યોગ અને નેચરોપેથીની ડિગ્રી ધરાવનાર સ્નાતકો હવે રજીસ્ટ્રેશન કરાવીને લોકોની સારવાર કરી શકશે
વડોદરા ખાતે આવેલ મોરારજી દેસાઈ ઇન્સ્ટિટયૂટ ઓફ નેચરોપેથી અને યોગિક સાયન્સમાંથી બી.એન.વાય.એસ. ની ડીગ્રી ધરાવનાર વ્યક્તિ રજીસ્ટ્રેશન કરાવી શકશે
1500 રૂપિયા ફી ભરીને પ્રોવિઝનલ રજીસ્ટ્રેશન કરાવી શકાશે, પાંચ વર્ષના અંતે રીન્યુ કરાવવાનું રહેશે
WatchGujarat. રાજય સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં યોગ અને નેચરોપેથીની ડિગ્રી ધરાવનાર સ્નાતકો હવે રજીસ્ટ્રેશન કરાવીને યોગ અને નેચરોપેથી દ્વારા લોકોની સારવાર કરી શકશે. રાજ્યના નાગરિકોને યોગ અને નેચરોપેથી સારવાર મળી રહે તે માટે રાજય સરકારે આ મહત્વનો નિર્ણય કર્યો છે.
નિર્ણય અંગેની જાહેરાત કરતાં નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી દ્વારા લોકોની સુખાકારી પર ભાર મુકવામાં આવી રહ્યો છે ત્યારે ગુજરાતમાં પણ લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તેમજ આરોગ્ય સુખાકારી વધે તે માટે ગુજરાત સરકાર દ્વારા હેલ્થ અને વેલનેસ ક્લિનિક(HWC ) શરૂ કરવામાં આવ્યા છે. રાજય સરકાર દ્વારા તાજેતરમાં નિર્ણય લેવામા આવ્યો છે. જેમાં આરોગ્ય વિભાગ દ્વારા યોગ અને નેચરોપેથીની બેચરલ ઓફ નેચરોપેથી અને યોગીક સાયન્સની ડિગ્રી મેળવનાર સ્નાતકો હવે લોકોની સારવાર કરી શકશે. આ માટે ડીગ્રી ધરાવનાર વ્યક્તિએ ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદ અને યુનાની સિસ્ટમ ઓફ મેડિસિન, ગુજરાત રાજ્ય બોર્ડ ખાતે પોતાનું પ્રોવિઝનલ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
વધુમાં તેમણે કહ્યું હતું કે, ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા તારીખ ૮ જુલાઇ 2021ના ઠરાવમાં જણાવ્યા અનુસાર વડોદરા ખાતે આવેલ મોરારજી દેસાઈ ઇન્સ્ટિટયૂટ ઓફ નેચરોપેથી અને યોગિક સાયન્સમાંથી બી.એન.વાય.એસ.ની ડીગ્રી ધરાવનાર વ્યક્તિ જ પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકશે. રજીસ્ટ્રેશનની પ્રક્રિયા વિશે નિતિન પટેલે જણાવ્યું હતું કે, મોરારજી દેસાઈ ઇન્સ્ટિટયૂટ ખાતેથી બી.એન.વાય.એસ. ની ડિગ્રી મેળવનાર સ્નાતક વ્યક્તિ ગુજરાત બોર્ડ આયુર્વેદિક અને યુનાની સિસ્ટમ્સ મેડિસિન, ગુજરાત રાજ્ય ખાતે પંદરસો રૂપિયા ફી ભરીને પોતાનું પ્રોવિઝનલ રજીસ્ટ્રેશન કરાવી શકશે. આ પ્રોવિઝનલ રજીસ્ટ્રેશન પાંચ વર્ષના અંતે રીન્યુ કરાવવાનું રહેશે. રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ જે તે સ્નાતક વ્યક્તિ પોતાના અભ્યાસક્રમ મુજબ યોગ અને નેચરોપેથીની પ્રેક્ટિસ કરી શકશે.
