અમદાવાદ, વડોદરા અને રાજસ્થાનના 9 જ્યોતિષના ચુંગાલમાં ફસાતા સમાનો સોની પરિવાર રૂ. 32 લાખના દેવામાં ડૂબી ગયો હતો.
આર્થીક ભીંસમાં આવી જતા સોની પરિવારને 6 સભ્યોએ કોલ્ડ ડ્રિંક્સમાં ઝેરી દવા ભેળવી ગટગટાવી લીધી હતી.
પોલીસે 9 પાંખડી જ્યોતિષો સામે છેતરપીંડીનો ગુનો નોંધ્યો હતો.
9 પૈકીના એક મૃત જાહેર થયેલા જ્યોતિષને રાજસ્થાનની ઝડપી લેવામાં આવ્યો
9 પૈકીના પાંચ જ્યોતિષોએ પોલીસ પકડથી બચાવ કોર્ટમાં આગોતરા જામીન મેળવવી અરજી કરી હતી.
WatchGujarat ગત તા. 3 માર્ચના રોજ સમા શહેરના સમા વિસ્તારની સ્વાતિ સોસાયટીમાં રહેતા સોની પરિવારના 6 સભ્યોએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આર્થીક ભીંસમાં આવી ઝેરી દવા ગટગટાવી જનાર સોની પરિવારના 6 પૈકી પાંચના મોત નિપજ્યાં હતા. પાખંડી જ્યોતિષીઓ વાસ્તુ દોષ દુર કરવાના બહાને જુદી જુદી વિધી બતાવી રૂ. 32 લાખ સોની પરિવાર પાસેથી ખંખેરી લીધા હતા. સામૂહિક આપઘાત મામલે સમા પોલીસે 9 જ્યોતિષો વિરૂદ્ધ છેતરપીંડીનો ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી હતી. જેમાં રાજસ્થાનથી બેની દબોચી લેવામાં આવ્યાં હતા. જે પૈકીના એકને અગાઉ મૃત જાહેર કરાયો હતો, તેને પોલીસે જીવતો શોધી કાઢ્યો હતો.
આ બનાવની વિગત એવી છે કે, શહેરના સમા વિસ્તારમાં આવેલી સ્વાતિ સોસા.માં રહેતા નરેન્દ્ર સોની અને તેમના પરિવારે આર્થીક ભીંસમાં આવી સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં ઘરના મોભી નરેન્દ્રભાઇ સહિત ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. જ્યારે તેમના પત્ની અને પુત્ર ભાવીન સોનીનુ સારવાર દરમિયાન મોત નપિજ્યું હતુ. ભાવીન સોનીએ સારવાર દરમિયાન પોલીસને આપેલા નિવેદનના આધારે 9 પાખંડી જ્યોતિષોની પોલ ઉઘાડી પડી હતી. જેથી પોલીસે વડોદરા, અમદાવાદ અને રાજસ્થાનના 9 જ્યોતિષો સામે રૂ. 32 લાખ ઉપરાંતની છેતરપીંડીનો ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી હતી.
નરેન્દ્રભાઇ સોની કંઇ રીતે પાખંડી જ્યોતિષોના ચુંગાલમાં ફસાયા
સ્વાતિ સોસા.માં રહેતા નરેન્દ્રભાઇ સોની પ્લાસ્ટીકની સમગ્રીનો વેપાર કરતા હતા. જોકે ધંધો ન ચાલતા તેમને પોતાની સ્વ માલિકીનુ મકાન વેચવા માટે કાઢ્યું હતુ. મકાન વેચાતુ ન હોવાથી તેમણે વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલા હેમંત જોષીનો સંપર્ક કર્યો હતો. અને ત્યારબાદ પાખંડી જ્યોતિષોની ટોળકીએ વાસ્તુ દોષ નિવારણની વિધીના બહાને રૂ. 32 લાખ ખંખેરી લીધા હતા.
કંઇ રીતે પાખંડી જ્યોતિષોની ટોળકી લોકોને ફસાવી રૂપિયા ખંખેરે છે.
