કોરોના પર કાબુ મેળવાતા હવે સરકાર દ્વારા પણ ધાર્મિક ટુરીઝમને પ્રોત્સાહન આપવા માટે અનેક પગલા ભરવામાં આવી રહ્યા છે
કોવિડ ગાઇડલાઇનના પાલન સાથે રોજ 19 પેસેન્જરે લઇને વોલ્વો જશે – અમિત શાહ, પ્રોજેક્ટ ઇન્ચાર્જ
વોલ્વો સ્લિપર દ્વારા મુસાફરી કરીને શ્રદ્ધાળુઓને પરત લાવવાની વ્યવસ્થા પણ ખરી
[caption id="attachment_1224393" align="aligncenter" width="1200"] Gujarat, GSRTC Volve Bus Started Vadodar to Nathdwara[/caption]
Watchgujarat. વડોદરામાં GSRTC દ્વારા નવી સરાહનીય પહેલ કરવામાં આવી છે. જેના અંતર્ગત વડોદરાથી પ્રથમ વખત નાથદ્વારા ખાતે બિરાજમાન શ્રીનાથજી ભગવાનના દર્શન કરવા માટે સ્લીપર વોલ્વો બસ સેવા શરૂ કરવામાં આવી છે. દર રોજ નિયત સમયે એસટી ડેપોથી બસ ઉપડશે.
કોરોનાની બીજી ઘાતક વેવ પર સરકાર અને તબિબોનો અથાગ પ્રયત્નોથી સફળતા મળી છે. કોરોના પર કાબુ મેળવાતા વેપાર ઘંઘા પુન ધમધમી રહ્યા છે. ત્યારે હવે સરકાર દ્વારા પણ ધાર્મિક ટુરીઝમને પ્રોત્સાહન આપવા માટે અનેક પગલા ભરવામાં આવી રહ્યા છે. નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાન બિરાજે છે. ખાસ કરીને વૈષ્ણવ સંપ્રદાયના લોકો શ્રીનાથજી ભગવાનમાં વિશેષ આસ્થા ધરાવે છે. GSRTC દ્વારા વડોદરાથી શ્રીનાથજી ભગવાનના દર્શને જતા શ્રદ્ધાળુઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
સોમવારથી વડોદરાથી સુવિધાઓ યુક્ત સ્લિપર કોચ ધરાવતી વોલ્વો નાથદ્વારા, શ્રીનાથજી ભગવાનના દર્શને જવા માટે શરૂ કરવામાં આવી છે. પ્રોજેક્ટ ઇન્ચાર્જ અમિત શાહે watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું હતું કે, રોજ બસ એસટી ડેપોથી સાંજે 6 – 30 કલાકે ઉપડશે. હાલ કોરોનાની સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇન પ્રમાણે જ પેસેન્જર લેવામાં આવશે. બસની કુલ કેપેસીટી 30 પેસેન્જરની છે. પરંતુ કોવિડ ગાઇડલાઇનના પાલન સાથે માત્ર 19 પેસેન્જરોને જ એક વખતે લઇ શકાશે. બસમાં મુસાફરી કરવા માટે એક તરફનું ભાડું રૂ. 950 જેટલું રાખવામાં આવ્યું છે. એટલું જ નહિ ત્યાંથી પરત આવવા માટે પણ બસ સેવાનો લાભ લઇ શકાશે.
બસનો શિડ્યુલ કેવો હશે
અમિત શાહે ઉમેર્યું હતું કે, વડોદરાથી શ્રીનાથજી જવા માટે બસ રોજ સાંજના 06 – 30 કલાકે ઉપડશે અને રાત્રે 03 – 30 કલાકે પહોંચશે. ત્યાર બાદ રાત્રીના 11 – 00 કલાકે શ્રી નાથજીથી બસ મુસાફરોને લઇને પરત આવવા નિકળશે, જે સવારે 08 – 00 કલાકે આવી પહોંચશે. બસ વાયા અમદાવાદ થઇને શ્રીનાથજી પહોંચશે.