યોગ અને નેચરોપેથીની ડિગ્રી ધરાવનાર સ્નાતકો હવે રજીસ્ટ્રેશન કરાવીને લોકોની સારવાર કરી શકશે
વડોદરા ખાતે આવેલ મોરારજી દેસાઈ ઇન્સ્ટિટયૂટ ઓફ નેચરોપેથી અને યોગિક સાયન્સમાંથી બી.એન.વાય.એસ. ની ડીગ્રી ધરાવનાર વ્યક્તિ રજીસ્ટ્રેશન કરાવી શકશે
1500 રૂપિયા ફી ભરીને પ્રોવિઝનલ રજીસ્ટ્રેશન કરાવી શકાશે, પાંચ વર્ષના અંતે રીન્યુ કરાવવાનું રહેશે
WatchGujarat. રાજય સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં યોગ અને નેચરોપેથીની ડિગ્રી ધરાવનાર સ્નાતકો હવે રજીસ્ટ્રેશન કરાવીને યોગ અને નેચરોપેથી દ્વારા લોકોની સારવાર કરી શકશે. રાજ્યના નાગરિકોને યોગ અને નેચરોપેથી સારવાર મળી રહે તે માટે રાજય સરકારે આ મહત્વનો નિર્ણય કર્યો છે.
નિર્ણય અંગેની જાહેરાત કરતાં નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી દ્વારા લોકોની સુખાકારી પર ભાર મુકવામાં આવી રહ્યો છે ત્યારે ગુજરાતમાં પણ લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તેમજ આરોગ્ય સુખાકારી વધે તે માટે ગુજરાત સરકાર દ્વારા હેલ્થ અને વેલનેસ ક્લિનિક(HWC ) શરૂ કરવામાં આવ્યા છે. રાજય સરકાર દ્વારા તાજેતરમાં નિર્ણય લેવામા આવ્યો છે. જેમાં આરોગ્ય વિભાગ દ્વારા યોગ અને નેચરોપેથીની બેચરલ ઓફ નેચરોપેથી અને યોગીક સાયન્સની ડિગ્રી મેળવનાર સ્નાતકો હવે લોકોની સારવાર કરી શકશે. આ માટે ડીગ્રી ધરાવનાર વ્યક્તિએ ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદ અને યુનાની સિસ્ટમ ઓફ મેડિસિન, ગુજરાત રાજ્ય બોર્ડ ખાતે પોતાનું પ્રોવિઝનલ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
વધુમાં તેમણે કહ્યું હતું કે, ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા તારીખ ૮ જુલાઇ 2021ના ઠરાવમાં જણાવ્યા અનુસાર વડોદરા ખાતે આવેલ મોરારજી દેસાઈ ઇન્સ્ટિટયૂટ ઓફ નેચરોપેથી અને યોગિક સાયન્સમાંથી બી.એન.વાય.એસ.ની ડીગ્રી ધરાવનાર વ્યક્તિ જ પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકશે. રજીસ્ટ્રેશનની પ્રક્રિયા વિશે નિતિન પટેલે જણાવ્યું હતું કે, મોરારજી દેસાઈ ઇન્સ્ટિટયૂટ ખાતેથી બી.એન.વાય.એસ. ની ડિગ્રી મેળવનાર સ્નાતક વ્યક્તિ ગુજરાત બોર્ડ આયુર્વેદિક અને યુનાની સિસ્ટમ્સ મેડિસિન, ગુજરાત રાજ્ય ખાતે પંદરસો રૂપિયા ફી ભરીને પોતાનું પ્રોવિઝનલ રજીસ્ટ્રેશન કરાવી શકશે. આ પ્રોવિઝનલ રજીસ્ટ્રેશન પાંચ વર્ષના અંતે રીન્યુ કરાવવાનું રહેશે. રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ જે તે સ્નાતક વ્યક્તિ પોતાના અભ્યાસક્રમ મુજબ યોગ અને નેચરોપેથીની પ્રેક્ટિસ કરી શકશે.