ડીસીપી લખધીર ઝાલાએ માહિતી આપતા જણાવ્યું કે, જ્યોતિષો દ્વારા સમાચાર પત્રોમાં જાહેરાતો આપવામાં આવે છે. જેથી લોકો તેમનો સંપર્ક કરી શકે, સંપર્ક કરનાર વ્યક્તિને મળ્યા બાદ જુદી જુદી વિધીના બહાને તેમની પાસેથી રૂપિયા ખંખેરવાની શરૂઆત થાય છે. સંપર્ક કરનાર વ્યક્તિનો નંબર ટોળકીના સભ્યોને રીફર કરવામાં આવતો હતો. ત્યારબાદ એક પછી એક જ્યોતિષ સંપર્ક કરનાર વ્યક્તિને વિધી કરવાના બહાને રૂપિયા ખંખેરી લેતી હતી.
રાજસ્થાનના નાગોર તાલુકામાંથી મૃત જાહેર થયેલા જ્યોતિષને પોલીસે શોધી કાઢ્યુ
નરેન્દ્ર સોની પાસેથી એક બાદ એક કુલ 9 જ્યોતિષોએ વાસ્ત દોષ નિવારણની વિધીના બહાને રૂ. 32 લાખ ખંખેરી લીધા હતા. જેમાં વડોદરાના સાહિલ વ્હોરા ઉર્ફે સીતારામ ભાર્ગવ દ્વારા ઓગષ્ઠ 2020માં કળશ વિધી કરી 1920ની સાલના ચાંદીના ચલણી સિક્કા શોધી કાઢી પોતે લઇ ગયો હતો. સાહિલ વ્હોરાએ કળશ વિધી કરવા માટે નરેન્દ્રભાઇ પાસેથી રૂ. 3.50 લાખની રકમ પડાવી લીધી હતી. તથા રાજસ્થાન પુષકર ખાતે મૃતક નરેન્દ્રભાઇ સોનીના સંપર્કમાં આવેલા ગજેન્દ્ર ભાર્ગવએ વિધી કરવાના નામે રૂ. 4 લાખ પડાવી લીધી હતી. જે રૂપિયા મેળવી ગજેન્દ્રએ વિધી કરવા માટે નરેન્દ્રભાઇના ઘરે આવવાની વાત કરી હતી. દરમિયાન વડોદરાના જ્યોતિષ હેમંત જોષીએ નરેન્દ્રભાઇને જણાવ્યું હતુ કે, ગજેન્દ્ર ભાર્ગવ મૃત્યુ પામ્યો હોવાનુ જણાવી વિધી થઇ શકી ન હતી.
જોકે ભાવીન સોનીએ પોલીસને આપેલા નિવેદનમાં ગજેન્દ્ર સોની મૃત્યુ પામ્યો હોવાનુ જણાવવામાં આવ્યું હતુ. પરંતુ આ મામલે તટસ્થ તપાસ કરી રહેલા સમા પોલીસે બનાવના તમામ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ કરતા રાજસ્થાનના નાગોર તાલુકામાંથી ગજેંદ્ર ભાર્ગવ જીવીત મળી આવ્યો હતો. આમ પોલીસે આ ગુનામાં 9 પૈકી બે પાખંડી જ્યોતિષોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
9 પૈકી 5 જ્યોતિષોએ કરેલી આગોતરા જામીન અરજી કોર્ટે નામંજૂર કરી
ઉપરોકત બનાવ સંદર્ભે સમા પોલીસે 9 પાખંડીઓ સામે છેતરપીંડીનો ગુનો નોંધ્યો હતો. ફરીયાદ નોંધાતાની સાથે જ તમામ ભુગર્ભમાં ઉતરી ગયા હતા અને પોલીસ પકડથી બચવા માટે 9 પૈકી ખીનરાજ પંચારામ જોષી ઉર્ફે સ્વરાજ, હેમંત પંચારામ જોષી, અલ્કેશ પ્રકાશ જોષી, વિજય ગીરીશભાઇ જોષી અને પ્રહલાદ છેલારામ જોષીએ વડોદરા કોર્ટમાં આગોતરા જામીન મેળવવા માટે અરજી કરી હતી. જેના અનુસંધાને આજે કોર્ટમાં સુનવણી હાથ ધરતા કોર્ટે તમામના આગોતરા જામીન નામજૂર કર્યા હોવાનુ સમા પોલીસ સ્ટેશનના ઇન્સપેકટર પી.ડી પરમારે જણાવ્યું હતુ.
