[caption id="attachment_1290048" align="aligncenter" width="1600"] સોખડા મંદિર બહાર હરિક્ભક્તોનો જમાવડો[/caption]
હરિપ્રસાદ સ્વામીજીની ઘણા વખતથી તબિયત નાદુરસ્ત રહેતી હતી
ગતરોજ મોડી રાત્રે 11 વાગે સ્વામીજીએ નશ્વરદેહ છોડ્યો
વડોદરા ઉપરાંત દેશ-વિદેશમાં રહેતા તેમના ભક્તો આઘાતમાં સરી પડ્યા
તમામ જગ્યાએ હરિ ભક્તો એક દમ શિસ્ત બદ્ધ રીતે સ્વામીજીના પાર્થિવ દેહના અંતિમ દર્શનાર્થે જોવા મળ્યા
હોસ્પિટલ બહાર હરિ ભક્તો ભાવુક થયા
સોખડા મંદિર ખાતે સ્વામીજીના પાર્થિવ દેહને લઇ જવાના રસ્તા પર ગુલાબની પાંખડીઓ બિછાવવામાં આવી
[caption id="attachment_1290047" align="aligncenter" width="1600"] સોખડા મંદિરના પ્રવેશ દ્વાર પાસે ગુલાબની પાંખડીઓની ચાદર પથરાઇ[/caption]
Watchgujarat. વડોદરા નજીક આવેલા હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના વિશ્વ વિખ્યાત સંત હરિપ્રસાદ સ્વામીજી સોમવારે મોડી રાત્રે 11 કલાકે 88 વર્ષની ઉંમરે અક્ષરનિવાસી થયા હતા. જેને લઇને હરિ ભક્તોમાં શોકની લાગણી જોવા મળી હતી. આજે હરિ પ્રસાદ સ્વામીજીના પાર્થિવ હેદને હોસ્પિટલેથી સોખડા સુધી લઇ જવાના છે. જેને લઇને હોસ્પિટલની બહારથી લઇને સોખડા મંદિર સુધી હરિ ભક્તો શિસ્ત બદ્ધ રીતે નજરે પડ્યા હતા.
https://youtu.be/7GTe3xn1E8M
હરિપ્રસાદ સ્વામીજીની ઘણા વખતથી તબિયત નાદુરસ્ત રહેતી હતી. તેમનું સ્વાસ્થ્ય જળવાઈ રહે એ માટે સંતો દ્વારા તેમનું રૂટિન ચેકઅપ પણ કરાવવામાં આવતું હતું. સ્વામીજીને સોમવારે સાંજે વડોદરાની ભાઈલાલ અમીન હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ત્યાં રાત્રે તેમની તબિયત લથડતાં ડોક્ટર દ્વારા સારવાર શરૂ કરાઇ હતી. જોકે મોડી રાત્રે 11 વાગે સ્વામીજીએ નશ્વરદેહ છોડ્યો હતો. સ્વામીજીએ પોતાની જીવનલીલા સંકેલી હોવાની વાત વાયુ વેગે ફેલાતાં હરિભક્તોમાં શોક વ્યાપી ગયો હતો. વડોદરા ઉપરાંત દેશ-વિદેશમાં રહેતા તેમના ભક્તો આઘાતમાં સરી પડ્યા હતા.
[caption id="attachment_1290046" align="aligncenter" width="1600"] સોખડા મંદિર બહાર શિસ્ત બદ્ધ રીતે હરિભક્તો જોવા મળ્યા[/caption]
વહેલી સવારથી ગોરવા સ્થિત જે હોસ્પિટલમાં હરી પ્રસાદજીએ અંતિમ શ્વાસ લીધા છે ત્યાંથી લઇને સોખડા મંદિર સુધી જ્યાં જુઓ ત્યાં હરિ ભક્તો નજરે પડતા હતા. એક વાત ચોક્કસ નજરે પડતી હતી કે, તમામ જગ્યાએ હરિ ભક્તો એક દમ શિસ્ત બદ્ધ રીતે સ્વામીજીના પાર્થિવ દેહના અંતિમ દર્શનાર્થે જોવા મળ્યા હતા. હોસ્પિટલ બહાર હરિ ભક્તો ભાવુક થયા હતા. તો બીજી તરફ સોખડા મંદિર ખાતે સ્વામીજીના પાર્થિવ દેહને લઇ જવાના રસ્તા પર ગુલાબની પાંખડીઓ બિછાવવામાં આવી હતી.
[caption id="attachment_1290050" align="aligncenter" width="1600"] ગોરવા હોસ્પિટલ બહાર વાહન પર સવાર હરિ ભક્તો[/caption]
પ્રાપ્ત વિગતો અનુસાર, 1 ઓગસ્ટના રોજ હરિ પ્રસાદ સ્વામીજીના પાર્થિવ દેહની અંતિમ ક્રિયા કરવામાં આવશે. ત્યાં સુધી તેમના દેહને હરિ ભક્તોના દર્શનાર્થે મુકવામાં આવશે. સ્વામીજીની અંતિમ દર્શને મોટી સંખ્યામાં દેશ વિદેશથી હરિ ભક્તો આવે તેવી શક્યતા છે. વ્યવસ્થા જળવાય તે માટે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી છે.
