પુત્રવધુના ત્રાસથી વિધવા સાસુએ દુમાડ પાસેની કેનાલમાં ઝંપલાવતા રાહદરીઓએ બચાવી લીધા
બીજી તરફ વિધવા માતાના પુત્રએ પત્ની અને સાસારીયાઓના ત્રાસથી ઘરમાં જ ગળે ફાંસ ખાધો
આપઘાત કરતા પહેલા શિરિષ દરજીએ લખેલી બે પાનાની સુસાઇટ નોટ પોલીસે કબજે કરી તપાસ હાથ ધરી
શિરિષના 3 મોબાઇલ આપઘાત પાછળનુ રહસ્ય ખોલી શકે છે.
WatchGujarat શહેરમાં વધી રહેલા આપઘાતના સીલસીલાનો અંત આવતો દેખાતો નથી, ત્યારે સોની પરિવારના 6 સભ્યોએ કરેલા સામૂહિક આપઘાતના પ્રયાસમાં 5 લોકોએ જીવ ગુમાવ્યાં છે. તેવામાં વધુ એક આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક તરફ વિધવા સાસુએ કેનાલમાં ઝંપલાવી જીવન ટુંકાવવાનો પ્રયાસ કર્યો હતો. તો બીજી તરફ પત્ની અને સાસરીયાઓના ત્રાસથી કંટાળી પતિએ ઘરમાં જ ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવી લીધુ હતુ. બનાવને પગલે જવાહરનગર પોલીસે તપાસ કરતા પરિણીત યુવકે આપઘાત કરતા પહેલા લખેલી સુસાઇડ નોટ મળી આવી હતી. જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જવાહરનગર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ ધર્મરાજ લીંબોલાએ સમગ્ર મામલે watchgujarat.com સાથે ટેલિફોનિક વાત કરતા જણાવ્યું હતુ કે, ગત રોજ બાજવા સ્થિત આમ્રપાલી સોસાયટીમાં રહેતા 31 વર્ષીય શિરિષ દરજીએ પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ અંગેના તપાસ કરતા જાણવા મળ્યું હતુ કે, શિરિષએ 8 વર્ષ અગાઉ મોનિકા સાથે પ્રેમલગ્ન કર્યા હતા. ત્યારબાદ 4 વર્ષ પછી બન્નેએ પરિવારની મંજૂરીથી વિધિસર લગ્ન કર્યા હતા. શિરિષ માંજલપુર સ્થિત ખાનગી કંપનીમાં સેલ્સ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતો હતો. દંપતિને એક 11 માસનુ સંતાન પણ છે.
વધુમાં તેઓએ જણાવ્યું કે, ગત રોજ સાંજે પાંચ વાગ્યાની આસપાસ પોલીસને વર્ધી મળી હતી. જેના આધારે જવાહરનગર પોલીસ સ્ટેસનો સ્ટાફ બાજવા સ્થિત આમ્રપાલી સોસાયટીમાં પહોંચ્યો હતો. જ્યાં શિરિષ દરજીના સબંધીઓ હાજર હોય પણ ઘરનો દરવાજો કોઇ ખોલી રહ્યું ન હતુ. જેથી પોલીસે દરવાજો તોડી અંદર જોતા શિરિષ ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો. જેથી ઘરમાં તપાસ કરતા શિરિષના પાકિટમાંથી બે પાનાની સુસાઇડ નોટ મળી આવી હતી. જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. જોકે પ્રાથમિક તપાસમાં આપઘાત પાછળનુ કોઇ ચોક્કસ કારણ હજી સુધી જાણવા મળ્યું નથી.
તેમણે ઉમેર્યું કે, શિરિષ જે મકાનમાં પત્ની અને માતા સાથે રહેતો હતો તે પોતાની માલિકીનુ છે. તદઉપરાંત તેનો નાનો ભાઇ સાઉથ આફ્રિકામાં સ્થાયી છે. જેથી આપઘાત પાછળ આર્થિક તંગી હોય તેવી કોઇ શક્યતા હાલ દેખાતી નથી. તથા જે સુસાઇડ નોટ મળી આવી છે, તેમાં આપઘાત પાછળનુ કોઇ ચોક્કસ કારણ દર્શાવવામાં આવ્યું નથી. પોલીસે શિરિષના 3 મોબાઇલ પણ કબજે કર્યા છે, જેની તપાસ કર્યા બાદ ચોક્કસ કારણ જાણવે મળે તેવુ માનવામાં આવી રહ્યું છે.
શિરિષે લખેલી બે પાનની સુસાઇડ નોટ શબ્દસહ
તા. 8-3-2021, સમય 12. 50 AM
હું શું કરૂ, મને સમજાતુ નથી, હું મારી હાર પહેલા જ માની ચુંક્યો છું, ને જતો રહ્યો હતો. પણ મેં મારા મમ્મી તથા ભાઇના માટે વિચારી પાછો આવી ગયો હતો.