અમદાવાદ, વડોદરા અને રાજસ્થાનના 9 જ્યોતિષના ચુંગાલમાં ફસાતા સમાનો સોની પરિવાર રૂ. 32 લાખના દેવામાં ડૂબી ગયો હતો.
આર્થીક ભીંસમાં આવી જતા સોની પરિવારને 6 સભ્યોએ કોલ્ડ ડ્રિંક્સમાં ઝેરી દવા ભેળવી ગટગટાવી લીધી હતી.
પોલીસે 9 પાંખડી જ્યોતિષો સામે છેતરપીંડીનો ગુનો નોંધ્યો હતો.
9 પૈકીના એક મૃત જાહેર થયેલા જ્યોતિષને રાજસ્થાનની ઝડપી લેવામાં આવ્યો
9 પૈકીના પાંચ જ્યોતિષોએ પોલીસ પકડથી બચાવ કોર્ટમાં આગોતરા જામીન મેળવવી અરજી કરી હતી.
WatchGujarat ગત તા. 3 માર્ચના રોજ સમા શહેરના સમા વિસ્તારની સ્વાતિ સોસાયટીમાં રહેતા સોની પરિવારના 6 સભ્યોએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આર્થીક ભીંસમાં આવી ઝેરી દવા ગટગટાવી જનાર સોની પરિવારના 6 પૈકી પાંચના મોત નિપજ્યાં હતા. પાખંડી જ્યોતિષીઓ વાસ્તુ દોષ દુર કરવાના બહાને જુદી જુદી વિધી બતાવી રૂ. 32 લાખ સોની પરિવાર પાસેથી ખંખેરી લીધા હતા. સામૂહિક આપઘાત મામલે સમા પોલીસે 9 જ્યોતિષો વિરૂદ્ધ છેતરપીંડીનો ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી હતી. જેમાં રાજસ્થાનથી બેની દબોચી લેવામાં આવ્યાં હતા. જે પૈકીના એકને અગાઉ મૃત જાહેર કરાયો હતો, તેને પોલીસે જીવતો શોધી કાઢ્યો હતો.
આ બનાવની વિગત એવી છે કે, શહેરના સમા વિસ્તારમાં આવેલી સ્વાતિ સોસા.માં રહેતા નરેન્દ્ર સોની અને તેમના પરિવારે આર્થીક ભીંસમાં આવી સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં ઘરના મોભી નરેન્દ્રભાઇ સહિત ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. જ્યારે તેમના પત્ની અને પુત્ર ભાવીન સોનીનુ સારવાર દરમિયાન મોત નપિજ્યું હતુ. ભાવીન સોનીએ સારવાર દરમિયાન પોલીસને આપેલા નિવેદનના આધારે 9 પાખંડી જ્યોતિષોની પોલ ઉઘાડી પડી હતી. જેથી પોલીસે વડોદરા, અમદાવાદ અને રાજસ્થાનના 9 જ્યોતિષો સામે રૂ. 32 લાખ ઉપરાંતની છેતરપીંડીનો ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી હતી.
નરેન્દ્રભાઇ સોની કંઇ રીતે પાખંડી જ્યોતિષોના ચુંગાલમાં ફસાયા
સ્વાતિ સોસા.માં રહેતા નરેન્દ્રભાઇ સોની પ્લાસ્ટીકની સમગ્રીનો વેપાર કરતા હતા. જોકે ધંધો ન ચાલતા તેમને પોતાની સ્વ માલિકીનુ મકાન વેચવા માટે કાઢ્યું હતુ. મકાન વેચાતુ ન હોવાથી તેમણે વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલા હેમંત જોષીનો સંપર્ક કર્યો હતો. અને ત્યારબાદ પાખંડી જ્યોતિષોની ટોળકીએ વાસ્તુ દોષ નિવારણની વિધીના બહાને રૂ. 32 લાખ ખંખેરી લીધા હતા.
કંઇ રીતે પાખંડી જ્યોતિષોની ટોળકી લોકોને ફસાવી રૂપિયા ખંખેરે છે.
