું અને બાળકો માટે 0.6 મીમી જાડાઈનું દૂરબીન ઉપયોગમાં લઈ, મોનીટરમાં નિહાળી નિદાન અને સારવાર એકસાથે થઈ શકે છે.તેમાં કોઈ ચેકો કે ટાંકો લેવો પડતો નથી એટલા ચહેરાની સુંદરતા જળવાય છે.આ યંત્ર સાથે બાસ્કેટ ફૉર્સપ્સ જોડેલું હોય છે અને તેના પાંખીયા ટોકરી જેવો આકાર બનાવી પથરી ને જકડી લે છે.
રાજ્ય સરકારના આરોગ્ય તંત્ર દ્વારા સરકારી દવાખાનાઓને અદ્યતન તબીબી યંત્રોથી સજ્જ કરવામાં આવે છે. ડો.સોની જેવા કર્મયોગી તબીબોએ યંત્રોની મદદ થી કોર્પોરેટ હોસ્પિટલમાં ન મળે એવી સારવાર સરકારી દવાખાનામાં આપે છે જે સહુ માટે ગર્વની વાત ગણાય.