મારા પાછા આવ્યાં બાદ પણ મારી પત્ની મોનિકા દ્વારા મને ટોર્ચર કરવાનુ બંધ કરવામાં ન આવ્યું, તથા મારા સાસ સસુર દ્વારા પણ તેણે સમજાવવામાં ના આવ્યું, મેં મારા દ્વારા બનતા પ્રયત્નો કર્યા કે, મારા દ્વારા મારી પત્ની તથા તેના માં બાપ માની જાય ને, આ સમસ્યાનો ઉકેલ આવી જાય પણ આખરે મારા સાસ સાસ સંસુંર તથા પત્નીના ત્રાસ બાદ મારા માટે આત્મ હત્યા કર્યા સિવાય, કોઇ ઓપશન બાકી રહેતો નથી.
બસ હું આત્મ હત્યા જે કરી રહ્યો છું, તે આત્મ હત્યા નથી પણ મર્ડર છે. મારી મારા પરિવાર તથા પોલીસને જાણ થાય, મારા મર્યા બાદ મને મને મરવા માટે મજબૂર કરનારા, મારી પત્ની તથા તેના માં બાપને સજા થાય તેવી મારી આશા છે.
મારી પત્નીનુ પુરૂ નામ મોનિકા શિરિષ દરજી છે. તથા તેના પપ્પાનુ નામ ….. તથા માતાનુ ગીતાબેન કઇલાશનાથ જેશવાલ તથા ભાઇ દ્વારા પણ તેનો પુરતો સાથ આપવામાં આવ્યો છે.
મને પણ જાણ છે કે, આત્મ હત્યા એ કાયરતાનુ પ્રતિક છે. પણ મારી જગ્યાએ પોતાને મૂકીને જોવો તો કદાચ આત્મ હત્યા પર મજબૂર કરનાર વધારે ગુનેગાર દેખાશે
મને લાગે છે કે, કદાચ મારી પત્ની અને તેના ઘરવાળા મારા મોતની રાહ જોવે છે. ને હું તેમની ઇચ્છા પુરી કરવા નથી માંગતો માટે મને હેરાન પરેશાન તથા માનસિક ત્રાસ આપી મારો જીવ લેવા બેઠા છે.
બસ આખરમાં મારા મર્યા બાદ મારૂ મર્ડર કરનારને સજા મળવી જોઇએ
મને ત્રાસ આપે છે કે નહીં મારા whatsapp ના મેસેજમાંથી ખબર પડી જશે
દરજી શિરિષ એચ
8-3-2021
1-00 AM
બીજી તરફ વિધવા માતાના પુત્રએ પત્ની અને સાસારીયાઓના ત્રાસથી ઘરમાં જ ગળે ફાંસ ખાધો
આપઘાત કરતા પહેલા શિરિષ દરજીએ લખેલી બે પાનાની સુસાઇટ નોટ પોલીસે કબજે કરી તપાસ હાથ ધરી
શિરિષના 3 મોબાઇલ આપઘાત પાછળનુ રહસ્ય ખોલી શકે છે.
WatchGujarat શહેરમાં વધી રહેલા આપઘાતના સીલસીલાનો અંત આવતો દેખાતો નથી, ત્યારે સોની પરિવારના 6 સભ્યોએ કરેલા સામૂહિક આપઘાતના પ્રયાસમાં 5 લોકોએ જીવ ગુમાવ્યાં છે. તેવામાં વધુ એક આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક તરફ વિધવા સાસુએ કેનાલમાં ઝંપલાવી જીવન ટુંકાવવાનો પ્રયાસ કર્યો હતો. તો બીજી તરફ પત્ની અને સાસરીયાઓના ત્રાસથી કંટાળી પતિએ ઘરમાં જ ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવી લીધુ હતુ. બનાવને પગલે જવાહરનગર પોલીસે તપાસ કરતા પરિણીત યુવકે આપઘાત કરતા પહેલા લખેલી સુસાઇડ નોટ મળી આવી હતી. જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જવાહરનગર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ ધર્મરાજ લીંબોલાએ સમગ્ર મામલે watchgujarat.com સાથે ટેલિફોનિક વાત કરતા જણાવ્યું હતુ કે, ગત રોજ બાજવા સ્થિત આમ્રપાલી સોસાયટીમાં રહેતા 31 વર્ષીય શિરિષ દરજીએ પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ અંગેના તપાસ કરતા જાણવા મળ્યું હતુ કે, શિરિષએ 8 વર્ષ અગાઉ મોનિકા સાથે પ્રેમલગ્ન કર્યા હતા. ત્યારબાદ 4 વર્ષ પછી બન્નેએ પરિવારની મંજૂરીથી વિધિસર લગ્ન કર્યા હતા. શિરિષ માંજલપુર સ્થિત ખાનગી કંપનીમાં સેલ્સ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતો હતો. દંપતિને એક 11 માસનુ સંતાન પણ છે.