કોરોના પર કાબુ મેળવાતા હવે સરકાર દ્વારા પણ ધાર્મિક ટુરીઝમને પ્રોત્સાહન આપવા માટે અનેક પગલા ભરવામાં આવી રહ્યા છે
કોવિડ ગાઇડલાઇનના પાલન સાથે રોજ 19 પેસેન્જરે લઇને વોલ્વો જશે – અમિત શાહ, પ્રોજેક્ટ ઇન્ચાર્જ
વોલ્વો સ્લિપર દ્વારા મુસાફરી કરીને શ્રદ્ધાળુઓને પરત લાવવાની વ્યવસ્થા પણ ખરી
[caption id="attachment_1224393" align="aligncenter" width="1200"] Gujarat, GSRTC Volve Bus Started Vadodar to Nathdwara[/caption]
Watchgujarat. વડોદરામાં GSRTC દ્વારા નવી સરાહનીય પહેલ કરવામાં આવી છે. જેના અંતર્ગત વડોદરાથી પ્રથમ વખત નાથદ્વારા ખાતે બિરાજમાન શ્રીનાથજી ભગવાનના દર્શન કરવા માટે સ્લીપર વોલ્વો બસ સેવા શરૂ કરવામાં આવી છે. દર રોજ નિયત સમયે એસટી ડેપોથી બસ ઉપડશે.
કોરોનાની બીજી ઘાતક વેવ પર સરકાર અને તબિબોનો અથાગ પ્રયત્નોથી સફળતા મળી છે. કોરોના પર કાબુ મેળવાતા વેપાર ઘંઘા પુન ધમધમી રહ્યા છે. ત્યારે હવે સરકાર દ્વારા પણ ધાર્મિક ટુરીઝમને પ્રોત્સાહન આપવા માટે અનેક પગલા ભરવામાં આવી રહ્યા છે. નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાન બિરાજે છે. ખાસ કરીને વૈષ્ણવ સંપ્રદાયના લોકો શ્રીનાથજી ભગવાનમાં વિશેષ આસ્થા ધરાવે છે. GSRTC દ્વારા વડોદરાથી શ્રીનાથજી ભગવાનના દર્શને જતા શ્રદ્ધાળુઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
સોમવારથી વડોદરાથી સુવિધાઓ યુક્ત સ્લિપર કોચ ધરાવતી વોલ્વો નાથદ્વારા, શ્રીનાથજી ભગવાનના દર્શને જવા માટે શરૂ કરવામાં આવી છે. પ્રોજેક્ટ ઇન્ચાર્જ અમિત શાહે watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું હતું કે, રોજ બસ એસટી ડેપોથી સાંજે 6 – 30 કલાકે ઉપડશે. હાલ કોરોનાની સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇન પ્રમાણે જ પેસેન્જર લેવામાં આવશે. બસની કુલ કેપેસીટી 30 પેસેન્જરની છે. પરંતુ કોવિડ ગાઇડલાઇનના પાલન સાથે માત્ર 19 પેસેન્જરોને જ એક વખતે લઇ શકાશે. બસમાં મુસાફરી કરવા માટે એક તરફનું ભાડું રૂ. 950 જેટલું રાખવામાં આવ્યું છે. એટલું જ નહિ ત્યાંથી પરત આવવા માટે પણ બસ સેવાનો લાભ લઇ શકાશે.
બસનો શિડ્યુલ કેવો હશે
અમિત શાહે ઉમેર્યું હતું કે, વડોદરાથી શ્રીનાથજી જવા માટે બસ રોજ સાંજના 06 – 30 કલાકે ઉપડશે અને રાત્રે 03 – 30 કલાકે પહોંચશે. ત્યાર બાદ રાત્રીના 11 – 00 કલાકે શ્રી નાથજીથી બસ મુસાફરોને લઇને પરત આવવા નિકળશે, જે સવારે 08 – 00 કલાકે આવી પહોંચશે. બસ વાયા અમદાવાદ થઇને શ્રીનાથજી પહોંચશે.