[caption id="attachment_1290045" align="aligncenter" width="1600"] ગોરવા હોસ્પિટલ બહાર હરિ ભક્તોનો જમાવડો[/caption]
[caption id="attachment_1290044" align="aligncenter" width="1600"] સોખડા તરફ જવાના રસ્તે સ્વામીજીના દર્શનની વાટ જોતી મહિલાઓ[/caption]
[caption id="attachment_1290048" align="aligncenter" width="1600"] સોખડા મંદિર બહાર હરિક્ભક્તોનો જમાવડો[/caption]
હરિપ્રસાદ સ્વામીજીની ઘણા વખતથી તબિયત નાદુરસ્ત રહેતી હતી
Watchgujarat. વડોદરા નજીક આવેલા હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના વિશ્વ વિખ્યાત સંત હરિપ્રસાદ સ્વામીજી સોમવારે મોડી રાત્રે 11 કલાકે 88 વર્ષની ઉંમરે અક્ષરનિવાસી થયા હતા. જેને લઇને હરિ ભક્તોમાં શોકની લાગણી જોવા મળી હતી. આજે હરિ પ્રસાદ સ્વામીજીના પાર્થિવ હેદને હોસ્પિટલેથી સોખડા સુધી લઇ જવાના છે. જેને લઇને હોસ્પિટલની બહારથી લઇને સોખડા મંદિર સુધી હરિ ભક્તો શિસ્ત બદ્ધ રીતે નજરે પડ્યા હતા.
હરિપ્રસાદ સ્વામીજીની ઘણા વખતથી તબિયત નાદુરસ્ત રહેતી હતી. તેમનું સ્વાસ્થ્ય જળવાઈ રહે એ માટે સંતો દ્વારા તેમનું રૂટિન ચેકઅપ પણ કરાવવામાં આવતું હતું. સ્વામીજીને સોમવારે સાંજે વડોદરાની ભાઈલાલ અમીન હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ત્યાં રાત્રે તેમની તબિયત લથડતાં ડોક્ટર દ્વારા સારવાર શરૂ કરાઇ હતી. જોકે મોડી રાત્રે 11 વાગે સ્વામીજીએ નશ્વરદેહ છોડ્યો હતો. સ્વામીજીએ પોતાની જીવનલીલા સંકેલી હોવાની વાત વાયુ વેગે ફેલાતાં હરિભક્તોમાં શોક વ્યાપી ગયો હતો. વડોદરા ઉપરાંત દેશ-વિદેશમાં રહેતા તેમના ભક્તો આઘાતમાં સરી પડ્યા હતા.
[caption id="attachment_1290046" align="aligncenter" width="1600"] સોખડા મંદિર બહાર શિસ્ત બદ્ધ રીતે હરિભક્તો જોવા મળ્યા[/caption]
વહેલી સવારથી ગોરવા સ્થિત જે હોસ્પિટલમાં હરી પ્રસાદજીએ અંતિમ શ્વાસ લીધા છે ત્યાંથી લઇને સોખડા મંદિર સુધી જ્યાં જુઓ ત્યાં હરિ ભક્તો નજરે પડતા હતા. એક વાત ચોક્કસ નજરે પડતી હતી કે, તમામ જગ્યાએ હરિ ભક્તો એક દમ શિસ્ત બદ્ધ રીતે સ્વામીજીના પાર્થિવ દેહના અંતિમ દર્શનાર્થે જોવા મળ્યા હતા. હોસ્પિટલ બહાર હરિ ભક્તો ભાવુક થયા હતા. તો બીજી તરફ સોખડા મંદિર ખાતે સ્વામીજીના પાર્થિવ દેહને લઇ જવાના રસ્તા પર ગુલાબની પાંખડીઓ બિછાવવામાં આવી હતી.
[caption id="attachment_1290050" align="aligncenter" width="1600"] ગોરવા હોસ્પિટલ બહાર વાહન પર સવાર હરિ ભક્તો[/caption]
પ્રાપ્ત વિગતો અનુસાર, 1 ઓગસ્ટના રોજ હરિ પ્રસાદ સ્વામીજીના પાર્થિવ દેહની અંતિમ ક્રિયા કરવામાં આવશે. ત્યાં સુધી તેમના દેહને હરિ ભક્તોના દર્શનાર્થે મુકવામાં આવશે. સ્વામીજીની અંતિમ દર્શને મોટી સંખ્યામાં દેશ વિદેશથી હરિ ભક્તો આવે તેવી શક્યતા છે. વ્યવસ્થા જળવાય તે માટે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી છે.