વધુમાં તેઓએ જણાવ્યું કે, ગત રોજ સાંજે પાંચ વાગ્યાની આસપાસ પોલીસને વર્ધી મળી હતી. જેના આધારે જવાહરનગર પોલીસ સ્ટેસનો સ્ટાફ બાજવા સ્થિત આમ્રપાલી સોસાયટીમાં પહોંચ્યો હતો. જ્યાં શિરિષ દરજીના સબંધીઓ હાજર હોય પણ ઘરનો દરવાજો કોઇ ખોલી રહ્યું ન હતુ. જેથી પોલીસે દરવાજો તોડી અંદર જોતા શિરિષ ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો. જેથી ઘરમાં તપાસ કરતા શિરિષના પાકિટમાંથી બે પાનાની સુસાઇડ નોટ મળી આવી હતી. જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. જોકે પ્રાથમિક તપાસમાં આપઘાત પાછળનુ કોઇ ચોક્કસ કારણ હજી સુધી જાણવા મળ્યું નથી.
તેમણે ઉમેર્યું કે, શિરિષ જે મકાનમાં પત્ની અને માતા સાથે રહેતો હતો તે પોતાની માલિકીનુ છે. તદઉપરાંત તેનો નાનો ભાઇ સાઉથ આફ્રિકામાં સ્થાયી છે. જેથી આપઘાત પાછળ આર્થિક તંગી હોય તેવી કોઇ શક્યતા હાલ દેખાતી નથી. તથા જે સુસાઇડ નોટ મળી આવી છે, તેમાં આપઘાત પાછળનુ કોઇ ચોક્કસ કારણ દર્શાવવામાં આવ્યું નથી. પોલીસે શિરિષના 3 મોબાઇલ પણ કબજે કર્યા છે, જેની તપાસ કર્યા બાદ ચોક્કસ કારણ જાણવે મળે તેવુ માનવામાં આવી રહ્યું છે.
શિરિષે લખેલી બે પાનની સુસાઇડ નોટ શબ્દસહ
તા. 8-3-2021, સમય 12. 50 AM
હું શું કરૂ, મને સમજાતુ નથી, હું મારી હાર પહેલા જ માની ચુંક્યો છું, ને જતો રહ્યો હતો. પણ મેં મારા મમ્મી તથા ભાઇના માટે વિચારી પાછો આવી ગયો હતો.
મારા પાછા આવ્યાં બાદ પણ મારી પત્ની મોનિકા દ્વારા મને ટોર્ચર કરવાનુ બંધ કરવામાં ન આવ્યું, તથા મારા સાસ સસુર દ્વારા પણ તેણે સમજાવવામાં ના આવ્યું, મેં મારા દ્વારા બનતા પ્રયત્નો કર્યા કે, મારા દ્વારા મારી પત્ની તથા તેના માં બાપ માની જાય ને, આ સમસ્યાનો ઉકેલ આવી જાય પણ આખરે મારા સાસ સાસ સંસુંર તથા પત્નીના ત્રાસ બાદ મારા માટે આત્મ હત્યા કર્યા સિવાય, કોઇ ઓપશન બાકી રહેતો નથી.
બસ હું આત્મ હત્યા જે કરી રહ્યો છું, તે આત્મ હત્યા નથી પણ મર્ડર છે. મારી મારા પરિવાર તથા પોલીસને જાણ થાય, મારા મર્યા બાદ મને મને મરવા માટે મજબૂર કરનારા, મારી પત્ની તથા તેના માં બાપને સજા થાય તેવી મારી આશા છે.
મારી પત્નીનુ પુરૂ નામ મોનિકા શિરિષ દરજી છે. તથા તેના પપ્પાનુ નામ ….. તથા માતાનુ ગીતાબેન કઇલાશનાથ જેશવાલ તથા ભાઇ દ્વારા પણ તેનો પુરતો સાથ આપવામાં આવ્યો છે.
મને પણ જાણ છે કે, આત્મ હત્યા એ કાયરતાનુ પ્રતિક છે. પણ મારી જગ્યાએ પોતાને મૂકીને જોવો તો કદાચ આત્મ હત્યા પર મજબૂર કરનાર વધારે ગુનેગાર દેખાશે
મને લાગે છે કે, કદાચ મારી પત્ની અને તેના ઘરવાળા મારા મોતની રાહ જોવે છે. ને હું તેમની ઇચ્છા પુરી કરવા નથી માંગતો માટે મને હેરાન પરેશાન તથા માનસિક ત્રાસ આપી મારો જીવ લેવા બેઠા છે.
બસ આખરમાં મારા મર્યા બાદ મારૂ મર્ડર કરનારને સજા મળવી જોઇએમને ત્રાસ આપે છે કે નહીં મારા whatsapp ના મેસેજમાંથી ખબર પડી જશે