ડીસીપી લખધીર ઝાલાએ માહિતી આપતા જણાવ્યું કે, જ્યોતિષો દ્વારા સમાચાર પત્રોમાં જાહેરાતો આપવામાં આવે છે. જેથી લોકો તેમનો સંપર્ક કરી શકે, સંપર્ક કરનાર વ્યક્તિને મળ્યા બાદ જુદી જુદી વિધીના બહાને તેમની પાસેથી રૂપિયા ખંખેરવાની શરૂઆત થાય છે. સંપર્ક કરનાર વ્યક્તિનો નંબર ટોળકીના સભ્યોને રીફર કરવામાં આવતો હતો. ત્યારબાદ એક પછી એક જ્યોતિષ સંપર્ક કરનાર વ્યક્તિને વિધી કરવાના બહાને રૂપિયા ખંખેરી લેતી હતી.
રાજસ્થાનના નાગોર તાલુકામાંથી મૃત જાહેર થયેલા જ્યોતિષને પોલીસે શોધી કાઢ્યુ
નરેન્દ્ર સોની પાસેથી એક બાદ એક કુલ 9 જ્યોતિષોએ વાસ્ત દોષ નિવારણની વિધીના બહાને રૂ. 32 લાખ ખંખેરી લીધા હતા. જેમાં વડોદરાના સાહિલ વ્હોરા ઉર્ફે સીતારામ ભાર્ગવ દ્વારા ઓગષ્ઠ 2020માં કળશ વિધી કરી 1920ની સાલના ચાંદીના ચલણી સિક્કા શોધી કાઢી પોતે લઇ ગયો હતો. સાહિલ વ્હોરાએ કળશ વિધી કરવા માટે નરેન્દ્રભાઇ પાસેથી રૂ. 3.50 લાખની રકમ પડાવી લીધી હતી. તથા રાજસ્થાન પુષકર ખાતે મૃતક નરેન્દ્રભાઇ સોનીના સંપર્કમાં આવેલા ગજેન્દ્ર ભાર્ગવએ વિધી કરવાના નામે રૂ. 4 લાખ પડાવી લીધી હતી. જે રૂપિયા મેળવી ગજેન્દ્રએ વિધી કરવા માટે નરેન્દ્રભાઇના ઘરે આવવાની વાત કરી હતી. દરમિયાન વડોદરાના જ્યોતિષ હેમંત જોષીએ નરેન્દ્રભાઇને જણાવ્યું હતુ કે, ગજેન્દ્ર ભાર્ગવ મૃત્યુ પામ્યો હોવાનુ જણાવી વિધી થઇ શકી ન હતી.
જોકે ભાવીન સોનીએ પોલીસને આપેલા નિવેદનમાં ગજેન્દ્ર સોની મૃત્યુ પામ્યો હોવાનુ જણાવવામાં આવ્યું હતુ. પરંતુ આ મામલે તટસ્થ તપાસ કરી રહેલા સમા પોલીસે બનાવના તમામ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ કરતા રાજસ્થાનના નાગોર તાલુકામાંથી ગજેંદ્ર ભાર્ગવ જીવીત મળી આવ્યો હતો. આમ પોલીસે આ ગુનામાં 9 પૈકી બે પાખંડી જ્યોતિષોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ઉપરોકત બનાવ સંદર્ભે સમા પોલીસે 9 પાખંડીઓ સામે છેતરપીંડીનો ગુનો નોંધ્યો હતો. ફરીયાદ નોંધાતાની સાથે જ તમામ ભુગર્ભમાં ઉતરી ગયા હતા અને પોલીસ પકડથી બચવા માટે 9 પૈકી ખીનરાજ પંચારામ જોષી ઉર્ફે સ્વરાજ, હેમંત પંચારામ જોષી, અલ્કેશ પ્રકાશ જોષી, વિજય ગીરીશભાઇ જોષી અને પ્રહલાદ છેલારામ જોષીએ વડોદરા કોર્ટમાં આગોતરા જામીન મેળવવા માટે અરજી કરી હતી. જેના અનુસંધાને આજે કોર્ટમાં સુનવણી હાથ ધરતા કોર્ટે તમામના આગોતરા જામીન નામજૂર કર્યા હોવાનુ સમા પોલીસ સ્ટેશનના ઇન્સપેકટર પી.ડી પરમારે જણાવ્યું હતુ.